મુખ્ય સામગ્રી પર જાઓ

ગૂંચ

લેખક: કાન્તિલાલ કાલાણી

ખ્વાજા નસિરુદ્દીનનો એક વિચિત્ર પ્રસંગ નોંધાયો છે. ખ્વાજા જે ગામમાં રહેતા હતા તે ગામમાં અનાજ દળવાની સગવડ નહોતી, એટલે અનાજ દળાવવા દૂર આવેલા શહેરમાં જવું પડતું. ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે જેણે પોતાનું અનાજ દળાવવું હોય, તેણે પોતપોતાના ગધેડા પર અનાજની ગૂણો ભરીને જેનો વારો આવતો હોય તેને ઘરે મોકલવી અને તે માણસ ગધેડાઓને લઈ શહેરમાં જાય અને અનાજ દળાવી જેનું હોય તેને લોટ પહોંચતો કરે. અમુક સમય વીત્યા પછી ખ્વાજાસાહેબનો વારો આવ્યો. તેમણે પોતાનું ગધેડું અને બીજાં આઠ ગધેડાં પર અનાજની ગૂણો લાદી શહેરમાં જવા નીકળ્યા. અમુક અંતર કાપ્યા પછી તેમને ગધેડાંની સંખ્યા બરાબર છે કે નહિ તે અંગે શંકા ગઈ. એમણે ગધેડાં ગણ્યાં તો આઠ જ હતાં. તેઓ વિચારમાં પડી ગયાં. પોતે નવ ગધેડાં લઈને નીકળેલા અને આઠ જ થયાં ! એક ગધેડું છૂટું પડી આડે રસ્તે ચડી ગયું લાગે છે, એવો વિચાર આવતાં ગધેડા પરથી નીચે ઊતરી દૂર દૂર સુધી તપાસ કરી આવ્યા. પણ ગધેડાનો પત્તો ન લાગ્યો એટલે હતાશ થઈ ગયા. પાછા ફરીને ગધેડાં ગણ્યા તો બરાબર નવ હતાં ! તેમણે નિરાંતનો શ્વાસ લીધો. આઘુંપાછું જતું રહેલું ગધેડું આપમેળે પાછું ફરી ગયેલું જાણી રાજી થયા અને ફરી ગધેડા પર બેસી ચાલી નીકળ્યા.

ચારેક માઈલનું અંતર કાપ્યા પછી ફરી શંકાનો કીડો સળવળ્યો. આગળ-પાછળનાં ગધેડાં ગણ્યા તો આઠ જ થયાં ! ફરી એની એ જ હૈયાહોળી ! ગધેડાંને એક વૃક્ષ નીચે ઊભાં રાખી આજુબાજુ બધે ફરી વળ્યા પણ નવમું ગધેડું ક્યાંય દેખાયું નહિ. પાછા ફરી વૃક્ષ નીચે આવ્યા તો નવેય ગધેડાં ઊભેલાં ! તેઓ ખૂબ ગૂંચવાઈ ગયા. ગધેડું ગુમ થઈ જાય અને પાછું આવી જાય એ કેમ બને છે તે તેમને સમજાતું નહોતું. તેમને ભૂતપ્રેતની શંકા ગઈ ! નક્કી કોઈ પાછળ પડ્યું લાગે છે. વહેમનું ઔષધ હોતું નથી. તેમણે જ ઊભું કરેલું ભૂત મગજ પર સવાર થઈ જતું હતું અને તેમને પરેશાન કરતું હતું.

સારું થયું કે રસ્તામાં તેમને પરિચિત એવો મુસાફર મળી ગયો. ખ્વાજાસાહેબે તેની સમક્ષ હૈયાવરાળ ઠાલવી. પોતે ભૂતની જાળમાં કેવા ફસાઈ ગયા છે તેની વિગતો તેમણે કહી. પછી આજુબાજુ ચરવા ગયેલાં ગધેડાને એકત્ર કરી ગણી જોયાં તો બરાબર નવ થયાં ! ખ્વાજાસાહેબ પોતાના ગધેડા પર બેસી ગણવા લાગ્યા, તો પાછાં આઠ થયાં ! મુસાફર ખડખડાટ હસી કહેવા લાગ્યો : ખ્વાજાસાહેબ, તમે જે ગધેડા પર બેઠા છો તેને ગણતરીમાં લેતા નથી ! ગધેડાંના સહવાસમાં રહીને તમારી અક્કલ પણ ગધેડા જેવી થઈ ગઈ લાગે છે. તમે જે ગધેડા પર બેઠા છો તેને જ કેમ ભૂલી જાવ છો ? ખ્વાજાસાહેબે વિચાર કરી જોયો. પોતે જે ગધેડા પર બેઠા હતા તેની ગણતરી કરી તો પૂરા નવ ગધેડાં થયાં એટલે રાજી-રાજી થઈ ગયા. પરિચિત મુસાફરે તેમની ગૂંચ ઉકેલી ન હોત તો એ મગજની સમતુલા ગુમાવી જંગલમાં ભટકતા રહ્યા હોત અથવા ગધેડાંની લમણાંઝીકથી કંટાળી ગયા હોત.

મનુષ્યોની મોટાભાગની ગૂંચો વિચારશક્તિનો ઉપયોગ કરવાથી અથવા અનુભવીજનોની સલાહથી ઊકલી જતી હોય છે; પણ મનુષ્યો કાગળનો વાઘ કરી ડરછે અને પોતે ભગવાન કરતાં પણ વધુ ડાહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરે છે.
(‘જીવનની માવજત’ પુસ્તક માંથી.)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...