મુખ્ય સામગ્રી પર જાઓ

૧૯ વ્યભિચાર નિષેધ સંબંધી શાસ્ત્રોક્ત પ્રમાણો

 स्वभाव एष नारीणां नराणामिह दूशणम ।

अतोऽर्थात्र प्रमाद्यन्ति प्रमदासु विपशितः ॥

શ્રૃંગાર આદિ ચેષ્ટાવડે પુરુષોને મોહ પમાડી વશ કરવો એ સ્ત્રીઓનો સ્વભાવ જ છે. પણ તેમના મોહને વશ થનારા પુરુષો જ આ બાબતમાં દોષપાત્ર છે. એટલા માટે વિદ્વાન્ પુરુષો સ્ત્રીઓની બાબતમાં પ્રમાદ કરતા નથી. (મનુ ૨-૨૧૩)

अविद्वासमलं लोके विद्वांसमपि वापुनः ।

प्रमदा हृत्पथं नेतुं कामक्रोधवशानुगम् ॥

પુરુષ અવિદ્વાન હોય કે વિદ્વાન હોય, પણ જો તે કામ અને ક્રોધને વશ થઈ વર્તે તો તેને પ્રમદાઓ ઉન્માર્ગમાં લઈ જવામાં સમર્થ થાય છે. (મનુ ૨-૨૧૪)

अश्वश्रुतं वासवगर्जित च स्त्रीणां च चित्तं पुरुषस्य भाग्यम ।

अवर्षणं चाष्यतिवर्षणं च देवी न जानाति कुतो मनुष्यः ॥

અશ્વની ગતિને, ઈંદ્ર ગર્જનાને, સ્ત્રીઓનાં ચિત્તને, પુરુષના ભાગ્યને, અવર્ષણને અને અતિવૃષ્ટિને દેવ પણ જાણતો નથી તો

પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત) ​

राष्ट्रस्य चितं कृपणस्य वित्तं मनोरथं दुर्जनमानुशाणाम् ।

स्त्रिश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः ॥

રાષ્ટ્રનું ચિત્ત, કંજૂસનું વિત્ત, દુર્જન મનુષ્યોનો મનોરથ, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતો નથી તો પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)

शस्त्रेण वेणीविनिगूहितेन विदूरथं वै महिषी जघान् ।

विषप्रदिग्धेन च नूपुरेण देवी विरक्ता किल काशिराजम् ।।

વિદૂરથ રાજાને તેની રાણીએ વેણીમાં છુપાવેલા શસ્ત્રથી માર્યો. કાશિરાજને તેની વિરક્ત દેવીએ વિષ લગાડેલા નૂપુરથી માર્યો.

लङ्केश्वरो जनकजाहरेणन वाली तारपहारकनयाष्यय कीचकारव्यः ।

पाञ्चालिकाग्रहणतो निधनं जगम तखेतमापि परदाररतिं न काङ्क्षेत् ॥

જનકકન્યા સીતાનું હરણ કરવાથી લંકાપતિ રાવણ મરણ પામ્યો. તારાનું હરણ કરવાથી વાલી મરણ પામ્યો. પાંચાલી–દ્રૌપદીનું ગ્રહણ કરવાથી કીચક મરણ પામ્યો. એમ હોવાથી ચિતથી પણ પરસ્ત્રીની રતિની ઇચ્છા કરવી નહીં.(સુભાષિત)

व्यभिचारण वर्णनाप्रर्वद्यावेदनेन च ।

स्वकर्मणां च त्वागेन जायन्ते वर्गसङ्कराः ॥ (मनु: १० । २४)

વર્ણોના વ્યભિચારથી - બ્રાહ્મણાદિ વર્ણોમાં પરસ્પર વિવાહ કરવાથી, સગોત્રમાં વિવાહ કરવાથી અને સ્વોચિત કર્મોનો-ઉપનયનાદિ સંસ્કારોનો ત્યાગ કરવાથી પ્રજામાં વર્ણસંકર થાય છે.

व्यभिचारात्तु भर्तुः स्त्री लोके प्राप्नोति निन्द्यताम् ।

शृगालयोनिं प्राप्नोति पापरोगैश्च पीड्यते ॥ (मनु: ५ ।१६४)

પતિને તજીને અન્ય પુરુષ સાથે વ્યભિચાર કરનારી સ્ત્રી લોકમાં નિંદ્ય થાય્ છે, શિયાળની યોનિને પામે છે અને પાપી રોગોથી પીડાય છે. ​

पतिं या नाभिचरति मनोवाग्देहसंयुता ।

सा भर्तृलोकमाप्नोति सद्भिः साध्वीति चोच्यते । । (मनुः ५ । १६५)

જે સ્ત્રી મનથી, વાણીથી અને દેહથી પતિનું અતિક્રમણ કરતી નથી - પતિનું અતિક્રમણ કરી વ્યભિચાર કરતી નથી તે પતિ લોકને પામે છે અને સત્પુરુષો તેને સાધ્વી સ્ત્રી કહે છે.

कामातुराणां न भयं नलज्जा चार्थातुराणां न गुरुन बन्धु: ।

विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिन वेला ॥

કામાતુરોને બીક કે લજ્જા હોતી નથી, અર્થાતુરોને ગુરુ કે બંધુ હોતો નથી, વિદ્યાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી અને ક્ષુધાતુરોને રુચિ કે વેળા હોતી નથી. (સુભાષિત)

ઉંધ ન જુએ તુટી ખાટ, ભૂખ ન જૂએ ટાઢો ભાત;

લોભી ન જુએ ભ્રાત કે માત, ઈશ્ક ન જૂએ જાત-કજાત.

પાઠાંતર:-

ઉંધણસી ન જુએ તૂટી ખાટ, ભૂખ્યો ન જૂએ ટાઢો ભાત;

તરસ્યો ન જૂએ ધેાભી ઘાટ, કામી ન જુએ જાત-કજાત.

दुराचारेण पुरुषो लोके भवति निन्दितः ।

दुःखभागी च सततं व्याथितोऽल्पायुरेव च ॥(સુભાષિત)

દુરાચારથી પુરુષ લોકમાં નિંદિત થાય છે, સર્વદા દુ:ખભાગી રહે છે, રોગગ્રસ્ત થાય છે અને અલ્પ આયુષ્યવાળો થાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...