મુખ્ય સામગ્રી પર જાઓ

આ બ્લોગના કોપીરાઇટ્સ

 © copyrights https://vibesgujarati.blogspot.com/  આ બ્લોગ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.

અહી પ્રકાશિત કરવામાં આવેલા સાહિત્યની મૌલિકતા બાબતની સંપૂર્ણ જવાબદારી અને કોપીરાઈટ જે તે સાહિત્યના લેખકોની તેમજ લેખ મોકલાવનારની તેમજ લેખ પ્રકાશિત કરવાની અનુમતિ કે પરવાનગી આપનારની રહેશે. આ બ્લોગ પર પ્રકાશિત અને સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારક વ્યક્તિ પાસે સુરક્ષિત છે. વાઈબ્સ ગુજરાતી બ્લોગ વતી મારા દ્વારા ખોટી રીતે કોઈપણ વ્યક્તિના કોપીરાઇટ્સનો ભંગ કરવામાં આવ્યો નથી. તેમજ અન્યોની માફક ટર્મ્સ અને કન્ડિશનના નામ પર આપની પાસે ખોટી રીતે કોઈપણ વધારાના વિશેષાધિકાર મારા દ્વારા મેળવી લેવામાં આવ્યા નથી.

આ બ્લોગ પર ડાઉનલોડ કરવા માટે જે પુસ્તકો કે અન્ય સાહિત્ય લિન્કના માધ્યમથી મુક્યું છે એ પણ અન્ય વેબસાઈટો નું સાહિત્ય છે. એટલે જ તેને  લિન્કના માધ્યમથી મુક્યું છે. માટે એ સાહિત્યની કોઈ મર્યાદા હોય કે એ સાહિત્ય બાબતે કોઈને પણ આપત્તિ કે મુશ્કેલી હોય તો જેતે વેબસાઈટ નાં માલિકનો સંપર્ક કરવો. એ બદલ વાઈબ્સ ગુજરાતી બ્લોગ જવાબદાર નથી. મારા આ બ્લોગના કોઈ સંપાદકો નથી. આ બ્લોગ હું પોતેજ એક સેવા ખાતર ચલાવું છું. આ બ્લોગ કોઈપણ પ્રકારના આર્થિક હેતુથી પ્રકાશન કરવાના ઉદ્દેશથી ચાલતો નથી. આગળ જતા બહુ વિશાળ ફલક પર વેબસાઈટ બનાવવાનો કે તેના દ્વારા પૈસા કમાવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. ખારા જળના સમુદ્ર બનવા કરતા હું મીઠા જળનો નાનકડો લોટો બનવાનું વધુ પસંદ કરીશ.

ઘણા સર્જકોને પોતાની કૃતિ વેબસાઈટ પર મુકાય એ પસંદ નથી. પરંતુ અહીં પ્રકાશિત દરેક રચના સાથે તેમના સર્જકનું નામ અચૂક મૂકવામાં આવે છે. આથી રચનાકારને ઉચિત શ્રેય મળે છે. કઈ કૃતિ ક્યાંથી લેવામાં આવી છે એનો પણ અહી સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અહી મુકાયેલી કોઈ પણ કૃતિના સર્જક હયાત હોય તો એમની પરવાનગી લઈને જ અહી પ્રકાશિત કરવામાં આવી છે. ઘણા સર્જકોને કદાચ એવું લાગશે કે એમની પરવાનગી નથી લેવામાં આવી. પરંતુ એમને યાદ અપાવવાનું કે ભૂતકાળમાં 'શબ્દસારિતા બ્લોગ' ના નામથી મે એમની પરવાનગી લીધી હતી. અને હવે બ્લોગનું નામ અને એડ્રેસ બદલાઇને 'વાઈબ્સ ગુજરાતી' થઈ ગયું છે. છતાં જો કોઈ સર્જક / પ્રકાશક / કોપીરાઈટ ધારકને મારા આ બ્લોગ પર તેમની રચના સંબંધે કોઈ પણ આપત્તિ કે વાંધો હોય તો તેમને વિનંતિ છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસના અવ્યવસાયિક ધ્યેય સાથે થતી આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, મારા દ્વારા થયેલી ભૂલને ક્ષમા કરે. છતાં પણ જો તેમને ક્ષમા ન જ કરવું હોય તો મહેરબાની કરી  યોગ્ય પુરાવાઓ સાથે અમને csp8502@yahoo.com ઇમેઇલના માધ્યમથી સૂચિત કરે. જે રચનાઓના અહીં હોવા પર તેમના સર્જકો / પ્રકાશકો અથવા કોપીરાઈટ ધારકોને આપત્તિ હશે, એ રચનાઓને મારા આ બ્લોગ પરથી સાદર હટાવી દેવામાં આવશે.

