મુખ્ય સામગ્રી પર જાઓ

૧૯ છાવણીની પાડોશમાં

 મુખ્ય સાધુએ પેટી હાથમાં લીધી. તેણે મશ્કરીમાં શેઠાણીને આર્શીવાદ આપ્યો :

‘એકના અનેક થજો. બાઈ ! સાધુને દાન આપવાથી ઈશ્વર પ્રસન્ન રહે છે. શેઠને જરા શિખવાડજો કે હાથની મૂઠી સહજ હલકી કરે.’ બાઈ બિચારી કાંઈ બોલી નહિ.

રામચરણ શેઠ પાસે જઈ તે સાધુ બોલ્યો :

‘શેઠ ! આ વખત તો જીવતા રહ્યા છો, પણ હવે સંભાળજો. વ્યાજમાં ગરીબો અને વિધવાઓને માફી આપજો ! અને રાજારજવાડાનાં ઝવેરાત પચાવી જવાની દાનત મૂકી દેજો નહિ તો ફરીથી બચશો નહિ.’

શેઠને ગળેથી ફાંસો ખસ્યો અને તે સાથે સહુના ગળામાંથી ફાંસો કાઢી નાખવામાં આવ્યો. જીવ બચ્યો જોઈ સહુના હૃદય પ્રફુલિત થયાં, પરંતુ રામચરણનું મુખ પ્રફુલ્લિત ન બન્યું, જીવતા રહ્યાનો આનંદ તેમને થયો હોય એમ લાગ્યું નહિ. અડધું સંભળાય અને અડધું ન સંભળાય એવી ઢબે તેમણે લૂંટનારને શાપ આપ્યો, જે સાંભળી ફરી પાછા સાધુઓ હસી પડ્યા. નિર્માલ્ય શાપના જેવી હસવા લાયક કોઈ પણ ચીજ નથી.

સાધુઓએ જવા માંડ્યું. તેમની નાની નાની ધૂણીઓ જ્યાં ત્યાં ધુમાતી પડી રહી. મને લાગ્યું કે કદાચ આમ છૂટવાથી પેલા રખેવાળો અને સંઘના પુરુષો ઠગ લોકો ઉપર તૂટી પડશે. મેં આઝાદને મારી શંકા જણાવી. પરંતુ આવા કાર્યમાં આખું જીવન ગાળનાર આ ઠગ પોતાનો ભોગ થઈ પડેલા ભયગ્રસ્ત સમૂહને મન મારી કરતાં વધારે સારી રીતે પારખી શકે એમ હતું.

‘મગદૂર નથી કે હવે કોઈ સામનો કરે !’ આઝાદે જણાવ્યું. રખેવાળોની હિંમત ચાલશે જ નહિ. અને સંઘના માણસો તો વેપારી વર્ગનાં છે. એ શું સામા થઈ શકે ? અને રખેવાળોને ફાંસામાં નાખ્યા ત્યારે ઘણાંયે માણસો અમે છૂટાં રાખ્યાં હતાં. કોઈએ કશું જ ન કર્યું. એક પેલા પાણીવાળા સવાર સિવાય. એટલે હવે કોઈથી બોલાય એવું છે જ નહિ.’ ​હું વિસ્મય પામ્યો ! આટલા બધા મર્દો જીવતા છે છતાં નજીવી સંખ્યામાં આવેલા ઠગની સામે કોઈ આંગળી ઊંચી કરી શક્યું નહિ અને નિશ્ચિંતપણે ઠગ લોકો લૂંટ કરીને પસાર થયા. હિંદુસ્તાનના સામાન્ય પુરુષવર્ગમાં આવા નામર્દો હશે એની મને ખબર નહોતી. અંગ્રેજો પણ વેપારી જ હતા; પરંતુ કલમ બાજુએ મૂકી તલવારને વાપરતાં તેમણે કદી સંકોચ ધર્યો નથી. હિંદમાં વેપારી વર્ગને તલવારનું સ્વપ્ન પણ આવતું નહિ હોય ! અને સર્વદા શારીરિક બળવાળાથી લૂંટાવામાં તેમને શરમ પણ નહિ આવતી હોય એ જાણી મને સહેજ હસવું આવ્યું. મને હજી પણ ખાતરી નહોતી થતી કે સાધુઓ વગર હરકતે આમ પસાર થઈ શકે.

‘ધારો કે આ લોકો તમારા ઉપર તૂટી પડ્યા, તો ?' મેં આઝાદને કહ્યું.

