મુખ્ય સામગ્રી પર જાઓ

ભાઈ હું તારી બહેન થાઉં હોં

આ એક સત્ય ઘટના છે.
સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ પણ પરીક્ષાનું ઉત્તરપત્ર આપીને એકલી ઘેર જવા નીકળી. તેની પાસે ન તો સાઈકલ હતી કે ન તો કોઈ સંગાથ હતો. એટલે એ ઝડપથી એકલી એકલી ચાલતી જતી હતી. પેપર સારું ગયું હતું એનો એના હૈયામાં આનંદ હતો.

એવામાં જ એક બીજી કૉલેજનો રોમિયો સુશક્તિની પાછળ પાછળ ગમે તેવા શબ્દો બોલતો, બબડતો આવવા લાગ્યો. એ કેટલીયે વાર હોઠોના બુચકારા બોલાવતો. જાણે એને પ્રેમ કરતો હોય એવા ચાળા કરતો, સુશક્તિ ઉપર કાંકરા ફેંકતો, ઈશારા કરતો એની છેક નજદીક પહોંચી ગયો. સુશક્તિને ખ્યાલ આવી ગયો કે એની પાછળ પાછળ કોઈ આવે છે એટલે એ એક ઝાડ નીચે ઊભી રહી. એણે ચારે તરફ જોયું પણ પેલા રોમિયો સિવાય એને કોઈ દેખાયું નહિ, ત્યાં તો પેલાએ પાસે આવીને હસતા હસતા કહ્યું : ‘ચાલ, સામે હોટલ છે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાઈએ અને મજા કરીએ.’ ત્યાં જ સુશક્તિની આંખ અચાનક દૂરથી સાઈકલ પર આવતા બે છોકરાઓ પર પડી પણ પેલો રોમિયો કહે : ‘આઈ લવ યુ માય ડાર્લિંગ, ચાલ જલદી કરને…’ આ શબ્દો સાંભળતાં જ સુશક્તિએ એને પાસે બોલાવી જોરથી બે-ચાર તમાચા ચોડી દીધા અને પછી તો એને પકડીને એની સારી પેઠે ધોલાઈ કરી.

ત્યાં જ પેલા બે છોકરાઓ આવી પહોંચ્યા. એમણે પણ એ રોમિયોની સારી પેઠે ધોલાઈ કરી. એને એવો માર્યો કે બિચારો જમીન પર ઢળી પડ્યો અને રડવા લાગ્યો. અચાનક ત્યાં ફરતા-ફરતા બે પોલીસ આવી ચડ્યા. પોલીસ એને પકડીને ચાલવા લાગ્યા ત્યાં જ સુશક્તિ પેલા બે છોકરાઓને અને પોલીસને કહેવા લાગી :

‘ભાઈ, એને છોડી દો, હવે કદાપિ એ કોઈ છોકરીની છેડતી નહીં કરે.’

‘કેમ, તમે કેવી રીતે કહી શકો ?’

‘કારણ કે હું કરાટે શીખેલી છું. વળી એની ધોલાઈ મેં અને આ બન્ને ભાઈઓએ એવી તો કરી છે કે હવે હંમેશને માટે આ બધું ભૂલી જશે.’ સુશક્તિ પછી પેલા રોમિયો તરફ જોતી બોલી :

‘ભાઈ ! તું તો મારો ભાઈ જેવો છે. કૉલેજમાં સાથે ભણીએ તે ભાઈ-બહેન કહેવાય. એક વાત સમજી લે કે હવે પછી ક્યારેય કોઈ છોકરીની છેડતી કરીશ નહિ, નહીં તો તને જેલમાં પૂરી દેશે. તારાં મા-બાપ રડશે, તારી અને એમની આબરૂ જશે અને છેવટે તારી આખીયે જિંદગી બરબાદ થઈ જશે.’ આ સાંભળતાં જ પેલો રોમિયો એકદમ સુશક્તિના પગમાં પડતાં બોલ્યો : ‘બહેન ! બહેન ! મને બચાવો, હવે પછી ક્યારેય કોઈની ય છેડતી નહીં કરું.’

સુશક્તિએ એને બે હાથ વડે ઊભો કરી કહ્યું : ‘ચાલ, તને તારે ઘરે મૂકી જાઉં. હું તારી બહેન છું ને, ચાલ.’ ત્યારે સૌ એની સામે જોઈ રહ્યા.

(‘અખંડ આનંદ’ સામાયિકના વર્ષો જુના અંક માંથી )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...