મુખ્ય સામગ્રી પર જાઓ

દ્વિરેફની વાતો - રામનારાયણ પાઠક

આ પુસ્તક ૩ ભાગમાં વિભાજિત થયેલું છે.

આ પુસ્તક વિષે થોડુંક...........

રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ કાળના પ્રવાહમાં ટકી રહી હોય તેવી વાર્તાઓમાં મુખ્ય છે : ‘જક્ષણી’, ‘મુકુંદરાય’ અને ‘ખેમી’. ‘જક્ષણી’ એ સામાજિક અંધશ્રદ્ધા ઉપર કટાક્ષ કરતી પરિસ્થિતિજન્ય વાર્તા છે. ‘મુકુંદરાય’ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણપ્રથાનાં દૂષણો દર્શાવી, ભારતીય સંસ્કૃતિ અને કુટુંબભાવના, શિષ્ટાચાર વગેરેમાં આવેલાં પરિવર્તનો તરફ અણગમો દર્શાવે છે. ‘ખેમી’ અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા અને વ્યક્તિશોષણનું દુ:ખકર અને કરુણ પરિણામ દર્શાવતી ઘટના છે. વાર્તાનું ચિરંજીવી તત્વ છે, માનવીય સંસ્પર્શ અને સંદર્ભ.

ભાગ 2માંની વાર્તાકલા ભાગ 1ના પ્રમાણમાં વધુ વિકાસ પામી છે. વાર્તાકારનો ર્દષ્ટિકોણ બદલાયો છે. આ ભાગમાંની કુલ 10 વાર્તાઓમાં ‘કુલાંગાર’ પ્રયોગાત્મક વાર્તા છે. સંવાદપ્રધાન માળખું ધરાવતી આ વાર્તાની શૈલી ર્દશ્ય-શ્રાવ્ય પ્રકારની યોજી છે. ‘દેવી કે રાક્ષસી’ માનવીય પ્રેમના ગૂઢ રહસ્યનું દર્શનશાસ્ત્ર આપે છે. સ્ત્રી-પુરુષના આ પ્રેમતત્વની મીમાંસા કરતાં લેખક છેવટે માનવીની લાચારી કે મર્યાદાને વ્યક્ત કરે છે. ‘સુરદાસ’ વાર્તામાં માનવી પોતે જ પોતાની જાતને નીચો માની લઘુતા-ગ્રંથિથી પીડાય છે; પોતાને સતત બધા અન્યાય થયા કરે છે એવી ભ્રામક લાગણીથી દોરવાઈને ખૂન કરવાની કક્ષા સુધી તે પહોંચી જાય છે. પ્રસંગપ્રધાન વાર્તા ‘બે મુલાકાત’ સ્વાતંત્ર્યસંગ્રામ કે અસહકારની લડતને વિષય બનાવીને લખાયેલી પ્રથમ વાર્તા છે. સામાજિક સંદર્ભો, નીતિમત્તા અને માનવીય સંદર્ભોની સાથે સાથે માનવીની જીવનરીતિ વિશે પણ લેખક ઘણું કહેવા માગે છે. પણ કલાની અને કલાકારની મર્યાદા પણ તે પાળે છે.

ભાગ 3માં 17 વાર્તા છે. ‘તું પોતે જ તારો દુશ્મન’ માટે તું તને ઓળખ, એ સૂત્ર સમજાવ્યું છે. આ જીવનદર્શન ‘કાગટોડા’ વાર્તામાં સરસ રીતે ગૂંથાયેલું છે. ત્રીજા ભાગની લગભગ બધી જ વાર્તા માનવચિત્તની વિવિધ સંકુલ પરિસ્થિતિઓને નિરૂપે છે. ચંચળ અને અસ્વસ્થ મન:સ્થિતિમાંથી માણસ સતત ઉદ્વિગ્ન રહીને દુ:ખી થયા કરે છે, એ જીવનદર્શન એમની બધી વાર્તાઓમાં થોડે વત્તે અંશે વ્યક્ત થાય છે, અપવાદ રૂપે તેનાથી વિરુદ્ધ માનવીય સંદર્ભોનું એક બીજું પાસું તેમની ‘રેંકડીમાં’ તથા ‘કંકુડી અને કાનિયો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત થાય છે.

સમગ્ર રીતે જોતાં એમની આ વાતો વાસ્તવદર્શી તથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપર રચાયેલી છે. માનવજીવનની સંકુલ અને વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતિઓને તે રસિક અને કટાક્ષમય શૈલીમાં પ્રયોગશીલ બનાવીને નિરૂપે છે; એ રીતે દ્વિરેફની વાર્તાઓનું માળખું વૈચારિક અને તાર્કિક અનુબંધવાળું છે.

બટુક દલીચા (Source)

નોંધ: આ સંપૂર્ણ પુસ્તકના દરેક પેઇજ Creative Commons License હેઠળ અહી મૂકવામાં આવ્યા છે. અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...