મુખ્ય સામગ્રી પર જાઓ

આપનું સાહિત્ય અહીં પ્રકાશિત કરો

 નમસ્કાર સારસ્વત મિત્રો, જો આપ ગુજરાતી સાહિત્યમાં આપનું કોઈ મૌલિક સર્જન કરતા હોવ જેવું કે ટૂકી વાર્તા, લેખ, નવલકથા ગઝલ, નિબંધ, નાટક, કાવ્ય, કે અન્ય કોઈપણ વિષય હોય અને આપ એવું ઈચ્છતા હોવ કે આપની એ કૃતિ આપણા આ વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પ્રકાશિત થાય, અને આપને નીચે જણાવેલી શરતો માન્ય હોય તો આપ પોતાની કૃતિ સાથે અમને csp8502@yahoo.com ઈ-મેઈલના માધ્યમથી સંપર્ક કરી શકો છો. જો ફોન કોલ પર અમારી સાથે વાત કરવા ઇચ્છતા હોવ તો મેઈલમાં પોતાનો ભારતીય મોબાઈલ નંબર અવશ્ય લખવો. પરંતુ ધ્યાન રહે આ બ્લોગ કોઈ પણ પ્રકારના આર્થિક ઉદ્દેશથી પ્રકાશક તરીકે કામ કરતો નથી. તેથી કૃતિ મોકલાવવા બદલ નાણાની કોઈપણ લેવડ દેવડ કરવામાં આવશે નહિ. આ બ્લોગના માધ્યમથી આપ ફક્ત પોતાની ક્રુતિ વિશ્વના દરેક ગુજરાતીઓ સુધી પહોચાડી એક ખ્યાતિ પ્રાપ્ત કરી શકશો. પરંતુ જો આ બ્લોગ પર આપ નિયમિત રૂપે કૉલમ ચલાવશો કે અન્ય કોઈ પણ રીતે  આ બ્લોગના વિકાસમાં આપ પોતાનું યથાશક્તિ બને તેટલું વધુ યોગદાન આપશો તો આપને રોયલ્ટી સ્વરૂપે ફ્રી ગિફ્ટ અને એવોર્ડ્સ આપી આપને સન્માનીત કરવામાં આવશે.

આ બ્લોગ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે તેથી આપ જો આ સેવાના કામમાં ભાગીદાર બનવા ઈચ્છતા હોવ તો આ બ્લોગ પર મુકવા લાયક કોઈપણ મટીરીયલ આપની પાસે હોય તો તે ક્યાંથી લીધું છે એની પુરેપુરી માહિતી સાથે અમને ઉપર જણાવેલા ઈમેઈલ એડ્રેસ પર સંપર્ક કરવો. એ તમામ મટીરીયલ આપના નામ નંબર અને ઈમેઈલ સાથે આપના સૌજન્યથી આ બ્લોગ પર પ્રકાશિત કરવામાં આવશે.

આપ અમારા બ્લોગ પર કોઈ વિષય ઉપર દૈનિક, સાપ્તાહિક, કે માસિક કોલમ ચલાવવા ઇચ્છતા હોવ તો પણ આપ ઉપર જણાવેલ ઈમેઈલ એડ્રેસ પર અમારો સંપર્ક કરી શકો છો.

લેખ કે કૃતિ મોકલવા માટેની શરતો

(1) 👉 લેખ ગુજરાતી ભાષામાં હોવો જરૂરી છે. ગુજરાતી ઈન્ડીકનાં શ્રુતિ ફોન્ટમાં અથવા બ્લોગર પર સપોર્ટ કરે એવા ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરેલો હોવો જોઈએ. સંસ્કૃત સાહિત્ય પણ આવકાર્ય છે પરંતુ એ પણ શ્રુતિ કે બ્લોગર સપોર્ટેડ યુનિકોડ  ફોન્ટમાં હોવું અનિવાર્ય છે.

(2) 👉 લેખ કોપી થઇ શકે એવી pdf ફાઈલ સ્વરૂપે હોવો જોઈએ અથવા નોટપેડ કે માઈક્રોસોફ્ટ ઓફીસ વર્ડમાં કે પછી ગુગલ ડોક્સમાં ટાઈપ કરેલો હોવો જોઈએ.