આ બ્લોગ પરની અમુક કૃતિઓ અન્ય બ્લોગ કે વેબસાઇટ પરથી એમની પરવાનગી લીધા વગર સીધી જ કોપી કરીને અહી મૂકી દેવામાં આવી છે. કારણકે એ બ્લોગ કે વેબસાઇટ પર એ કૃતિ ફ્રી માં ઉપલબ્ધ છે/હતી. અને એ બ્લોગ કે વેબસાઇટ પર એવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે આ કૃતિનો કોઈ પણ કોમર્શ્યલ કામ માટે ઉપયોગમાં લેવી નહીં.અને વાઈબ્સ ગુજરાતી બ્લોગ એ  ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે. અહી કોઈપણ કૃતિનો કોઈપણ આર્થિક હેતુથી વ્યાવસાયિક કે કોમર્શ્યલ ઉપયોગ થયો નથી. છતાં જો કોઈ સર્જક / પ્રકાશક / કોપીરાઈટ ધારકને મારા આ બ્લોગ પર તેમની રચના સંબંધે કોઈ પણ આપત્તિ કે વાંધો હોય તો તેમને વિનંતિ છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસના અવ્યવસાયિક ધ્યેય સાથે થતી આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, મારા દ્વારા થયેલી ભૂલને ક્ષમા કરે. કારણકે આ એ આઈના જમાનામાં જન્મેલી આલ્ફા અને બીટા જનરેશનની પેઢીઓને ઇન્સ્ટાગ્રામની રીલ અને યુટ્યુબના શોર્ટ વિડીયોમાથી બહાર કાઢી એમને વાંચન તરફ પાછા લઈ જવા માટે આ જ માત્ર એક ઉપાય છે. એવું મને લાગે છે. છતાં પણ જો તેમને ક્ષમા ન જ કરવું હોય તો મહેરબાની કરી  યોગ્ય પુરાવાઓ સાથે અમને csp8502@yahoo.com ઇમેઇલના માધ્યમથી સૂચિત કરે. જે રચનાઓના અહીં હોવા પર તેમના સર્જકો / પ્રકાશકો અથવા કોપીરાઈટ ધારકોને આપત્તિ હશે, એ રચનાઓને મારા આ બ્લોગ પરથી સાદર હટાવી દેવામાં આવશે.

