મુખ્ય સામગ્રી પર જાઓ

ગૂંચ

લેખક: કાન્તિલાલ કાલાણી

ખ્વાજા નસિરુદ્દીનનો એક વિચિત્ર પ્રસંગ નોંધાયો છે. ખ્વાજા જે ગામમાં રહેતા હતા તે ગામમાં અનાજ દળવાની સગવડ નહોતી, એટલે અનાજ દળાવવા દૂર આવેલા શહેરમાં જવું પડતું. ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે જેણે પોતાનું અનાજ દળાવવું હોય, તેણે પોતપોતાના ગધેડા પર અનાજની ગૂણો ભરીને જેનો વારો આવતો હોય તેને ઘરે મોકલવી અને તે માણસ ગધેડાઓને લઈ શહેરમાં જાય અને અનાજ દળાવી જેનું હોય તેને લોટ પહોંચતો કરે. અમુક સમય વીત્યા પછી ખ્વાજાસાહેબનો વારો આવ્યો. તેમણે પોતાનું ગધેડું અને બીજાં આઠ ગધેડાં પર અનાજની ગૂણો લાદી શહેરમાં જવા નીકળ્યા. અમુક અંતર કાપ્યા પછી તેમને ગધેડાંની સંખ્યા બરાબર છે કે નહિ તે અંગે શંકા ગઈ. એમણે ગધેડાં ગણ્યાં તો આઠ જ હતાં. તેઓ વિચારમાં પડી ગયાં. પોતે નવ ગધેડાં લઈને નીકળેલા અને આઠ જ થયાં ! એક ગધેડું છૂટું પડી આડે રસ્તે ચડી ગયું લાગે છે, એવો વિચાર આવતાં ગધેડા પરથી નીચે ઊતરી દૂર દૂર સુધી તપાસ કરી આવ્યા. પણ ગધેડાનો પત્તો ન લાગ્યો એટલે હતાશ થઈ ગયા. પાછા ફરીને ગધેડાં ગણ્યા તો બરાબર નવ હતાં ! તેમણે નિરાંતનો શ્વાસ લીધો. આઘુંપાછું જતું રહેલું ગધેડું આપમેળે પાછું ફરી ગયેલું જાણી રાજી થયા અને ફરી ગધેડા પર બેસી ચાલી નીકળ્યા.

ચારેક માઈલનું અંતર કાપ્યા પછી ફરી શંકાનો કીડો સળવળ્યો. આગળ-પાછળનાં ગધેડાં ગણ્યા તો આઠ જ થયાં ! ફરી એની એ જ હૈયાહોળી ! ગધેડાંને એક વૃક્ષ નીચે ઊભાં રાખી આજુબાજુ બધે ફરી વળ્યા પણ નવમું ગધેડું ક્યાંય દેખાયું નહિ. પાછા ફરી વૃક્ષ નીચે આવ્યા તો નવેય ગધેડાં ઊભેલાં ! તેઓ ખૂબ ગૂંચવાઈ ગયા. ગધેડું ગુમ થઈ જાય અને પાછું આવી જાય એ કેમ બને છે તે તેમને સમજાતું નહોતું. તેમને ભૂતપ્રેતની શંકા ગઈ ! નક્કી કોઈ પાછળ પડ્યું લાગે છે. વહેમનું ઔષધ હોતું નથી. તેમણે જ ઊભું કરેલું ભૂત મગજ પર સવાર થઈ જતું હતું અને તેમને પરેશાન કરતું હતું.

સારું થયું કે રસ્તામાં તેમને પરિચિત એવો મુસાફર મળી ગયો. ખ્વાજાસાહેબે તેની સમક્ષ હૈયાવરાળ ઠાલવી. પોતે ભૂતની જાળમાં કેવા ફસાઈ ગયા છે તેની વિગતો તેમણે કહી. પછી આજુબાજુ ચરવા ગયેલાં ગધેડાને એકત્ર કરી ગણી જોયાં તો બરાબર નવ થયાં ! ખ્વાજાસાહેબ પોતાના ગધેડા પર બેસી ગણવા લાગ્યા, તો પાછાં આઠ થયાં ! મુસાફર ખડખડાટ હસી કહેવા લાગ્યો : ખ્વાજાસાહેબ, તમે જે ગધેડા પર બેઠા છો તેને ગણતરીમાં લેતા નથી ! ગધેડાંના સહવાસમાં રહીને તમારી અક્કલ પણ ગધેડા જેવી થઈ ગઈ લાગે છે. તમે જે ગધેડા પર બેઠા છો તેને જ કેમ ભૂલી જાવ છો ? ખ્વાજાસાહેબે વિચાર કરી જોયો. પોતે જે ગધેડા પર બેઠા હતા તેની ગણતરી કરી તો પૂરા નવ ગધેડાં થયાં એટલે રાજી-રાજી થઈ ગયા. પરિચિત મુસાફરે તેમની ગૂંચ ઉકેલી ન હોત તો એ મગજની સમતુલા ગુમાવી જંગલમાં ભટકતા રહ્યા હોત અથવા ગધેડાંની લમણાંઝીકથી કંટાળી ગયા હોત.

મનુષ્યોની મોટાભાગની ગૂંચો વિચારશક્તિનો ઉપયોગ કરવાથી અથવા અનુભવીજનોની સલાહથી ઊકલી જતી હોય છે; પણ મનુષ્યો કાગળનો વાઘ કરી ડરછે અને પોતે ભગવાન કરતાં પણ વધુ ડાહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરે છે.
(‘જીવનની માવજત’ પુસ્તક માંથી.)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...