મુખ્ય સામગ્રી પર જાઓ

૧૧ ચંદુલાલ અને બાજપક્ષી

 હે સુંદરી! પૂર્વે મહાસાગર નામક નગરમાં ચંદુલાલ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેને મૃગયાનો એટલો બધો છંદ લાગ્યો હતો કે જેનો અવધિ થએલો જ કહી શકાય. એક દિવસ તે અરણ્યમાં મૃગયા કરતો કરતો પોતાના સૈન્યથી જૂદી પડી આગળ વધીને પુરંદર નામના વનમાં આવી લાગ્યો. મધ્યાહનો સમય હોવાથી તે તૃષાથી મહાવ્યાકુળ થયો અને તેથી એક ટેકરી પર ચઢીને આસપાસ ક્યાંય પાણી​હોય તો તેનો શોધ કરવા લાગ્યો. એટલામાં એક વૃક્ષમાંથી પાણીનાં બિંદુ ટપકતા તેના જોવામાં આવ્યા, એટલે તે સ્થળે જઈ ઝાડનાં પાંદડાનો એક દડિયો બનાવી તેની નીચે ધરીને થોડુંક પાણી તેણે એકઠું કર્યું. એટલામાં તેની સાથે શિકારી બાજપક્ષી હતો તેણે ઝડપ મારીને તે પાણી ઢોળી નાખ્યું. રાજાને ક્રોધ તો થયો, પણ ક્રોધને શમાવીને પાછો તેણે પડિયો ધર્યો અને થોડું જળ એકત્ર કર્યું; પણ પુનઃ તે બાજપક્ષીએ તે પડિયાને ઉંધો વાળી પાણી ઢોળી નાખ્યું. એ વેળાએ રાજાનો કોપ અનિવાર્ય થવાથી તેણે તે પક્ષીને પકડીને તત્કાળ તેનો ઘાત કરી નાખ્યો, અને ત્રીજીવાર પડિયાને તે ટપકતા જલબિંદુ નીચે રાખ્યો. એ પછી રાજાના મનમાં અચાનક વિચાર આવ્યો કે, બાજપક્ષીએ બે વાર પાણી ઢોળી નાખ્યું તેનું કારણ શું વારૂ? જરા તપાસ તો કરવો જ જોઈએ. એમ વિચારીને તે તપાસ કરવા લાગ્યો એટલે ઝાડ પર એક મોટો નાગ આડો પડ્યો છે અને અત્યંત ઉષ્ણતા થવાથી મોઢું નીચું કરી ઝેરી લાળ ટપકાવે છે, એવો દેખાવ તેના જોવામાં આવ્યો. આ દેખાવ જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયો અને વૃક્ષ પરથી નીચે ઉતરી બાજ પક્ષીના મુખને ચૂમતો બોર બોર જેવડાં આંસુ વર્ષાવીને રોવા લાગ્યો. અને મનમાં કહેવા લાગ્યો કે;-“આજે જો આ પક્ષી મારી સાથે ન હોત, તો આ સર્પવિષના પ્રાશનથી અવશ્ય મારો નાશ થઈ જાત !” એ પછી એ રાજા જ્યાં સુધી જીવ્યો ત્યાંસુધી તે પક્ષીનો સર્વ કાળ ઉપકાર માનીને શોક કર્યા કરતો હતો. તે જ પ્રમાણે હે પ્રિયતમે ! જો તું મને મારી નાખીશ, તો તું પણ અત્યંત પશ્ચાત્તાપમાં પડી જઈશ; અને મને જો આ બંધમાંથી મુકત કરી જીવનદાન આપીશ, તો તારૂં કલ્યાણ થઈ જશે.”

આ વાર્તાનું તે વેશ્યાના હૃદયમાં કાંઈ પણ પરિણામ ન થતાં તે બાજઠ પરથી ઉઠી તલવાર ઉગામીને પુનઃ તેનું ગળું રેંસવાને આગળ વધી એટલે પુન: તે પરાધીન અને નિરાધાર રાજકુમાર તેને અનેક પ્રકારે પ્રાર્થના કરીને જીવનનું તેની પાસેથી દાન માગવા લાગ્યો.

