મુખ્ય સામગ્રી પર જાઓ

ત્રણ બહેરા અને એક મૂંગો

એક બહેરો ભરવાડ હતો. બકરાં ચરાવવા એ રોજ જંગલમાં જતો. એક દિવસ તેની વહુ બપોરનું ભાથું આપવાનું ભૂલી ગઈ. એટલે ઘેર જઈ એણે રોટલા લાવવા પડે એવું થયું. પાસેના ડુંગરની ખીણમાં એક માણસ ઘાસ વાઢતો હતો. ભરવાડે એ માણસને કહ્યું : ‘ભાઈ, હું મારે ઘેરથી ભાથું લઈ આવું એટલી વાર મારાં બકરાનું ધ્યાન રાખજે. કોઈ છૂટું પડી આઘે ન ચાલ્યું જાય, હોં.’

ઘાસ વાઢનારોય બહેરો હતો. એણે ભરવાડને જવાબ આપ્યો. ‘ચાલ, ચાલ ! મારા ઘાસમાંથી તને શાનો આપું ?’

ભરવાડે કહ્યું, ‘મારાં બકરાંનું ધ્યાન રાખવા તે હા પાડી માટે આભાર.’ આમ કહી એ ઘેર ગયો. પાછા આવી તેણે બકરાંની ગણતરી કરી. બરાબર એટલાં જ હતાં. ઘાસ વાઢનારો ભરોસાપાત્ર લાગ્યો. એટલે તેને કંઈક ભેટ આપવાનું ભરવાડે વિચાર્યું. એક લંગડું બકરું એ આમેય હલાલ કરવાનો હતો તે બકરું ખભે ઉપાડી તે ઘાસ વાઢનારા પાસે ગયો. કહ્યું, ‘લો, આ મારા તરફથી ભેટ.’ ઘાસ વાઢનારો ભડક્યો. બોલ્યો, ‘મેં તારાં બકરાં સામે જોયું પણ નથી. તારું બકરું લંગડું થયું એમાં મારો શો વાંક ? ચાલતો થા અહીંથી !’

ઘાસ વાઢનારાનો ગુસ્સો જોઈ ભરવાડને આશ્ચર્ય થયું. ત્યાં એક ઘોડેસવાર નીકળ્યો. ભરવાડે તેને રોક્યો ને કહ્યું : ‘આ માણસ તો જુઓ. હું એને બકરું ભેટ આપું છું ને તે ગરમ થાય છે.’ હવે ઘોડેસવાર ઘોડાને ચોરીને આવતો હતો અને એ પણ બહેરો હતો. ભરવાડ અને ઘાસ વાઢનાર બંને ઘોડેસવારની સામે જોઈ જોઈને રાડો પાડીને એકબીજા સામેની ફરિયાદ સંભળાવવા માંડ્યા. બહેરો ઘોડેસવાર ઘોડા પરથી ઊતરી કહેવા લાગ્યો : ‘ખરી વાત છે, મેં ઘોડો ચોર્યો છે, પણ મને ખબર નહીં કે એ તમારો છે. મને માફ કરજો. મારાથી આ ખોટું કામ થઈ ગયું છે.’ ત્રણે જણા પોતપોતાની વાત મોટે મોટેથી કહેવા માંડ્યા. ત્યાં એક વૃદ્ધ દરવેશ નીકળ્યા. ઘાસ વાઢનારે તેમને કૉલરથી પકડી રોક્યા અને કહ્યું, ‘અમે ત્રણે જણા એકબીજાને કહી રહ્યા છીએ, પણ કોઈ સમજતું નથી. તમે જ કંઈક ઉકેલ લાવો.’

થયું એવું કે દરવેશ મૂંગા હતા. ત્રણે બોલતા હતા તે એમણે સાંભળ્યું ખરું, પણ એ કંઈ બોલી શકે એમ નહોતા. એમણે તીવ્ર વેધક દષ્ટિએ એક પછી એક ત્રણેને જોવા માંડ્યા. ત્રણે અકળાયા. દરવેશની નજરથી તેમને ડર લાગ્યો. એટલે ઘોડા પર આવેલો માણસ એકાએક ઘોડો પલાણીને નાઠો. ભરવાડે એનાં બકરાં એકઠાં કરી ગામ ભણી જવા માંડ્યું. ઘાસ વાઢનારે ભારો બાંધી ઘર ભણી ચાલવા માંડ્યું.

કોઈ કોઈનું સાંભળે નહીં ને સમજે નહીં એમ દુનિયાનો વહેવાર આંધળે બહેરા જેવો અગડંબગડં ચાલે છે. વાણીને બદલે મૌન દષ્ટિની શક્તિ ભારે બળવાન છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...