મુખ્ય સામગ્રી પર જાઓ

બ્લોગરો માટેની આચાર સંહિતા

મિત્રો, બ્લોગ એ  પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગત સામે મુકવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. અને તેથીજ દરેક મોટા નેતાઓ  અને અભિનેતાઓ  પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.એક રીતે જોઈએ તો આ જાણકારી સ્વનિયંત્રણ નો જ એક પ્રકાર છે.

દરેક બ્લોગરોએ બ્લોગ અને પ્રકાશન વિશેના કાયદાઓ  જાણવા જોઈએ. અને તેના ઉલ્લંઘનથી બચવું જોઈએ. કાયદાનું ઉલ્લંઘન કરીને બનાવેલો બ્લોગ આપને કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. તો આજથી આપણે એક પ્રતિજ્ઞા કરીએ આજથી આપણે સૌ ફક્ત નિજાનંદ માટે જ સર્જન કરીશું અને સાથે સાથે એ ધ્યાન પણ રાખીશું કે આપણા બ્લોગની રચનાથી કોઈનું  અહિત તો નથી થતુને? 

ઘણા લોકો કોપીરાઈટ્સ એક્ટને ઝેર વિનાનો સાપ માને છે જે ભુલ ભરેલુ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા દંડ અને જેલ પણ હોઇ શકે છે. માટે બ્લોગ બનાવતા પહેલા દરેક બ્લોગરો માટે કેટલીક આચાર સંહિતા નક્કી થયેલી છે જેનું પાલન કરવું એ દરેક બ્લોગરોની ફરજ છે.

બ્લોગરો માટેની આચાર સંહિતા:

(1) 👉 બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. નેટ જગતમાં આવા કોપી પેસ્ટ વાળા બ્લોગને સમ્માનની નજરથી જોવામાં આવતા નથી. માટે દરેક બ્લોગરોએ અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું પોતાનું મૌલીક લખાણ જ બ્લોગ પર મૂકવું જોઈએ.

(2) 👉 અમુક બ્લોગરો પોતાનું મૌલીક લખાણ લખી શકતા નથી તો તેઓ જાણીતા લેખકોની કૃતિ તેમના  બ્લોગ પર પોસ્ટ કરી દે છે.જો આવું જ કરવું હોય તો જે તે લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ એક વહેવાર હોઇ શકે છે. પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ પોતાના બ્લોગ પરથી દુર કરવ. જોઈએ.

(3) 👉 જો બીજા કોઈ લેખકની લખેલી કૃતિઓ આપને ખરેખર ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને જ એને બ્લોગ પર મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. મોટાભાગે લેખકો પરવાનગી આપી જ દેતા હોય છે. પરંતુ તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ. બધાજ લેખકો પૈસાના ભૂખ્યા નથી હોતા ઘણા એવા લેખકો પણ મેં જોયા છે જે ભગવાનની જેમ ભાવ ના જ ભૂખ્યા હોય. આવા લેખકોને માટે પોતાની કૃતિ વધુમાં વધુ લોકો વાંચે એજ મુખ્ય બાબત હોય છે પૈસો એમના માટે ગૌણ વસ્તુ છે.

(4) 👉 બલોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોય છે, તેમજ બ્લોગીંગમાં પણ તે નિંદનીય જ છે. તેને લખનારો લેખક અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી જ શકે છે. માટે આવા ગંદા લખાણોથી દૂર રહેવું જોઈએ.

(5) 👉 જો આપ આપના બ્લોગ પર લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકવા ઈચછતાં હોવ તો ધ્યાન રાખો કે તમારા દ્વારા મુકવામાં આવેલા ચિત્રો પોતાના જ હોવા જોઈએ. જો પોતાના ન હોય તો બીજાના પણ વાપરી શકાય છે. પરંતુ તે માટે તેને યોગ્ય ક્રેડિટ આપવી જોઈએ અને તે જ્યાંથી લેવામાં આવ્યું હોય તેના સ્ત્રોતની લિન્ક સાથે દર્શાવવી જરૂરી છે.

(6) 👉 લખાણને  યોગ્ય કેટેગરીમાં વિભાજીત કરીને મુકો અથવા એ લેખને લગતા લેબલ કે ટેગ્સ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે આવા લેબલ, ટેગ્સ અને કેટેગરી જરૂરી છે. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો 

(7) 👉 માણસ માત્ર ભૂલને પાત્ર. જયારે કોઈ બ્લોગ લખતું હોય ત્યારે જોડણી અથવા ટાઈપની ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં એક વાર જોડણીની ભૂલો સુધારી જોઈએ. લખાણને અનુરૂપ શીર્ષક આપવું જોઈએ. શીર્ષકમાં બને તેટલા ઓછા વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિકબેઇટ શીર્ષક કે થંબનેઇલથી દૂર રહેવું જોઈએ.

(8) 👉 અત્યારે AI નો યુગ ચાલે છે. આજના જનરેશનના ઘણા બ્લોગરો જલ્દી પૈસા કમાવવાની લાલચમાં ચેટ જીપિટી પાસે કન્ટેન્ટ લખાવી બ્લોગ પર પોસ્ટ કરવા માંડે છે. પણ આવા એ આઈ જનરેટેડ બ્લોગ કોઈ સર્ચ એન્જિનમાં રેન્ક થતા નથી. અને વર્ડપ્રેસ તેમજ બ્લોગર જેવી સર્વિસીસ આવા બ્લોગને મોનેટાઈઝ થવા દેતા નથી. માટે બ્લોગ પરથી પૈસા કમાવાના ઉદ્દેશય ઉપર પાણી ફરી વળે છે. બ્લોગની રચના પાછળ અપનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવાનો હશે તો આપ ગુણવત્તાયુક્ત લખાણ આપી શકશો જ નહિ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...