X X X

અનંગભદ્રા અને મારો આટલો વાર્તાલાપ ચાલ્યો એટલામાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા, એટલે મેં અનંગભદ્રાને કહ્યું કે;- "હવે અરુણેાદયનો સમય થવા આવ્યો છે એટલે તમે પોતાને ઘેર જાઓ, તો સારું અને હવે પછી આવા રાત્રિના સમયમાં કદાપિ મારે ત્યાં આવશો નહિ. શ્વશુર પક્ષ અને પિતૃ પક્ષના લોકોની ઇચ્છા પ્રમાણે વર્તી સદાચારથી ચાલશો, તો જ તમારું કલ્યાણ થશે, કદાપિ કોઈની જોડે વૈર બાંધશો નહિ અને ઇશ્વરથી ડરીને ચાલજો. આ દુષ્ટ મદન- રિપુનો જરા પણ આદરસત્કાર ન કરશો અને મારા ઉપદેશનું નિરંતર સ્મરણ કર્યા કરજો.” એમ કહીને અનંગભદ્રાને મેં જવાની પ્રાર્થાના કરી. મારૂં આ ભાષણ સાંભળી તે નમ્રતાથી કહેવા લાગી કે;-"દાકટર સાહેબ! અત્યારે એકલાં જવાની મારી છાતી થતી નથી, એટલા માટે આપ મારી સાથે આવી મને ઘર સુધી પહોંચાડી જશો તો આપનો મોટો ઉપકાર થશે; કારણ કે, જો હું એકલી જઈશ અને માર્ગમાં મને કોઈ મારાં વિશિષ્ટ લક્ષણોથી સ્ત્રી તરીકે ઓળખી લેશે, તો આ મુસલમાનોનું રાજ્ય હોવાથી કોઈ મુસલમાન મારી આબરૂના કાંકરા કરી નાખશે.”

તેની આ ભીતિ યથાર્થ હોવાથી મેં મારી ગાડી જોડાવી અને તેમાં તેને બેસાડી ઠેઠ તેના ઘર આગળ તેને હું મૂકી આવ્યો. હું ત્યાંથી પાછો ફર્યો એટલામાં દિવસ ઊગવાને વખત થઈ ગયો. ત્યાર પછી ઘેર આવી નિત્ય કર્મથી મુક્ત થઈ અમીર સાહેબની સલામે જઈ આવ્યો અને ત્યાર પછી કેટલાક રોગીઓની પ્રકૃતિ જોઈ લગભગ દશ વાગે ઘેર આવી લાગ્યો. બીજે દિવસે દોઢ પ્રહર રાત જતાં પુનઃ પુરુષવેશમાં અનંગભદ્રા મારે ઘેર આવી અને કુરસી પર બેસી થોડી વાર વિશ્રાંતિ લીધા પછી તેણે મને મારી મધુર નિદ્રામાંથી જાગૃત કર્યો, જાગૃત થઈ તેને જોતાં જ મહા કોપથી હું કહેવા લાગ્યો કે:- અનંગભદ્રા ! ગઈ રાત્રે મેં તમને જે આટલો ઉપદેશ આપ્યો, તે સર્વ વ્યર્થ ગયો, એટલે એથી જણાય છે કે, તમે સદ્બોધને પાત્ર નથી. તમારાં આવાં આચરણોથી મને તો એમજ ભાસે છે કે, તમારા પર ​ઈશ્વરનો કોપ જ ઊતરેલો હોવો જોઈએ. જેવી રીતે રાજ ચોરી કરવાને નીકળતો ચોર એક દિવસ અવશ્ય પકડાઈ જાય છે, તેજ પ્રમાણે તમે પણ અવશ્ય પકડાશો, એટલું જ નહિ, પણ સાથે મારા પ્રાણની પણ હાનિ કરી નાખશો. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે, તમે પાછાં પોતાને ઘેર ચાલ્યાં જાઓ અને હવે પછી ભૂલે ચૂકે પણ મારા ઊંબરામાં પગ મૂકશે નહિ.”

મારા આ ઉદ્ગારો સાંભળી અનંગભદ્રાએ નમ્રતાથી પ્રાર્થના કરી કે "ડોકટર સાહેબ ! આપે ગઈ રાત્રે પોતાના અનુભવની જે વાર્ત્તા સંભળાવી તે અપૂર્ણ જ રહી ગઈ છે. વીરક્ષેત્રની સુંદરીએ આપને પોતાના શયનમંદિરમાં અટકાવી રાખ્યા હતા તેનો તેમ જ રક્તસેન રાજકુમારની કથાનો પણ અદ્યાપિ અંત જણાયો નથી. એટલે તે દુષ્ટ સ્ત્રીઓના પંજામાંથી તમારે અને રક્તસેન રાજકુમારનો છૂટકો કેવી રીતે થયો, એ સવિસ્તર સાંભળવાની મારી ઉત્કંઠાને હું દબાવી ન શકી અને તેટલા માટે જ હું આજે પણ પાછી અહીં આવી લાગી. માટે કૃપા કરીને એ બન્ને કથાઓ મને પૂરેપૂરી સંભળાવો.” એ તેની આતુરતાને તૃપ્ત કરવા માટે હું તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“અનંગભદ્રા ! ત્યાર પછી તે રાજકુમાર તે વેશ્યાને પુનઃ પ્રાર્થના કરીને ચોથી વાર્ત્તા સંભળાવવા લાગ્યો અને તે આ પ્રમાણે:-

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...