મુખ્ય સામગ્રી પર જાઓ

૯ અંજનશલાકા અથવા સતી કે સુન્દરી?

 ‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’

⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા.

⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી રહ્યો, સતીઓ થતી બંધ કર્યે સૈકો થવા આવ્યો. વીસમી સદ્દીમાં ત્હાંરે નરમેઘ પૂજવા છે ?’

⁠‘ખ્રીસ્તીઓનાં દેવળો પૃથ્વી ઉપર કેટલાં હશે ?’ એણે પૂછ્યું.

⁠‘ત્હાસરી તો બુદ્ધિનું બજાર એટલે અપ્રસ્તુતના પ્રશ્નો. વાત કરતાં વગડે દોડે ! ત્હાીરા પ્રશ્નને ને ચાલતી વાતને લેવાદેવા શી છે ?’

⁠‘પણ કહે તો ખરો કે ખ્રીસ્તી દેવળો કેટલાંક છે દુનિયામાં ?’ એ હઠે ચ્હેડ્યો.

⁠‘હશે-લાખ હશે, બે લાખ હશે.’

⁠‘યૂરોપઅમેરિકામાં ગામડાં ને નગરો એટલાં દેવળો તો ખરાં ને ?’

​⁠‘ હા સ્તો. એથી બમણાં, પણ ઓછાં નહિ.’

⁠‘મ્હારા વીસમી સદ્દીના આરાધક ! ઉતાવળા મા થાવ. પૃથ્વી ઉપરના પાંચ લાખ ખ્રીસ્તી દેવળોમાં આજે યે નરમેધની આરાધના થાય છે. મેકાલે તો નાસ્તિક હતો ને બેન્ટિકને એના પાશ ચ્હ ડ્યા’તા. બેન્ટિક ઈશનો દિલોજાન આરાધક હોત તો અમારી એ ઈશૂડીઓને ન અવરોધત. બેન્ટિકનો કાયદો એટલે સતીત્વનો અવરોધ. સાચા ખ્રિસ્ત ભક્તો સતીને નરમેધ ન ભાખે.’

⁠‘પણ એકસો વર્ષ થયાં બારણાં દેવાયે. આજ શું છે એનું ?’

⁠‘આજ એ છે કે સતીની ભાવનાને બદલે સુન્દરીની ભાવના આપણા સંસારે ચક્રવર્તી થઈ એનું એ પરવ.’

⁠‘પણ જગત એથી આગળ વધ્યું કે પાછળ પડ્યું ?’

⁠‘તું એક ઉત્તર આપે તો હું એનો ઉત્તર આપું.’

⁠‘પૂછે ત્ય્હારે ઉત્તર આપું કે પૂછ્યા પહેલાં ?’

⁠‘કહે ત્ય્હારે. Moral-નૈતિક ભાવનાઓના વિકાસથી જગત આગળ વધે કે સૌન્દર્યની ભાવનાઓના વિકાસથી ?’

⁠‘બન્નેયથી.’

⁠‘એ નિશ્ચિત ઉત્તર નથી. માનવીની ચક્રવર્તી ભાવના કઈ ? પુણ્યની કે સૌન્દર્યની ?’

⁠‘મ્હેં ઉત્તર આપ્યો : હવે ત્હાીરો વારો.’

⁠‘ફિલસુફીને નહિ ભાખું, ઉત્તરમાં ઇતિહાસ કહું. ​’

⁠એટલામાં સુન્દરતાના શણગાર સજેલી સુન્દરી સમું શણગારેલું કન્યાવિદ્યામન્દિર આવી પહોંચ્યું.

⁠બારણામાં જ અધિષ્ઠાત્રીએ અમને સત્કાર્યા. એમનો શક્કો આજ ઓર હતો. પાણીથી ન્હાય ને નીતરે એમ સૌન્દર્યથી એ જાણે ન્હાતાં ને નીતરતાં હતાં.

⁠મ્હેં પૂછ્યું : ‘ એ સતી છે કે સુન્દરી ? હજી કુંવારાં તો છે.’

⁠‘હવે છાલ છોડ ને ઉત્સવ માણ.’

⁠‘જો : આજ તો યૂરોપમાં એવું છે કે રાજાની વહુ તે રાણી ખરી, પણ રાણીનો વર તે રાજા નહિ.’

⁠‘એટલે ?’

⁠‘એટલે એ કે મહેતાજીની પત્ની શાળાના ઉત્સવમાં મહાલે; પણ મહેતીજીને વર હોય તો કોઈક ખૂણાને શોભાવી મહેતીજીને માણતી નિહાળી રહે.’

⁠અમે શાળામન્દિરમાં ગયા. સભાગૃહમાં પણ સુન્દરતા ચક્રવર્તી હતી.

⁠‘પણ આજ આટલો યુવકવર્ગ કય્હાંથી ? બાળાઓનું પ્રદર્શન તો, મુખ્યત્વે, ત્હેમની માતાઓ કને હોયને ? ‘

⁠‘યુવતિઓ પરણવાની છે યુવકોને ને ? એટલે યુવકસંઘને ન્હોતર્યો છે આજ. રહી જતા’તા એમણે માગી માગીને ન્હોતરાં લીધાં.’

​⁠નાટકગ્રહના જેવું કંઈક સભાગૃહ રચ્યું હતું. વચ્ચે રંગભૂમિ સમું તખત હતું, ફરતાં સભાજન હતાં.

⁠બે ન્હાની બાળાઓએ નાન્દી ગાઈ. સભાઓમાં નાન્દી ગાવાનું ન્હાનકડી બાળાઓને કેમ સોંપાય છે ?

⁠લોક કુતૂહલદૃષ્ટિએ જોઈ રહ્યું હતું.

