મુખ્ય સામગ્રી પર જાઓ

૧૭ ઘણકો ને ઘણકી

[પુરુષોત્તમ માસ]
પરષોત્તમ મહિનો આવ્યો

બધી બાયડી પરષોતમ મહિનો ના’ય.

ફળિયામાં દેરું, દેરા માથે પીપળો ઝકૂંબે :

નાઈ ધોઈને બાઈઓ દેરાને ઓટે બેસે :

પીપળાને છાંયે બેસે; હાથમાં ચપટી દાણા રાખે.

પરષોતમ ભગવાનની વાર્તા મંડાય.

એક કહે ને સૌ સાંભળે.

પીપળાની ડાળે ઘણકા–ઘણકીનો માળો છે.

માંહી ઘણકો ને ઘણકી રે’ છે.

ઘણકી તો ડાળ્યે બેઠી બેઠી રોજ વાર્તા સાંભળે છે.

એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય?

કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે.

કે’ ત્યારે હું નાઉં?
કે’ નહા ને બાઈ!
ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’

ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’

ઘણકી કહે : ‘આપણે તો એક વાર ના’શું, એક ઠેકાણે બેસીને લાકડું કરડશું, પછી આખો દી લાકડું નહિ કરડીએ.’

બીજે દીથી બાઈઓ ના’ય, ભેળી ઘણકીય ના’ય.

બાઈઓ વાર્તા સાંભળે. ઘણકીયે ડાળે બેઠી બેઠી સાંભળે.

બાઈઓ દર્શન કરવા જાય, ઘણકીયે જાય.

એમ ઘણકી પુરુષોત્તમ માસ ના’ય, ને ઘણકો લાકડાં કરકોલે.

મહિનો પૂરો થયો. ઘણકી નાઈ રહી.

સહુએ ઊજવણાં કર્યાં; ઘણકી શું કરે?

ઘણકો ને ઘણકી બેય મરી ગયાં.

મરીને ઘણકી રાજાની કુંવરી સરજી.

ઘણકો પણ એ જ રાજાને ઘરે બોકડો સરજ્યો.

કુંવરી તો સોળ વરસની સુંદરી થઈ.

નત્ય નત્ય માગાં આવવા માંડ્યાં.

સારો વર જોઈ કુંવરીને તો પરણાવી છે. કરકરિયાવર દીધાં છે. ગાડાંની તો હેડ્યો હાલી છે.

કુંવરી કહે : ‘મને આ બોકડો આપો. બોકડો મને બહુ વા’લો છે. એને હું સાસરે લઈ જઈશ.’

બોકડો લઈને કુંવરી તો સાસરીએ ગઈ. બોકડાને તો મેડીને દાદરે બાંધ્યો.

રોજ રાતે કુંવરી થાળ લઈને મેડીએ ચડે.

મેડીએ ચડે ત્યાં એનાં ઝાંઝર ઝણકે.

ઝાંઝર સાંભળીને બોકડો તો જાગી જાય.

જાગીને બોલે :

રમઝમતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા!
ત્યારે કુંવરી જવાબ વાળે કે —

હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!
રોજ ને રોજ —

રઝમઝતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા.
હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!
એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે.

વડારણે તો વાત રાજાને કરી છે : રાજાએ તો રાણીને પૂછ્યું છે, ‘રાણી! રાણી! મને વાત કરો!’

‘રાજા રાજા! કહેવરાવવું રે’વા દ્યો.’

‘ના, કરો ને કરો.’

રાણીએ તો પૂરવ ભવની વાત કહી છે. રાજાની તો ભરાંત ભાંગી છે. ઘણકીને ફળ્યાં એવાં સહુને ફળજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...