મુખ્ય સામગ્રી પર જાઓ

૩ ઇતિહાસના અક્ષરો

'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ બુદ્ધિ ઢોળી નાંખી કોઈ કહેશે.'

⁠'કહેનારની બુદ્ધિ ઢોળાઈ ગઈ હશે તો મ્હને એવું કહેશે. હા, અમારે ત્ય્હાં વિમાને હતાં ને Vireless હતા. ત્રીશેક વર્ષો ઉપર અમારા પુષ્પક વિમાનને કવિની કલ્પના કહી હસતા'તા. આજે હસોને હવે ! હસનારાંનાં ઉપહાસ થયાં. હા-હા ; અમારા સાહિત્યમાં હતું એ આજના યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં હજી તો નથી.'

⁠'શું શું યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં નથી ?'

⁠'વઘારનું ઇંગ્રેજી શું ? કહે. ઇંગ્રેજી સાહિત્યમાં વઘાર જ નથી-વઘાર.'

⁠'આપણે તો માનસશાસ્ત્ર-Psychology અને વિજ્ઞાનશાસ્ત્ર-Science ની વાતો ચાલે છે. યૂરોપમાં યે માનસશાસ્ત્રનો હજી બાલ્યકાળ છે. આપણે ત્ય્હાં માનસશાસ્ત્ર હતું ?'

⁠'અધ્યાત્મના સાગરની પાળે પશ્ચિમ હજી પગ પ્‍હલાળે છે. જેમ્સ હજી માનસશાસ્ત્રને શરીરશાસ્ત્ર-Phisiology માંથી જન્માવે છે. માનસશાસ્ત્રનો એડિસન ત્ય્હાં જન્મતાં હજી બે સૈકા જોઈશે. યૂરોપઅમેરિકામાં લખાયેલાં ઉપનિષદો કિયાં ?' ⁠ ​⁠'ઉપનિષદ નામ સાંભળ્યું છે કે છાપેલું પુસ્તક દીઠું છે ? '

⁠'તો કહેને : યૂરોપરચિત બાઈબલ કે કોરાન કે ધમ્મપદ કે ભગવદ્‌ગીતા કઈ ? યૂરોપ‌અમેરિકાને ખોળે ધર્મસંસ્થાપક કિયો જન્મ્યો ? યૂરોપ‌અમેરિકાને એશિયા જેટલી પવિત્ર ભૂમિ કિયા પયઘમ્બરે માની ? '

⁠'એ તો ખરૂં. યૂરોપમાં પયઘમ્બર જન્મ્યો નથી, કે ધર્મશાસ્ત્ર કો રચાયું નથી. '

⁠'એટલું યે સાચું બોલવાને માટે ત્હને શાહબાશ છે. જો, વળી હસતો નહિ હો ! એક સાક્ષર શ્રી કહેતા'તા કે ઇંગ્રેજીમાં Home શબ્દ છે એવો ગુજરાતીમાં શબ્દ નથી; કારણ કે આપણે ત્ય્હાં એ ભાવના નહોતી. હસે નહિ તો એમનું ન્યાયબાણ એમને પાછું વાળું. ઇંગ્રેજી ભાષામાં પાપને માટે સુવાંગ શબ્દ છે Sin. એવો પુણ્યને માટે સુવાંગ શબ્દ કિયો ? એ સાક્ષરશ્રી એમ કહેશે ખરા કે ઇંગ્રેજ પ્રજામાં પાપની ભાવના છે, પુણ્યની ભાવના જ નથી ? ને પોતાની સાક્ષરતાને હસાવશે ? '

⁠અમે બન્દરકાંઠે આવી પહોંચ્યા, અમે બન્ને યે ધર્મ તો ધર્મશાસ્ત્રોની સાથે કબાટમાં મૂક્યો હતો. પણ એમનું કુટુંબ ધર્મશીલ હતું ને દ્વારકા યાત્રાએ જતું હતું. અમે વળાવવા આવ્યા હતા. યાત્રાળુઓને વળાવવા આવવા જેટલો ધર્મ હજી અમારામાં રહ્યો હતો.

