મુખ્ય સામગ્રી પર જાઓ

૭ શો કળજગ છે ના

આજે ઠંડી હોવાથી છોકરાં જરા મોડાં બહાર નીકળ્યાં. ઈન્દુ ખીસામાંથી દાળીઆ ખાતો હતો અને નાનાભાઈ બિન્દુની રકાબીમાં પૂરી હતી તે પડી ન જાય તેટલા માટે વચમાં વચમાં તેને ઝાલવામાં મદદ કરતો હતો. બાબુ ભાખરી વચ્ચે થીનું ઘી રાખીને કોરેથી ફરતાં બટકાં ભરી કાંગરી રચતો હતો. તારા પાસે બોર હતાં. તેણે બાબુને એક ખેાર બતાવીને કહ્યું: “ જો, કેવું મોટું બોર છે ! તારા પાસે છે કાંઇ ? ” બાબુ કહેઃ “ પણ મારી પાસે તો ભાખરી છે. તારા બોરથી યે મોટી !" પદ્મા બે હાથ પહોળા કરી વચમાં બોલી ઊઠી: “કોઈની પાસે આવડી મોટી ભાખરી હોય્ ?" વીનુ આવીને કહેઃ “કોઇની પાસે મોટી આકાશ જેવડી ભાખરી હોય ? ” ઇન્દુ આકાશ તરફ આંગળી કરી કહેઃ “ આકાશમાં તો જો ચાંદો ય ! ” બાબુ કહેઃ "આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી !" બધાંને આ વાત બહુ ગમી ગઈ તેથી બધાં "આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી" કહીને કૂદવા લાગ્યાં. બાબુએ ભાખરીનું છેલ્લું બટકું જરા મોટું હતું છતાં બધા ઘી સાથે મોંમાં મૂકી દીધું. બિન્દુની રકાબીઓમાંથી પૂરીઓ પડી ​ગઈ. પદ્મા પણ ખાવાનું ભૂલી ગઈ અને નાચવા લાગી. કીકો શાંત ઊભો ઊભો તમાસો જોતો હતો અને ખીસામાંથી કાજુ ખાતો હતો. એટલામાં કંપાઉન્ડની દિવાલ આગળ કાંઇ ધબાકો થયો અને એક કુરકુરિયું ઊં ઊં કરવા લાગ્યું.વીનુ "મારા મોતીઆને વાગ્યું ” કહેતો દોડ્યો; એટલે તેની પાછળ ઇન્દુ "મારી ફૅની, મારી ફૅની " કરતો દોડ્યો. બીજાં છોકરાં પોતપોતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યાં. ત્યાં જઈ ને જુએ તો એક પોટકું પડેલું. વીનુના મોંમાંથી “ અરે ! આ તો જામફળ ! ” એવો ઉદગાર નીકળી ગયો. ઇન્દુ તેના તરફ બે હાથ લાંબા કરી જાણે આ પોટકાને હજી સમજી જ ન શક્યો હોય તેમ આશ્ચર્યચક્રિત થઇ ઊભો રહ્યો. કીક્ આ સાંભળી દોડી આવ્યો અને સૌથી પહેલા પોટકાના કાણામાં હાથ ધાલી જામફળ કાઢી ખાવા લાગ્યો. ત્યારે જ જાણે બધાંને ખાવાના વિચાર આવ્યો હોય તેમ બધાં છોકરાં 'જામફળ જામફળ’ બોલતાં ભેગાં થઈ ગયાં, અને એક પછી એક જામફળ લઇ ખાવા લાગ્યાં. તારાએ એક જામફળને બચકું ભરી પદ્માને બતાવ્યું: "જો, મારે રાતું નીકળ્યું !" બિન્દુ આવી પહોંચ્યો હતો તે કહેઃ “ મને.” બીજી તરફ બાબુએ બીજા જામફળને બટકું ભર્યું અને કહ્યું: “ તો મારે ધોળું નીકળ્યું ! ” અને બિન્દુ કહે: “ મને. ” નટુ હીરા મનુ સર્વે આમાં ભળ્યાં. સર્વને ખાતાં જોઇ બિન્દુ રડવા લાગો, એટલે ઈન્દુ તેને "નહિ હો ભાઇ, જોજે હમણાં તને સરસ ખોળી દઉં હોં !" કહી સાંત્વન આપી જામફળ ખોળવા લાગ્યો. પણ તેને એકેય પસંદ પડતું નહોતું. પોતાના હાથમાં જ રાખી બીજાને "જોઇએ, તારું કેવું લાગે ​છે" એમ પૂછી પૂછીને બીજાનાં જામફળો ચાખવા ને ખાવા લાગ્યો. તારાએ તેને બહુ જ ડાહ્યું મોં કરી કહ્યું: “ અરે એ તો વાણિયો છે, એવું એઠું ખવાય કે ?" કીકાઍ બહુ ચતુરાઈથી જવાબ આપ્યો: “ પણ હું ખાધેલા ભણીથી નથી ખાતો." હજી ઇન્દુની પસંદગી પૂરી થઈ રહી નહોતી, તેને બીજાનાં લીધેલાં જામફળો સારાં લાગતાં હતાં અને પોટકામાંથી એકેય પસંદ પડતું નહોતું. બિન્દુ પોતાની મેળે જામફળ લઈ શરૂ કરી શકે તેમ હતું પણ તેને પોતાની મેળે લેવાનું સૂઝતું નહોતું, ભાઇના વચન પર જ તે આધાર રાખી રહ્યો હતો અને હજી નહિ મળવાથી ધીરજ ખોઈ હવે રડવા માંડ્ચેા હતો. બીજા કોઇ છોકરાંને તે બે ભાઇઓને કંઈ આપવાનો વિચાર આવતો નહોતો. હવે કીકાએ નવો પ્રયોગ શરૂ કર્યો. તેણે ખાવા ઉપરાંત જામફળ ખીસામાં ભરવા માંડ્યાં. તેનું જોઇને બાબુએ એક મોટું જામફળ પસંદ કરી લીધું અને ખીસું ફાટતું હતું છતાં તેમાં જોર કરી નાખવા લાગ્યો. પદ્મા પાસે ખીસું નહોતું એટલે તેણે ઘાધરીની ઝોળી કરી તેમાં ભરવા માંડ્યાં. હવે બધાં એ જ પ્રમાણે કરવા માંડ્યાં અને તેથી એવી સ્પર્ધા ચાલી કે દરેકને એમ લાગ્યું કે 'મારાં જામફળો બીજો લઈ જાય છે.' સર્વ તેથી ખાવાનું છોડી એકબીજાનાં ઝુંટાવવા લાગ્યાં અને બૂમાબૂમ થઈ ગઇ. કેટલાંક ખરેખર આંસુ પાડતાં હતાં અને કેટલાંક માત્ર બૂમેા પાડતાં હતાં. પાસેના ઘરમાં ઠાકોર બેઠો બેઠો કૉપીબૂક લખતો હતો તે આ સાંભળી "શું છે ! શું છે !" કરતો બહાર આવ્યો. હીરાના હાથમાં જામફળ જોઇ "જામફળ ખવાય કે? તાવ આવે." કહી તેના હાથમાંથી ફેંકી દેવરાવવા તે ​આગળ ગયો અને જામફળનું પોટકું જોઇ તેણે પૂછ્યું: “ આ પોટલું ક્યાંથી ?" પદ્માએ કહ્યું: “ આકાશમાંથી પડ્યું !” ઠાકોરે આ હકીકત તો માની નહિ પણ આસપાસ જોઈ “ અરે આમ જામફળ ખવાય ? તાવ આવે," કહી ડોળા કાઢી સૌને હાથ ઝાલી ધધડાવી બધાનાં જામફળ પાડી નાખ્યાં. પછી બધાને શિખામણ દેતો હોય તેમ બોલ્યોઃ “ જો મીઠા વિના જામફળ ખાઇએ તો તાવ આવે. તો જાઓ એક જણ મારા ટેબલમાંથી છરી લઈ આવો ને બીજો કોક ઘેરથી મીઠું લઇ આવો.” કીકો દોડીને છરી લઇ આવ્યો અને ઠાકોર સાથે ભાઇબંધી કરી તેની પાસે બેસી જામફળનાં ચીરિયાં ખાવા લા. ઇન્દુ મીઠું લેવા ગયો હતો તેની ખાસ કોઇએ રાહ તો જોઇ જ નહોતી, પણ્ તે મીઠું લાવ્યો એટલે ઠાકારે “ હાં, ઠીક કર્યું. ડાહ્યો છોકરો." એમ કહી એક પાંદડામાં મીઠું મૂક્યું અને સપાટાબંધ છરી અને મોં ચલાવવા લાગ્યો. જામફળ ઘણાં હતાં પણ તે હવે આખા પોટકાનો ધણી થઈ બેઠો હતો અને કોઇને મીઠાં અને ચીરિયાં કર્યાં વિના ખાવા દેતો નતોતા. તેનું મોઢું ભરેલું હોય તે દરમિયાન જ તેના હાથ બીજા માટે કામ કરતા હતા તે સિવાય બીજાને ખાવાની તક રહી નહોતી. ઈન્દુ બિન્દુ હજી પ્રેક્ષકો જ રહ્યા હતા અને ‘મને’ ‘મને'ના વ્યર્થ ઉચ્ચારો વચ્ચે વચ્ચે કરતા હતા, પણ ટોળામાં કોઇ રોતું નહોતું, કોઈ લડતું નહોતું.

