મુખ્ય સામગ્રી પર જાઓ

બ્લોગરો માટેની આચાર સંહિતા

મિત્રો, બ્લોગ એ  પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગત સામે મુકવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. અને તેથીજ દરેક મોટા નેતાઓ  અને અભિનેતાઓ  પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.એક રીતે જોઈએ તો આ જાણકારી સ્વનિયંત્રણ નો જ એક પ્રકાર છે.

દરેક બ્લોગરોએ બ્લોગ અને પ્રકાશન વિશેના કાયદાઓ  જાણવા જોઈએ. અને તેના ઉલ્લંઘનથી બચવું જોઈએ. કાયદાનું ઉલ્લંઘન કરીને બનાવેલો બ્લોગ આપને કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. તો આજથી આપણે એક પ્રતિજ્ઞા કરીએ આજથી આપણે સૌ ફક્ત નિજાનંદ માટે જ સર્જન કરીશું અને સાથે સાથે એ ધ્યાન પણ રાખીશું કે આપણા બ્લોગની રચનાથી કોઈનું  અહિત તો નથી થતુને? 

ઘણા લોકો કોપીરાઈટ્સ એક્ટને ઝેર વિનાનો સાપ માને છે જે ભુલ ભરેલુ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા દંડ અને જેલ પણ હોઇ શકે છે. માટે બ્લોગ બનાવતા પહેલા દરેક બ્લોગરો માટે કેટલીક આચાર સંહિતા નક્કી થયેલી છે જેનું પાલન કરવું એ દરેક બ્લોગરોની ફરજ છે.

બ્લોગરો માટેની આચાર સંહિતા:

(1) 👉 બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. નેટ જગતમાં આવા કોપી પેસ્ટ વાળા બ્લોગને સમ્માનની નજરથી જોવામાં આવતા નથી. માટે દરેક બ્લોગરોએ અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું પોતાનું મૌલીક લખાણ જ બ્લોગ પર મૂકવું જોઈએ.

(2) 👉 અમુક બ્લોગરો પોતાનું મૌલીક લખાણ લખી શકતા નથી તો તેઓ જાણીતા લેખકોની કૃતિ તેમના  બ્લોગ પર પોસ્ટ કરી દે છે.જો આવું જ કરવું હોય તો જે તે લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ એક વહેવાર હોઇ શકે છે. પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ પોતાના બ્લોગ પરથી દુર કરવ. જોઈએ.

(3) 👉 જો બીજા કોઈ લેખકની લખેલી કૃતિઓ આપને ખરેખર ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને જ એને બ્લોગ પર મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. મોટાભાગે લેખકો પરવાનગી આપી જ દેતા હોય છે. પરંતુ તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ. બધાજ લેખકો પૈસાના ભૂખ્યા નથી હોતા ઘણા એવા લેખકો પણ મેં જોયા છે જે ભગવાનની જેમ ભાવ ના જ ભૂખ્યા હોય. આવા લેખકોને માટે પોતાની કૃતિ વધુમાં વધુ લોકો વાંચે એજ મુખ્ય બાબત હોય છે પૈસો એમના માટે ગૌણ વસ્તુ છે.

(4) 👉 બલોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોય છે, તેમજ બ્લોગીંગમાં પણ તે નિંદનીય જ છે. તેને લખનારો લેખક અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી જ શકે છે. માટે આવા ગંદા લખાણોથી દૂર રહેવું જોઈએ.

(5) 👉 જો આપ આપના બ્લોગ પર લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકવા ઈચછતાં હોવ તો ધ્યાન રાખો કે તમારા દ્વારા મુકવામાં આવેલા ચિત્રો પોતાના જ હોવા જોઈએ. જો પોતાના ન હોય તો બીજાના પણ વાપરી શકાય છે. પરંતુ તે માટે તેને યોગ્ય ક્રેડિટ આપવી જોઈએ અને તે જ્યાંથી લેવામાં આવ્યું હોય તેના સ્ત્રોતની લિન્ક સાથે દર્શાવવી જરૂરી છે.

(6) 👉 લખાણને  યોગ્ય કેટેગરીમાં વિભાજીત કરીને મુકો અથવા એ લેખને લગતા લેબલ કે ટેગ્સ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે આવા લેબલ, ટેગ્સ અને કેટેગરી જરૂરી છે. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો 

(7) 👉 માણસ માત્ર ભૂલને પાત્ર. જયારે કોઈ બ્લોગ લખતું હોય ત્યારે જોડણી અથવા ટાઈપની ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં એક વાર જોડણીની ભૂલો સુધારી જોઈએ. લખાણને અનુરૂપ શીર્ષક આપવું જોઈએ. શીર્ષકમાં બને તેટલા ઓછા વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિકબેઇટ શીર્ષક કે થંબનેઇલથી દૂર રહેવું જોઈએ.

(8) 👉 અત્યારે AI નો યુગ ચાલે છે. આજના જનરેશનના ઘણા બ્લોગરો જલ્દી પૈસા કમાવવાની લાલચમાં ચેટ જીપિટી પાસે કન્ટેન્ટ લખાવી બ્લોગ પર પોસ્ટ કરવા માંડે છે. પણ આવા એ આઈ જનરેટેડ બ્લોગ કોઈ સર્ચ એન્જિનમાં રેન્ક થતા નથી. અને વર્ડપ્રેસ તેમજ બ્લોગર જેવી સર્વિસીસ આવા બ્લોગને મોનેટાઈઝ થવા દેતા નથી. માટે બ્લોગ પરથી પૈસા કમાવાના ઉદ્દેશય ઉપર પાણી ફરી વળે છે. બ્લોગની રચના પાછળ અપનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવાનો હશે તો આપ ગુણવત્તાયુક્ત લખાણ આપી શકશો જ નહિ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...