મુખ્ય સામગ્રી પર જાઓ

૧૯ વ્યભિચાર નિષેધ સંબંધી શાસ્ત્રોક્ત પ્રમાણો

 स्वभाव एष नारीणां नराणामिह दूशणम ।

अतोऽर्थात्र प्रमाद्यन्ति प्रमदासु विपशितः ॥

શ્રૃંગાર આદિ ચેષ્ટાવડે પુરુષોને મોહ પમાડી વશ કરવો એ સ્ત્રીઓનો સ્વભાવ જ છે. પણ તેમના મોહને વશ થનારા પુરુષો જ આ બાબતમાં દોષપાત્ર છે. એટલા માટે વિદ્વાન્ પુરુષો સ્ત્રીઓની બાબતમાં પ્રમાદ કરતા નથી. (મનુ ૨-૨૧૩)

अविद्वासमलं लोके विद्वांसमपि वापुनः ।

प्रमदा हृत्पथं नेतुं कामक्रोधवशानुगम् ॥

પુરુષ અવિદ્વાન હોય કે વિદ્વાન હોય, પણ જો તે કામ અને ક્રોધને વશ થઈ વર્તે તો તેને પ્રમદાઓ ઉન્માર્ગમાં લઈ જવામાં સમર્થ થાય છે. (મનુ ૨-૨૧૪)

अश्वश्रुतं वासवगर्जित च स्त्रीणां च चित्तं पुरुषस्य भाग्यम ।

अवर्षणं चाष्यतिवर्षणं च देवी न जानाति कुतो मनुष्यः ॥

અશ્વની ગતિને, ઈંદ્ર ગર્જનાને, સ્ત્રીઓનાં ચિત્તને, પુરુષના ભાગ્યને, અવર્ષણને અને અતિવૃષ્ટિને દેવ પણ જાણતો નથી તો

પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત) ​

राष्ट्रस्य चितं कृपणस्य वित्तं मनोरथं दुर्जनमानुशाणाम् ।

स्त्रिश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः ॥

રાષ્ટ્રનું ચિત્ત, કંજૂસનું વિત્ત, દુર્જન મનુષ્યોનો મનોરથ, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતો નથી તો પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)

शस्त्रेण वेणीविनिगूहितेन विदूरथं वै महिषी जघान् ।

विषप्रदिग्धेन च नूपुरेण देवी विरक्ता किल काशिराजम् ।।

વિદૂરથ રાજાને તેની રાણીએ વેણીમાં છુપાવેલા શસ્ત્રથી માર્યો. કાશિરાજને તેની વિરક્ત દેવીએ વિષ લગાડેલા નૂપુરથી માર્યો.

लङ्केश्वरो जनकजाहरेणन वाली तारपहारकनयाष्यय कीचकारव्यः ।

पाञ्चालिकाग्रहणतो निधनं जगम तखेतमापि परदाररतिं न काङ्क्षेत् ॥

જનકકન્યા સીતાનું હરણ કરવાથી લંકાપતિ રાવણ મરણ પામ્યો. તારાનું હરણ કરવાથી વાલી મરણ પામ્યો. પાંચાલી–દ્રૌપદીનું ગ્રહણ કરવાથી કીચક મરણ પામ્યો. એમ હોવાથી ચિતથી પણ પરસ્ત્રીની રતિની ઇચ્છા કરવી નહીં.(સુભાષિત)

व्यभिचारण वर्णनाप्रर्वद्यावेदनेन च ।

स्वकर्मणां च त्वागेन जायन्ते वर्गसङ्कराः ॥ (मनु: १० । २४)

વર્ણોના વ્યભિચારથી - બ્રાહ્મણાદિ વર્ણોમાં પરસ્પર વિવાહ કરવાથી, સગોત્રમાં વિવાહ કરવાથી અને સ્વોચિત કર્મોનો-ઉપનયનાદિ સંસ્કારોનો ત્યાગ કરવાથી પ્રજામાં વર્ણસંકર થાય છે.

व्यभिचारात्तु भर्तुः स्त्री लोके प्राप्नोति निन्द्यताम् ।

शृगालयोनिं प्राप्नोति पापरोगैश्च पीड्यते ॥ (मनु: ५ ।१६४)

પતિને તજીને અન્ય પુરુષ સાથે વ્યભિચાર કરનારી સ્ત્રી લોકમાં નિંદ્ય થાય્ છે, શિયાળની યોનિને પામે છે અને પાપી રોગોથી પીડાય છે. ​

पतिं या नाभिचरति मनोवाग्देहसंयुता ।

सा भर्तृलोकमाप्नोति सद्भिः साध्वीति चोच्यते । । (मनुः ५ । १६५)

જે સ્ત્રી મનથી, વાણીથી અને દેહથી પતિનું અતિક્રમણ કરતી નથી - પતિનું અતિક્રમણ કરી વ્યભિચાર કરતી નથી તે પતિ લોકને પામે છે અને સત્પુરુષો તેને સાધ્વી સ્ત્રી કહે છે.

कामातुराणां न भयं नलज्जा चार्थातुराणां न गुरुन बन्धु: ।

विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिन वेला ॥

કામાતુરોને બીક કે લજ્જા હોતી નથી, અર્થાતુરોને ગુરુ કે બંધુ હોતો નથી, વિદ્યાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી અને ક્ષુધાતુરોને રુચિ કે વેળા હોતી નથી. (સુભાષિત)

ઉંધ ન જુએ તુટી ખાટ, ભૂખ ન જૂએ ટાઢો ભાત;

લોભી ન જુએ ભ્રાત કે માત, ઈશ્ક ન જૂએ જાત-કજાત.

પાઠાંતર:-

ઉંધણસી ન જુએ તૂટી ખાટ, ભૂખ્યો ન જૂએ ટાઢો ભાત;

તરસ્યો ન જૂએ ધેાભી ઘાટ, કામી ન જુએ જાત-કજાત.

दुराचारेण पुरुषो लोके भवति निन्दितः ।

दुःखभागी च सततं व्याथितोऽल्पायुरेव च ॥(સુભાષિત)

દુરાચારથી પુરુષ લોકમાં નિંદિત થાય છે, સર્વદા દુ:ખભાગી રહે છે, રોગગ્રસ્ત થાય છે અને અલ્પ આયુષ્યવાળો થાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...