⁠પોટકું પડ્યાને હવે થોડો વખત થયો હશે. કંપાઉન્ડના દૂરના દરવાજે થઇને આ તરફ એક ગામડિયા આવ્યો અને પોટલું માગવા લાગ્યો. ઠાકોરે સૌથી પહેલી ચાલતી પકડી અને ઘરમાં જઈ પાછું પહેલાં પેઠે કૉપીબૂક લખવાનું શરૂ કર્યું. ​બી઼જાં છોકરાંને હવે જ જામફળ ખાવાનો લાગ મળ્યેા માટે બધાં પાછાં પોટકાં આસપાસ વિંટાયાં અને જામફળ વીણવા લાગ્યાં. પેલો માણસ નજીક આવી પોટકું લેવા જતો હતો એટલે કીકાએ બૂમ પાડી: “ જતો રહે, નહિ તો મારી બાને કહી દઈશ. ” એટલે તારા પદ્મા નટુ મનુ સર્વે બા અને બાપાને સંબોધી લગભગ રોવા જેવી બૂમો પાડવા લાગ્યાં. અવાજ સાંભળી લક્ષ્મીપ્રસાદ બહાર આવ્યા ને પૂછ્યું: “ શું છે ? ” પેલા ગામડિયાએ કહ્યું: “ ભાઇ, જામફળનું પોટકું વેચવા લઇ જતો હતો, વચમાં થાક્યો તે વંડીએ પોટકું ટેકાવ્યું તે આ બાજુ પડી ગયું."

⁠લક્ષ્મીપ્રસાદઃ "તમારું પોટકું તમને લેવા નથી દેતાં ! છોકરાંય તે ! ”

⁠પેલાએ કહ્યું: “શો કળજગ છે ના ! ”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...