(3) 👉 લેખ મૌલિક તેમજ  ગુણવત્તાની દ્રષ્ટિએ યોગ્ય હોવો જરૂરી છે. લેખની મૌલિકતા બાબતની સંપૂર્ણ જવાબદારી લેખકની તેમજ લેખ મોક્લાવનારની રહેશે. લેખ મોક્લાવનારે લેખના અંતે લેખકનું નામ અવશ્ય જણાવવું. જો લેખ બીજી ભાષાના સાહિત્યમાથી લઈને ગુજરાતીમાં અનુવાદિત કરેલો હોય તો એમાં લેખક અને અનુવાદક એ બંનેનું નામ લખવું ફરજિયાત છે.

(4) 👉 લેખકે પોતાના લેખની એક કોપી પોતાની પાસે અવશ્ય રાખવી કેમકે અમને મોકલાવેલી કોપી આપને કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.

(5) 👉 આપનો લેખ પ્રકાશિત થશે? અને થશે તો ક્યારે થશે? એનો જો આપ પ્રત્યુતર મેળવવા ઈચ્છતા હોવ તો આપનો મોબાઈલ નંબર અથવા ઈમેઈલ જેના પર રીપ્લાય જોઈતો હોય તે અવશ્ય જણાવો.

(6) 👉 ઉપર જણાવેલ ઈ મેઈલ એડ્રેસ સિવાય અન્ય સરનામે યા અન્ય નંબર પર મોકલવામાં આવેલા લેખો સ્વીકારવામાં આવશે નહિ. જો લેખની ફાઇલ સાઈજ મોટી હોય અને ઈમેલમાં ન મોકલી શકાતી હોય તો ફાઇલ એટેચ કર્યા વગર જ સાદો મેઈલ કરવો. એ મેઈલના પ્રત્યુત્તરમાં અમે આપને જણાવશુ કે મેઈલ સિવાય બીજી અન્ય રીતે ફાઇલ કેવી રીતે મોકલી શકાય.

(7) 👉 લેખ કે કૃતિ માટે કોઈ સાઈઝ નિશ્ચિત નથી. નાનકડા લેખથી લઈને નવલકથા જેવી મોટી કૃતિઓ પણ આવકાર્ય છે. પરંતુ એ રસપ્રદ અને સાહિત્યિક હોવી જરૂરી છે.

(8) 👉 જો કોઈ લેખક વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પોતાની દૈનિક, સાપતાહીક કે માસિક કોલમ ચલાવવા ઈચછતાં હોય તો તે પણ ચલાવી શકે છે. પરંતુ તેમણે પોતાની કોલમના લેખો કે આર્ટિકલો નક્કી થયેલા સમયે સમયસર પહોંચાડવાના રહેશે. અથવા પોતાના તમામ લેખો એક સાથે આપવા ઇચ્છે તો પણ આપી શકે છે.

(9) 👉 જો લેખક કે લેખ મોકલાવનાર ઈચ્છે તો લેખની સાથે ફક્ત પોતાનું નામ. મોબાઈલ નંબર કે ઈ મેઈલ એડ્રેસ પ્રકાશિત કરાવી શકશે. પરંતુ એ સિવાય તેમનો પરિચય, બાયોડેટા, પ્રોફાઇલ,  ફોટોગ્રાફ કે અન્ય વિગતો બ્લોગ પર પ્રકાશિત કરાવવા માટે એમણે આ બ્લોગ પર પોતાની દૈનિક કે સાપતાહિક કોલમ ઓછામાં ઓછી એક વર્ષ સુધી ચલાવવી પડશે. અથવા કૉલમ ન ચલાવવી હોય તો વર્ષમાં ઓછામાં ઓછી કોઈ પણ વિષય પર 48 કૃતિઓ એટલેકે મહિનાની 4 ક્રુતિઓ આપવી ફરજિયાત છે. આટલું કરનારને વાઈબ્સ ગુજરાતી બ્લોગના પ્રખ્યાત લેખકોના પેઇજ પર એમનો પૂરો બાયોડેટા સાથે તેમજ એમના બ્લોગની લિન્ક સહિત ગુજરાતી સાહિત્યના લેખક તરીકેની જે વિગતો એમણે પ્રકાશિત કરવી હશે એ પ્રકાશિત કરી આપવામાં આવશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...