વાઈબ્સ ગુજરાતી બ્લોગ એ અમારા જુના બ્લોગ શબ્દસરિતાનું નવું અને આધુનિક સંસ્કરણ છે. શબ્દસરિતા બ્લોગની શરૂઆત મેં એપ્રિલ 2013 થી કરેલી. અને એ સમયે એ બ્લોગ પર મેં જે પણ પોસ્ટ મૂકી હતી એ એના ઓરીજીનલ સોર્સની લિંક સાથે જ મૂકી હતી. માટે આ બ્લોગ પરની મોટા ભાગની પોસ્ટ સીધી જ જુના બ્લોગ પરથી કોપી કરીને મુકેલી છે. હવે એવુ બની શકે છે કે શબ્દસરિતા બ્લોગ પરની પોસ્ટ જે બ્લોગ પરથી લીધી હતી એ બ્લોગ જ હવે ડીલીટ થઇ ગયો હોય તો હું એનો સોર્સ ક્યાં શોધવા જાવ? અથવા એવુ પણ બને કે તે સમયે જ કોઈ કૃતિ મને વૉટ્સએપ કે અન્ય કોઈ મેસેજના માધ્યમથી મળી હોય જો આવું કંઈ પણ થયું હોય તો હું એ કૃતિના લેખક કે એના ઓરીજીનલ સોર્સને શોધવામાં અસમર્થ છું. માટે વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર જે પોસ્ટ કે કૃતિના લેખક કે ઓરીજીનલ સોર્સ આપને ના દેખાય તો સમજી લેવું કે તે ઉપલબ્ધ નથી. અથવા તે કૃતિ વૉટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મારાં સુધી આવી છે. અથવા તો જ્યાંથી એ લેવામાં આવ્યો છે એ બ્લોગ કે વેબસાઈટ હવે ડિલીટ થઇ ગઈ છે. તેથી રિપીટેશનને ટાળવા માટે અહીં દરેક વખતે દરેક પોસ્ટની નીચે વારંવાર “સોર્સ ઉપલબ્ધ નથી” એવુ લખીને અને એનું કારણ જણાવીને હું મારો તેમજ આપનો કિમતી સમય બરબાદ કરવા ઈચ્છતો નથી. આપમાંથી જો કોઈને વાઈબ્સ ગુજરાતી બ્લોગ પરની આવી અનાથ કૃતિના લેખક કે સોર્સ અંગે કોઈ માહિતી હોય અને આપ એ માહિતી અમારા સુધી પહોંચાડવા ઈચછતાં હોવ તો એની સત્યતાના જરૂરી પુરાવાઓ સાથે અમને ઉપર જણાવેલ ઇમેઇલ એડ્રેસ પર મને સૂચિત કરવું. જો આપનું સૂચન સત્ય હશે તો આપ દ્વારા આપેલ માહિતી સત્વરે બ્લોગ પર અપડેટ કરી દેવામાં આવશે.

વર્ડપ્રેસમાંથી બ્લોગર પર સીધા સ્વિચ થવાનો કોઈ ઓપ્શન નથી. જ્યારે બ્લોગર પરથી વોર્ડપ્રેસમાં જવા માટે સીધો ઓપ્શન છે. કદાચ કોઈ થર્ડ પાર્ટી ટૂલ દ્વારા એ શક્ય હશે પણ એ વિશે મેં વધુ સર્ચ નથી કર્યું કારણકે કદાચ કોઈ થર્ડ પાર્ટી ટૂલ મળી પણ જાય તો એ પેઈડ હશે. માટે મારે વર્ડપ્રેસમાંથી બ્લોગર પર જવા માટે મેન્યુઅલી દરેક પેઈજ અને પોસ્ટને કોપી પેસ્ટ કરવા પડ્યા છે. જેથી દરેક પેઈજ અને પોસ્ટ પ્રકાશિત થયાના જુના તારીખ અને સમય બદલાઈ ગયા છે. તેથી કોઈક પોસ્ટ અને પેઈજ જુના પણ હશે તો પણ તેના પર એપ્રિલ 2025 પહેલાની કોઈ તારીખ જોવા મળશે નહિ.

છતાં જો કોઈ સર્જક / પ્રકાશક / કોપીરાઈટ ધારકને મારા આ બ્લોગ પર તેમની રચના સંબંધે કોઈ પણ આપત્તિ કે વાંધો હોય તો તેમને વિનંતિ છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસના અવ્યવસાયિક ધ્યેય સાથે થતી આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, મારા દ્વારા થયેલી ભૂલને ક્ષમા કરે. છતાં પણ જો તેમને ક્ષમા ન જ કરવું હોય તો મહેરબાની કરી  યોગ્ય પુરાવાઓ સાથે ઉપર જણાવેલ ઇમેઇલ એડ્રેસ પર મને સૂચિત કરે. જે રચનાઓના અહીં હોવા પર તેમના સર્જકો / પ્રકાશકો અથવા કોપીરાઈટ ધારકોને આપત્તિ હશે, એ રચનાઓને મારા આ બ્લોગ પરથી સાદર હટાવી દેવામાં આવશે.

