મુખ્ય સામગ્રી પર જાઓ

આપણી એન્ડરોઈડ એપ ઇન્સ્ટોલ કરી નિરાંતે વાંચો

 સામાન્ય રીતે કોઈ બ્લોગ આપણને પસંદ આવ્યો હોય તો એને રોજ નિયમિત વાંચવા માટે આપણે એનું URL આપણે સેવ કરવું પડે છે અથવા એ બ્લોગની લિંક કોઈ પણ બ્રાઉઝરમાં બુક માર્ક કરીને રાખવી પડે છે. પરંતુ વાઈબ્સ ગુજરાતી બ્લોગમાં તમારે એવુ કરવાની કોઈ જરૂર નથી. કારણકે વાઈબ્સ ગુજરાતી બ્લોગની પોતાની એક એન્ડરોઈડ એપ લોન્ચ કરેલી છે. જેને આપના ફોનમાં ઇન્સ્ટોલ કરી આપ નિરાંતે વાચી શકો છો.

એપ ઇન્સ્ટોલ કરવાના ફાયદા 

👉 વારંવાર બ્રાઉઝર ખોલીને URL ન નાખવું પડે 

👉 બ્રાઉઝરની તુલનાએ વાંચવામાં સરળ મોટા ફૉન્ટ છે.

👉 બ્રાઉઝરમાં ટાસ્કબાર સફેદ કલરનો હોય છે જે વાંચવામાં ડિસ્ટર્બ કરે છે જયારે એપમાં એ પણ બ્લેક છે. 

👉 ટોટલી ડાર્ક થીમને સપોર્ટ કરે છે જેથી વધુ આંખ ખેચાતી નથી.

👉 એપમાં કોઈ જ ફાલતુની પરમિશન એલાઉં કરવાની જરૂર નથી. તેમજ એપમાં કોઈ ફાલતુના નોટિફિકેશન પણ આવશે નહિ.

👉 એપ આપના ફોનને કોઈ પણ રીતે ટ્રેક કરશે નહીં કે કોઈ પણ પ્રકારના ડેટા કલેક્ટ કરશે નહીં.

👉 એપમાં કોઈપણ ટ્રેકર કે લોગર કે એડસેન્સ લગાડેલા નથી. 

👉 એપમાં કોઈપણ એડ કે જાહેરાત પણ આવશે નહીં. કારણકે એડ બતાવીને પૈસા કમાવાનો પણ મારો કોઈ ઉદ્દેશ નથી.

👉 એપનું ભવિષ્યમાં કોઈ અપડેટ પણ આવશે નહીં.

👉 100% સેફ અને વાંચનને ધ્યાનમાં લઈને આ એપ બનાવવામાં આવેલી છે. જે આપના વાંચનના અનુભવોને વધુ બહેતર બનાવશે.

નોંધ: 

આ એપને ગુગલ પ્લે સ્ટોર પર નથી મુકેલી. કારણકે ગૂગલ પ્લે સ્ટોર પર એપ મૂકવા માટે ખર્ચ થાય છે. અને વાઈબ્સ ગુજરાતી બ્લોગ એ માતૃભાષા ગુજરાતીને વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓ સુધી ઈન્ટરનેટ નાં માધ્યમથી પહોચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે એટલે એપને પ્લે સ્ટોર પર મૂકવાને બદલે એની APK ફાઇલ મારા પર્સનલ ક્લાઉડ સ્ટોરેજમાં મૂકેલી છે જેની ડાઉનલોડ લિન્ક આપને અહી આપું છુ. તેથી આપના  ફોનમાં unknown sources ઓન કરવાનું તમને પૂછી શકે છે. ઘણા ફોનમાં આ એપ harmful છે એવુ પણ બતાવશે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમકે ગૂગલ એના પ્લે સ્ટોરની એપને જ સારી ગણે છે. જે પ્લે સ્ટોર પર નથી એ બધી એપ ગુગલને માટે harmful જ છે. માટે ચિંતા કર્યા વગર એપની APK ફાઈલ ડાઉનલોડ કરી આપના ફોનમાં બિન્દાસ્ત ઇન્સ્ટોલ કરો એ આપના વાંચનના અનુભવોને વધુ બહેતર બનાવશે. 

જોકે એપ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત નથી. એ આપની મરજી પર આધાર રાખે છે. એપ વગર પણ બ્લોગ વાચી જ શકાય છે. અને એપ ઇન્સ્ટોલ કરવાથી મને પણ કોઈ પૈસા મળતા નથી. માટે હવે એપ ડાઉનલોડ કરવી કે નહીં એ સંપૂર્ણ નિર્ણય આપનો રહેશે. 

આ એપ બનાવવા માટે મે 39 ડોલરનો ખર્ચ કર્યો છે. જો આપ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર મૂકાવવા ઇચ્છતા હોવ તો એમાં બીજો 29 ડોલરનો ખર્ચ થાય છે જે આપ આ બ્લોગના વિકાસ પેટે દાન સ્વરૂપે આપશો તો એપ આપના નામ સાથે આપના સૌજન્યથી પ્લે સ્ટોર પર મૂકવામાં આવશે. જેથી કરીને આપને પણ ઉચિત શ્રેય મળતો રહેશે. અન્યથા આ APK ફાઇલ વડે પણ એપ ઇન્સ્ટોલ કરી જ શકાય છે. દાન આપવા માટે મને csp8502@yahoo.com ઈમેલ પર સંપર્ક કરવો. ધન્યવાદ.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...