મુખ્ય સામગ્રી પર જાઓ

મારી સાથે જોડાઈને બ્લોગના વિકાસમાં આપનું યોગદાન આપો

 જો આ બ્લોગ આપને પસંદ આવ્યો હોય, અને આ બ્લોગમાં મારી સાથે જોડાઈને આપ બ્લોગના  વિકાસમાં પોતાનું યથાશક્તિ જે પણ યોગદાન આપવા માંગતા હોવ તો અહી આપનું સ્વાગત છે. આ બ્લોગને પોતાનો જ બ્લોગ સમજો. આપણે સૌ સાથે મળીને એક ટીમ બનાવી આ બ્લોગને બને એટલો આગળ વધારી શકીશું. કારણકે એ જરૂરી નથી કે મને બધુ જ આવડતું હોય. મારાથી જેટલું થઈ શકે એટલું હું કરું છુ. એવું પણ બની શકે કે આ વિષયમાં મારા કરતાં આપને વધુ ફાવટ આવતી હોય. જો એવું હોય તો આપ મારી સાથે જોડાઈને આ બ્લોગના વિકાસમાં મને સહયોગ આપી શકો છો. અને આપણે સાથે મળીને આ બ્લોગને ફક્ત મારો જ બ્લોગ ન રહેવા દેતાં એક વિશાળ અને સર્વનો પ્રિય બ્લોગ બનાવી શકીશું. 

મારી સાથે જોડાઈને આપ અહી નીચે દર્શાવેલી બાબતોમાં મને મદદરૂપ થઈ શકો છો. 

👉જો આપને ગુજરાતી ટાઈપિંગ આવડતું હોય તો મારી પાસે આ બ્લોગ પર મૂકવા હજુ ઘણું બધુ હસ્તલિખિત મટિરિયલ છે જેના ફોટોગ્રાફ આપને મોકલીશ એને આપ માઈક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સ બંને માથી આપને જે ફાવતું હોય એમાં ટાઈપ કરી મને આપી શકો છો.

👉 જો આપનો અવાજ સુંદર હોય અને આપ કોઈપણ વાર્તા, નવલકથા કે લેખોનું વોઇસ ઓવર કરવા ઇચ્છતા હોવ તો એમાં પણ આપ મને ઉપયોગી થઈ શકો છો.

👉 જો આપ ગુજરાતી સાહિત્યમાં આપનું કોઈ મૌલિક સર્જન કરતા હોવ જેવું કે ટૂકી વાર્તા, લેખ, નવલકથા ગઝલ, નિબંધ, નાટક, કાવ્ય, કે અન્ય કોઈપણ વિષય હોય તો આપ આપની એ કૃતિ આપણા આ વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર પ્રકાશિત કરાવી શકો છો. એ કેવી રીતે પ્રકાશિત કરાવવી એ જાણવા માટે અહી ક્લિક કરો.

👉 જો આપને પ્રૂફ રીડિંગ કે અન્ય કોઈ પણ ટેક્સ્ટ એડિટિંગનું કામ ફાવતું હોય તો આપ એ પણ કરી શકો છો.

👉 જો આપ પૈસા આપી આર્થિક રીતે મને આ સેવાના કામમાં સહકાર આપવા માગતા હોવ તો એ પણ આપી શકો છો.

👉 જો આપને ઉપરના માથી કોઈ કામ ન ફાવતું હોય તો આપ બીજી રીતે પણ પોતાનું યોગદાન આપી શકો છો. જેમકે, આપના સંપર્કમાં કોઈ લેખક હોય તો એમને આ બ્લોગ પર પોતાની કૃતિ પ્રકાશિત કરાવવા પ્રોત્સાહિત કરી શકો છો. આપના સંપર્કમાં સારા વાચકો હોય તો એમને આ બ્લોગ વાંચવા માટે સૂચન કરી શકો છો. આપના સંપર્કમાં ઉપર જણાવેલ કામો કરી શકે એવા લોકો હોય તો આપ એમને પણ આ બ્લોગ સાથે જોડી શકો છો.

👉 ઉપર જણાવેલ બાબતો સિવાય આપની પાસે બીજી કોઈ નવી આઇડિયા હોય, અથવા કોઈ અન્ય રીતે આપ આ બ્લોગના વિકાસમાં ઉપયોગી થઈ શકતા હોવ કે પછી આ બ્લોગમાં આપને  કોઈ સુધારાની જરૂર જણાતી હોય તો આપ આપનું કીમતી સૂચન પણ મને આપી શકો છો. 

👉 મારી સાથે જોડાતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ બ્લોગ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે. તેમજ આ બ્લોગ કોઈ પણ પ્રકારના આર્થિક ઉદ્દેશથી પ્રકાશક તરીકે કામ કરતો નથી. તેથી મારી સાથે જોડાયા બદલ આપની સાથે નાણાની કોઈપણ પ્રકારે લેવડ દેવડ કરવામાં આવશે નહિ. તેમજ ઉપર જણાવેલ કામો કરવાનું આપને કોઈ વળતર પણ આપવામાં આવશે નહીં. કારણકે મને પોતાને પણ આ બ્લોગમાથી કોઈ જ આવક પ્રાપ્ત થતી નથી. આ બ્લોગને કમાણી માટે મોનેતાઈજ પણ કરેલો નથી. તેમજ આ બ્લોગ સાથે એડ સેન્સ જોડી એડ દ્વારા પણ કોઈ કમાણીનો વિકલ્પ ચાલુ રાખ્યો નથી. માટે જોડાયા પછી વળતર માટે કોઈએ તકરાર કરવી નહીં. મારી સાથે જોડાઈને આપ આપનું નામ, આપનું કામ, અને આપના વિચારો વિશ્વના દરેક ગુજરાતીઓ સુધી પહોચાડી મારી જેમ જ ફક્ત એક ખ્યાતિ પ્રાપ્ત કરી શકશો.

👉 મારી સાથે જોડાતા પહેલા અહી ક્લિક કરી આ બ્લોગની રચનાનો મુખ્ય ઉદ્દેશ, તેમજ  આ બ્લોગના કોપીરાઇટ્સ, તેમજ બ્લોગરો માટેની આચાર સંહિતા વિષે બરાબર જાણી લો.

જો ઉપરની દરેક શરતો આપને માન્ય હોય તો આપ કોઈપણ કામ માટે csp8502@yahoo.com ઈમેલ આઈડી પર ઈમેલના માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. આપને પણ  ઈમેલના મધ્યમથી જ ચોક્કસ પણે પ્રત્યુત્તર આપવામાં આવશે. ઈમેલમાં આપનું પૂરું નામ અવશ્ય લખવું.  જો આપ ફોન કોલ પર મારી સાથે વાત કરવા ઇચ્છતા હોવ, તો ઈમેલમાં આપનો ભારતીય મોબાઈલ નંબર અવશ્ય લખવો.

આભાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...