આ બ્લોગ પર આમતો કોઈ ફોટાઓ મુકવામાં આવ્યા નથી અને બ્લોગ પર ક્લીન ઇન્ટરફેશ જળવાઈ રહે એ હેતુથી મુકવાનો પણ કોઈ ઈરાદો નથી. પરંતુ ભવિષ્યમાં જો કોઈ ફોટાઓ કદાચ મુકવા પણ પડે તો મોટા ભાગના ફોટાઓ ગૂગલ ઈમેજીસ તેમજ બીજા શ્રોત માંથી લેવામાં આવ્યા હશે, અને જે તે ફોટા સાથે દરેક નો સ્ત્રોત પણ દર્શાવામાં આવ્યો હશે. અહીં ફોટાઓ નો ઉપયોગ કોઈપણ જાતના વ્યવસાયિક કે આર્થિક હેતુ વગર ફક્ત લખાણ સામગ્રી ને અનુરૂપ માહિતી દર્શાવા માટે થયો હશે. તેમ છતા પણ કોઈપણ ફોટા સાથે સંકળાયેલી વ્યક્તિ કે સંસ્થાને તેમના ફોટા નો કોપીરાઈટ ભંગ થતો લાગે તો યોગ્ય પુરાવાઓ સાથે ઉપર જણાવેલ ઈમેઈલ એડ્રેસ પર સંપર્ક કરી જાણ કરવા વિનંતિ. જે તે ફોટા ને સત્વરે દુર કરવામાં આવશે.

આ બ્લોગ પર જે પણ ઓડિયો પુસ્તકો મૂક્યા છે એ ક્રિએટિવ કૉમન્સ ઇન્ટરનેશનલ એટ્રિબ્યુટ 4.0 લાઇસન્સ અંતર્ગત અન્ય બ્લોગ કે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને મારા ક્લાઉડમાં અપલોડ કરીને એની લિન્ક આપને પૂરી પાડી છે. આવું કરવાનું મુખ્ય કારણ એટલું જ કે અન્ય બ્લોગ કે વેબસાઇટની ડાયરેક્ટ લિન્ક જો આપવામાં આવે તો એ વેબસાઇટ/બ્લોગ ડિલીટ થઈ જાય કઅથવા જે તે ઓડિયો કૃતિ એ વેબસાઇટ/બ્લોગ પરથી હટાવી દેવામાં આવે તો અહી વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પણ એ લિન્ક એક્સપાયર થઈ જાય છે. જેનાથી આ બ્લોગની પ્રતિભા ઓછી થાય છે. છતાં જો કોઈ સર્જક / પ્રકાશક / કોપીરાઈટ ધારકને મારા આ બ્લોગ પર તેમની રચના સંબંધે કોઈ પણ આપત્તિ કે વાંધો હોય તો તેમને વિનંતિ છે કે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને વિકાસના અવ્યવસાયિક ધ્યેય સાથે થતી આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, મારા દ્વારા થયેલી ભૂલને ક્ષમા કરે. પણ જો તેમને ક્ષમા ન જ કરવું હોય તો મહેરબાની કરી યોગ્ય પુરાવાઓ સાથે ઉપર જણાવેલ ઇમેઇલ એડ્રેસ પર મને સૂચિત કરે. જે રચનાઓના અહીં હોવા પર તેમના સર્જકો / પ્રકાશકો અથવા કોપીરાઈટ ધારકોને આપત્તિ હશે, એ રચનાઓને મારા આ બ્લોગ પરથી સાદર હટાવી દેવામાં આવશે.

ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછીના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. માટે આ કાયદા હેઠળ તેમજ ક્રિએટિવ કૉમન્સ ઇન્ટરનેશનલ એટ્રિબ્યુટ 4.0 અંતર્ગત આ બ્લોગ પર પ્રકાશિત થયેલ કૃતિ કે રચના સંદર્ભે કોઈને પણ કોઈ આપત્તિ ન હોવી જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...