'તેવો પ્રસંગ હજી આવ્યો નથી.' આઝાદે જણાવ્યું. ‘અને કદાચ તેમ થાય તો દરેક સાધુની ઝોળીમાં કટાર છે જ ! એ કટારની ઝડપમાંથી કોઈ બચે એમ નથી. વળી હું તથા ગંભીર આ બધા માટે પૂરતા છીએ.'

સાધુઓ પસાર થઈ ગયા. સાથે ગંભીર પણ ગયો હતો. એમ લાગ્યું. આઝાદને હજી સંઘવાળા લોકો તો માત્ર મારા સાથી તરીકે જ ગણતા હતા, અને અમારી નજર આગળ ઠગ લોકોએ પોતાનું પરાક્રમ દેખાડ્યું. એમ જાણી ઠગ લોકોની ભયંકર શક્તિને અણગમતે તારીફ કરતા હતા.

આઝાદે મને કહ્યું : ‘ચાલો, પેલા શેઠની પાસે જઈએ. હું અને આઝાદ રામચરણની પાસે ગયા. સઘળા લોકો શેઠનું સમાધાન કરવામાં રોકાયા હતા. તેમનો ગુસ્સો ખાસ કરીને રખેવાળો ઉપર ઊતર્યો હતો :

'આટલા પૈસા ખરચી રખેવાળો રાખ્યા અને તે કાંઈ જ કામ લાગ્યા નહિ. મારા ખરચેલા પૈસા પાણીમાં ગયા અને મારું ધન લૂંટાઈ ગયું !' આમ તેઓ બોલતા હતા.

મને જોઈને તેઓ વધારે ઊકળી ઊઠયા :

‘આ સાહેબ અહીં છતાં ઠગ લોકો મને લૂંટી ગયા ! નકામા લશ્કરો લઈને ફરો છો અને રૈયતને ગરદન મારો છો. આટલા ઠગ લોકો તો સચવાતા નથી ! રાજ્ય શાનું કરો છો ? તમારે લીધે તો અહીં મુકામ કર્યો. નહિ તો આગળ જાત.!’

ધનલોભી મનુષ્યનું ધન જાય એટલે તેને આખી દુનિયા સાથે કજિયો કરવાની ઇચ્છા થાય છે. મને તેનું કહેવું છેક ખોટું ન લાગ્યું. મને જોઈને જ આ લોકોએ અહીં મુકામ કર્યો હતો, છતાં તેમના વિશ્વાસને લાયક હું ​નીવડયો ન હતો. મારા મનને ખોટું લાગ્યું, પરંતુ બીજો ઇલાજ ન હતો.

આઝાદે કહ્યું :

‘શેઠસાહેબ ! તમારું ધન અમે બચાવી શક્યા નહિ એ માટે દિલગીર છીએ. અમારું લશ્કર સહજ દૂર છે. હજી જો બચવાની ઇચ્છા હોય તો ત્યાં જઈને રાતવાસો કરો. ઠગ લોકોનો શો વિશ્વાસ ?’

‘હું તો હવે લૂંટાઈ ગયો. મારું ખરું ધન ચાલ્યું ગયું. હવે જ્યાં પડી રહીશ ત્યાં ચાલશે.’ શેઠે જવાબ દીધો.

પરંતુ સંઘના બીજા માણસોની પાસે થોડુંઘણું લૂંટાવા જેવું ધન હતું જ એટલે તેમને ડર રહ્યા કરતો હતો કે રખે ઠગ લોકો પાછા આવે. ધનની લૂંટ અને જીવનું જોખમ એ બેમાંથી એકે સહન થાય એમ ન હતું. એટલે આઝાદની સલાહ પ્રમાણે લશ્કરની બાજુએ જઈ રાતવાસો કરવાનો સહુએ નિશ્ચય કર્યો.

મેં પૂછ્યું :

‘આઝાદ ! તમે કહો છે તે મુજબ ખરેખર અમારું લશ્કર અહીં જ છે, ખરું ?'

‘આપની સાથે હું જૂઠું નહિ બોલું. હું આપની દોસ્તી ચાહું છું. જુઓ, સામે અંધારામાં પેલી ઘટા નીચે થોડું અજવાળું જણાય છે. આપ ત્યાં પધારો, એ આપની જ છાવણી છે. હું પાછો મળીશ. મટીલ્ડાની વાત ભૂલશો નહિ. સમરસિંહને હું નહિ ભૂલું.’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...