⁠પણ એ એમના કુટુંબને વળાવવા આવ્યા હતા ? કે યાત્રાળુઓને ? એ પણ માનસશાસ્ત્રનો ? ત્ય્હારે પ્રશ્ન હતો. ​માનસશાસ્ત્ર વિકાસ પામશે ત્ય્હારે ઉત્તર આપશે.

⁠'આવ્યા ? આવો, મછવો આગબોટે જવાને અધીરો થયો છે. ત્હમારી જ વાટજૂવે છે. '

⁠'પણ અમારે કાંઇ આવવું નથી ?'

⁠'એટલું તો મછવો પણ જાણે છે. પણ ત્હમે વળાવવાને આવવાના હતા એટલે થોભાવ્યો. '

⁠'સારૂં કીધું. દર્શન કરતાં સંભારજો.'

⁠મ્હેં પણ ટહુકો પૂર્યો : 'દ્વારકાધીશને બે નમણો અમારી વતી વધુ કરજો. ગોમતીસ્નાન વેળાએ પણ સંભારજો.'

⁠એ હસ્યો, 'એટલે ત્હારૂં સ્નાન વદે-એમ ને ? એ ખાય તો ત્હરે કેમ ચાલતું નથી?-પણ, હો ! મીરાંબા ભગવાનમાં સમાયાં હતાં એમ સમાઈ મા રહેતાં ત્ય્હાં.'

⁠'ભગવાન મ્હારા દિલમાં સમાય ત્હો યે બહુ છે. ' એમનાં ભાવિક પત્નીએ ઉત્તર દીધો. ' બોડાણો લઈ આવ્યો હતો એમ લાવીને ત્હમને સોપું કે લ્યો : તો ? '

⁠ત્હેણે કહ્યું : ત્હમારા ભગવાને જબરા. નિત્યનિત્ય કોઈ લઈ જાય ત્હો યે ત્ય્હાંના ત્ય્હાં.

⁠એનાં પત્નીએ કહ્યું :

⁠'તુલસી ! પંછિનપાંખસે ખૂટે ન સાયરનીર.

⁠અમારા ભગવાન સાગર જેવા. સારૂં જગત હૈયાની અંજલિ અંજલિ મંહીથી ભરી જાય ત્હો યે ભર્યા ભર્યા ગાજે. '

⁠મ્હેં કહ્યું : 'હિન્દમાં બાઈઓ યે ઉપનિષદ બોલે છે ! પૂર્ણમાંથી પૂર્ણ લે, ત્હો યે અવશેષ પૂર્ણ ર્‌હે '

​⁠એણે કહ્યું : ઓ ત્હારી ! આ તો Psychology આવી !

⁠મ્હેં કહ્યું : ના, Psychology નહિ, આ તો Science : Nature suffers no vaaccum.

⁠'અરે! રોજ અમારા પ્રોફેસર વેકયૂમનો પ્રયોગ કરે છે.'

⁠'પ્રોફેસરના મસ્તકમાં વેક્યૂમ થયું હોય તો ભલે.'

⁠'આવજો' 'સંભારજો' 'દર્શન કરજો;' મછવામાંથી ને સાગરકાંઠેથી શબ્દોની ને ભાવનાઓની લેવડદેવડ ચાલી. એણે યાત્રિકાને કહ્યું : બાળકોને સાચવજે.

⁠અન્ધારી પડતી રાત હતી. આઠેક વાગ્યા હશે. અરબ્બી સમુદ્ર વિસ્તરીને નિસ્સીમ પડ્યો હતો. ઉપર અન્ધારચન્દરવા સમો અન્ધકારનો ચન્દરવો લટકતો. સાગરમાં ને અન્ધકારમાં મછવો અલોપ થયો.

⁠પૂતળા જેવો એ તો પાછળ જોતો ઉભો હતો.

⁠દરિયાનાં મોજાં આવતાં, નીચે અથડાતાં, ને ભાગી જતાં : એમની જાણે એ વાતો સાંભળતો હતો.

⁠મ્હેં પૂછ્યું : કેમ, ચાલશું ?

⁠એ જાગી ગયો.

⁠'પણ આ મછવો ચાલ્યો ત્ય્હારે એક પડખે નમ્યો'તો. કિનાર લગભગ સાગરજલને અડકી'તી.'

