મુખ્ય સામગ્રી પર જાઓ

સબ કુછ ખો કે સબ કુછ પાયા

એક યુવાનને સત્ય અને અંતરની શાંતિ શોધવાનું મન થયું. ઘર છોડીને એ ચાલી નીકળ્યો. સિદ્ધ પુરુષો ધ્યાન ધરવા વનમાં જાય છે એવું એણે સાંભળેલું. તેથી એ જંગલમાં પહોંચ્યો. ધ્યાન ધરવા કોઈ મંત્ર જોઈએ, પણ યુવાનને કોઈ મંત્ર આવડતો નહોતો. યુવાને મન મનાવ્યું, ‘મંત્ર તો સાધન છે, ‘રામ રામ’ ચાલે અને ‘મરા મરા’ પણ ચાલે. બૂમને મંત્ર તરીકે અપનાવી યુવાને બૂમો પાડવા માંડી. ત્યાં એને એક બૌદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, ‘ભાઈ, આ શું કરે છે ?’ યુવાને કહ્યું, ‘મારે જીવનનો અર્થ જાણવો છે, સત્ય શોધવું છે, આધ્યાત્મિક શાંતિ મેળવવી છે; એટલે બૂમોના મંત્રથી જાપ જપું છું ને ધ્યાન ધરું છું.’

સાધુએ કહ્યું, ‘હું તને સહેલો રસ્તો બતાવું. તારે ગામે પાછો ફર. ગામમાં દાખલ થતાં એક પછી એક જે પહેલા ત્રણ માણસ મળે તેમને પૂછજે કે તેઓ શું કરે છે, તેમનો વ્યવસાય શો છે. યુવાન પોતાને ગામ પાછો ફર્યો. સામે પહેલા માણસ મળ્યો તેને સવાલ પૂછ્યો. પહેલા માણસે કહ્યું : ‘હું સુથાર છું. ફર્નિચર અને લાકડાંનાં સાધનો બનાવું છું.’ યુવાન આગળ ચાલ્યો. બીજો માણસ મળ્યો. તેને એ જ સવાલ પૂછ્યો. માણસે જવાબ આપ્યો, ‘હું ધાતુઓમાંથી ‘મૅટલશીટ’ બનાવું છું. એ બનાવવાનું મારું કારખાનું છે.’ આગળ જતાં યુવાનને ત્રીજો માણસ મળ્યો. યુવાને એને પણ એ જ પ્રશ્ન કર્યો. ત્રીજા માણસે કહ્યું : ‘હું ‘મૅટલશીટ’માંથી મૅટલના જાડા-પાતળા તાર બનાવું છું. એ તાર જુદાં જુદાં સાધનો, સંગીતનાં સાજ-વાજિંત્રો વગેરેમાં વપરાય છે.’ ત્રણે માણસના ઉત્તરોથી યુવાનને ન તો જીવન વિશે કે ન તો સત્ય વિશે કશું જાણવા મળ્યું, ન તો અંતરની શાંતિ મળી. એને લાગ્યું કે બુદ્ધ સાધુ છેતરી ગયા. નિરાશ થઈ એ નદીના કિનારે જઈ બેઠો. નદીનો પ્રવાહ જોતો હતો ત્યાં તેણે વાયોલિનમાંથી રેલાતા સંગીતના સૂર સાંભળ્યા. યુવાન એ સંગીતમાં લીન થઈ ગયો. સૂરની મધુરતામાં એ ખોવાઈ ગયો. એને થયું કે આ ખોવાઈ જવું એ જ જીવન છે. જીવનનું સત્ય અઘરું નથી, સહેલું છે, સરળ છે. જીવન દુઃખદાયક નથી, રસપ્રદ છે. તેને અપાર શાંતિ થઈ. શાંતિ આધ્યાત્મિક એકલપણામાં નથી, દુન્યવી ઘોંઘાટમાં પણ નથી, જીવનના સંગીતમાં છે.

યુવાનને સમજાયું કે સત્ય, જીવન કે શાંતિ દુનિયાથી ભાગીને જંગલમાં ચાલ્યા જવાથી, યાંત્રિક જપ-જાપથી, દેહને કષ્ટ આપવાથી નથી મળતાં. સુથારે ઘડેલા વાજિંત્ર, ઉદ્યોગપતિએ બનાવેલા ‘મૅટલ’ અને કારીગરે સર્જેલા તાર, એ બધાં એકત્રિત થાય ત્યારે કંઈક સુરીલું બને. જાતને ખોઈ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય. બધાં કાર્યોનું ગૌરવ કરવા, તેમનું સુગ્રથિત સંકલન કરવા અને પોતાને ખોઈ નાખવા યુવાન સંસારમાં પાછો ચાલ્યો ગયો.

બુદ્ધને કોઈકે પૂછ્યું : ‘બોધિતત્વ પામવાથી તમે શું મેળવ્યું ?’ બુદ્ધે જવાબ આપ્યો, ‘મેં કશું મેળવ્યું નથી. બધુ ગુમાવ્યું છે – મારું અજ્ઞાન, સપનાં, જડ વિચારો, અભિગ્રહો, પૂર્વગ્રહો, મહત્વાકાંક્ષાઓ, બધું ગુમાવ્યું.’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...