મુખ્ય સામગ્રી પર જાઓ

રવીન્દ્ર ટાગોરનું નિવાસસ્થાન

લેખક: લીલા મજમુદાર અને ક્ષિતિજ રૉય

કલકત્તાના ઉત્તર ભાગમાં એક રસ્તો છે. ગિરદીનો ત્યાં પાર નથી. ટ્રામ છે, બસ છે, મોટર છે, પાડાગાડી છે, હાથલારી છે અને માણસો તો એટલા બધા કે ગણ્યા ગણાય નહિ. રસ્તાની બંને બાજુનાં મકાનો જાણે ખભેખભો અડાડીને ઊભાં છે. ક્યાંય હથેલી જેટલીયે ખુલ્લી જગા નથી. આ રસ્તામાંથી એક નાની ગલી ફંટાય છે. એમાં ફૂટપાથરીયે નથી. બહુ જ થોડાં ઘર છે, એક જૂનું દેવળ છે. જરા આગળ જઈએ તો બે ઘર મૂકીને ગલી પૂરી થઈ જાય છે. સામે જ મોટો દરવાજો દેખાય છે. દરવાજાની સામે જ ત્રણ માળનું મોટું મકાન છે. તેને ખડખડિયાંવાળી હારબંધ બારીઓ છે. ઘરને લાંબી લાંબી ઓસરી છે. દાયકાઓ અગાઉ એક છોકરો આ ઘરની ઓસરીમાં ઊભો રહેતો, જ્યારે વરસાદ ઝરમર વરસતો હોય. છોકરો એકવડા બાંધાનો ને ગોરો હતો. તે ઊભો ઊભો એકીટશે ગલી ભણી જોઈ રહેતો. તેને થતું કે વરસાદ પડે છે એટલે આજે માસ્તર નહિ આવે. પણ એની ધારણા ખોટી પડતી. વખત થતો એટલે માસ્તર તો ગલીને નાકે મોટી છત્રી ઓઢીને અચૂક દેખા દેતા.

આ નાના બાળકનું નામ રવીન્દ્રનાથ ટાગોર. ઘરમાં એને બધાં રવિ કહેતાં. એ ગલીનું નામ દ્વારકાનાથ લેન અને એ જૂનો રસ્તો તે કલકતાનો ચિતપોરનો સરિયામ રસ્તો. આ મકાન જોડાસાંકોના ટાગોર કુટુંબનું વંશપરંપરાનું ઘર છે. વર્ષો થયાં એ ત્યાં ઊભું છે. સાડાત્રણ એકરનો એનો વિસ્તાર છે. એમાં દીવાનખાનાં છે. નોકરોના ઓરડા છે, સ્ત્રીઓના ઓરડા છે, અખાડો છે, કચેરીઓ છે, તબેલા છે, અનેક ચોક છે, તળાવો છે, શું નથી ? આખું મકાન કારકુનોથી, ચપરાશીઓથી, મજૂરોથી, ચોકીદારોથી, પંડિતોથી, નોકરોથી, મહેમાનોથી અને તદ્દન અજાણ્યા જ માણસોથી ગાજતું રહેતું.

(‘ઘર એટલે….’ પુસ્તકમાંથી સાભાર.)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...