⁠'તો ત્હારે મછવો હંકારવા જવું'તું ને ?'

⁠'ના, પણ હેમખેમ તો આવશે ને ?'

​⁠'બાદશાહી ઝમાનામાં બાદશાહ સલામતનો જાપ અમીરો જપતા. તું યે ગાતો ફર God save may Queen.

⁠'જા, જા; ગંભીર ઘડીઓમાં યે મશ્કરી ?'

⁠'સાગરની સફર કરી છે કદ્દી ?'

⁠'ના, આ પહેલી જ છે મ્હારી કે એમની.'

⁠'ત્ય્હારે આ ક્ષણની ગંભીરતા સ્હમજાય છે. સાગરના અન્ધકારને ત્હારૂં સર્વસ્વ આ પહેલી જ વાર ત્હેં સોંપ્યું; એમાં આટઆટલી ચિન્તાની દીનતા શી ? '

⁠'પણ પાછાં ધરતીઆરે-'

⁠'એટલે ?'

⁠'વિજળી આગબોટ ડૂબી'તી-'

⁠' હા, ડૂબી'તી. કેટલાં વર્ષે કેટલી આગબોટો ડૂબી ? મોટરમાં રોજ રોજ મરે છે તેથી મોટરમાં બેસતો મા. મોટરોના થાય છે એથી સાગરના ઓછા અકસ્માત થાય છે.'

⁠ત્હો ય એના વદને અન્ધકાર છવાયેલો હતો.

⁠મ્હેં કહ્યું : 'આ ત્હારી ચિન્તા શાસ્ત્રીય છે.'

⁠'અમારા માનસશાસ્ત્રીઓ તો કહી ગયા છે કે स्नेहमूलं चिन्ता; ચિન્તાનો જનક સ્નેહ છે.'

⁠'વળી ત્હારું વૈદવારાનું માનસશાસ્ત્ર; પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ. વર્તમાન માનસશાસ્ત્રની તોલે-'

⁠'હવે જીભને વારીશ ? કહું ? 'બાળકોને સંભાળજે' એ ત્હેં કહ્યું ને મ્હેં કેમ ન કહ્યું ?'

​⁠'ત્હારૂં કુટુંબ ન્હોતું જતું ને મ્હારૂં કુટુંબ જતું હતું, માટે.'

⁠'ખ-અ-રૂં. એટલે જ પાંચ હજાર વર્ષોનું જીર્ણશીર્ણ અમારૂં માનસશાસ્ત્ર આજે યે સાચું છે કે स्नेहमूलं चिन्ता. ત્હને ચિન્તાએ ઘેર્યો; મ્હને વિચાર આવી વિશમ્યા; માલમનું પોપચું યે ન્હોતું ફરક્યું.'

⁠'હા સ્તો. દાક્તર દરદીને ચીરે ત્ય્હારે આંગળી યે કય્હાં ફરકે છે ?'

⁠'દાક્તર એના પુત્રને કે પત્નીને નસ્તર મૂકે જો ! स्नेहमूलं चिन्ताનું સૂત્ર તરત સિદ્ધ કરે.'

⁠'એટલે ત્હારે કહેવું છે શું ?'

⁠'મ્હારે તો એટલું જ કહેવું છેકે એ છે કે ઇતિહાસના અક્ષરો, ઉકલે તો ઉકેલજો. ગ્રીક લિપિ વાંચતાં ન આવડે તો 'લખ્યું જ નથી' એમ કહેશો મા. ઇતિહાસના અક્ષરો સહુને ન ઉકલે. ત્હો યે ધરતીને પાટે ને પર્વતની છાટે એ આંકડા કોતરાઈને પડેલા છે. દેશદેશની યુગયુગની પ્રજાપ્રજાની Comparative History વાંચે એ કાળવેત્તા ઇતિહાસનો આચાર્ય. હાથી કે સિંહ યૂરોપ-અમેરિકામાં પાકતા નથી એ ઇતિહાસના અક્ષરો ભૂંસ્યા ભૂંસાશે ?'

⁠'પયઘમ્બરોએ પણ એશિયાનો પક્ષપાત કીધો.'

⁠'માનવજાતે ઉકેલવાના છે એ ઇતિહાસના અક્ષરો.'

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...