⁠પછી આવ્યો સંવાદ, સરસ્વતી ને લક્ષ્મીનો. પેલો સંસ્કૃત શ્લોક લક્ષ્મીજીએ છટાથી ગાયો કે ત્હારો ભક્ત મ્હારા પિતાને પી ગયો. ત્હારા આરાધકે મ્હારા પતિને છાતીમાં લાત મારી. વિ. સરસ્વતીએ પોતાની દલીલો સાત્ત્વિક્તાથી ઉચ્ચારી. નિર્ણય ન થયો; એટલે વિધાત્રી દેવી અદ્ધરથી ઉતર્યાં. રંગરંગનાં અજવાળાં એમનાં ઉપર વરસાવવામાં આવ્યાં : જાણે મેઘધ્નુષ્યની ડાળખીએ લટકી ઉતરતાં નહોય ! એમણે નિર્ધાર ઉચ્ચાર્યો કે શ્રમ છતાં સિદ્ધિ વિધિદેવને હાથ છે.

⁠ને પછી આવ્યો ગરબો. એ સાંભળવાને ને જોવાને યુવકમંડળ આવ્યું હતું. હવે તો ગરબો સાંભળવાનો એટલો જ જોવાનો હોય છે.

⁠સહુને જાણે જગાડવાને હોય એમ નરઘાં ઉપર થાપ પડી ને પછી રહી ગઈ. આજનો ગરબો જલતરંગ સાથે ઝીલવાનો હતો.

⁠સભાગૃહ ચિત્રવત્‌ બની રહ્યું.

⁠ઘૂઘરિયાળા રૂપાના રાસદાંડિયા લઈને ઝીલનારીઓ આવી. એમને પગ ઠમકે ધરતી ધ્રૂજતી.

​⁠દીવાળીમાં દીવા કરે એમ સભાજનોની આંખડીઓમાં દીવા પ્રગટ્યા.

⁠શ્રી નટવર વસન્ત થેઇ થેઇ નાચી રહ્યો.

⁠મોરલીને શબ્દે ગરબો ઉપડ્યો. જલતરંગની ઘંટડીઓ ગુંજારવ કરતી.

⁠નાચી રહ્યો, જગ નચાવી રહ્યો;

⁠શ્રી નટવર વસન્ત થેઈ થેઈ નાચી રહ્યો.

⁠ગરબો કહેતો કે જગત આખું નાચતું. ત્ય્હારે સભાજનો કાંઈ જગત બહાર નહોતા બેઠા. હવાઇ ઓ છૂટે એમ કામણવર્ણાં નયનકિરણો દિશદિશમાંથી ઊડતાં હતાં.

⁠મ્હેં કહ્યું : એક અંજનશલાકા આમની આંખોમાં આંજવી જોઈએ. આંખોમાં આંખનિર્મળી છાંટો.

⁠એણે કહ્યું : હા; દુનિયાના Scientistsની પરિષદ ભર એટલે શોધી કહાડે.

⁠કોયલ મધુર મોરલી બની, નાચે નટવર કહાન.

⁠અમારી સન્મુખની ધરતી જાણે રત્નોની ખાણ હોય ને અમે ખણીખણીને મંહીથી રત્નો કહાડતા હોઈંએ એમ અમે દૃષ્ટિબાણે ધરતી ખોતરતા.

⁠એણે કહ્યું : ‘ધર્મમન્દિરની છાયામાં ઉત્સવો ઉજવાતા ત્ય્હારે કંઈકે મર્યાદા ધર્મધ્વજની રહેતી હશે ખરી ને ?’

⁠મ્હેં કહ્યું : ‘એ ધજાની છાયા જેટલી. સુન્દરતા ​ચક્રવર્તી થાય એટલ્લે જગત જાણે હિન્ડોળે ચ્હડે : નાવડું જાણે મોજામાં ડોલે. સંસારશાસ્ત્રની દૃષ્ટિએ મ્હને તો એક જ ભૂલ લાગે છે; પુણ્યભાવનાની પદભ્રષ્ટતા ને સૌન્દર્યભાવનાની સર્વોપરિતા. ‘ ‘સુન્દરતા નહિ, ત્ય્હારે સર્વોપરી શું ?’

⁠‘સૃષ્ટિમાં સર્વોપરી પુણ્ય ને પ્રભુ. એ લોપાય એવાં શિક્ષણ કે સંસાર ન હોય. કન્યાશાળાઓમાં આજ સતીનું નહિ, સુન્દરીનું આદર્શ આરાધાય છે.’

⁠‘આસપાસ જૂવો. આપણી પુરુષોની આંખ સુન્દરીને વાંછે છે કે સતીને ? પુરુષની અંખ વાંછે છે તે કન્યાશાળા આપે છે.’

⁠‘એટલે જ કહ્યુંને કે પુરુષની આંખડીને અંજશલાકા આંજવી જોઈએ-આંખનિર્મળી છાંટવી જોઈએ. ‘ ‘ભરજે જગતના Scientistsની પરિષદ, શોધજે એ આંખનિર્મળી. મ્હારૂં ચાલે તો બેન્ટિકનો કાયદો રદ્દ કરાવું કે સતીઓ પાછી અવતરે.’

⁠મ્હારૂં ચાલે તો હું એવો કાયદો કરાવું કે સ્વેચ્છાથી સતીઓ યે ભલે થાય ને સ્વેચ્છાથી સતા યે ભલે થાય. પછી જોઇ લ્યો પરીક્ષા નર ને નારની ! ‘

⁠અમે બન્ને હસી પડ્યા; કારણ કે અમારામાંથી એક્કેયનું ચાલવાનું હતું જ નહિ-એ વિદ્યામન્દિરમાં, સંસારમાં કે સામ્રાજ્યમાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...