મુખ્ય સામગ્રી પર જાઓ

માનવતાનાં દર્શન

લેખક: મહેન્દ્ર આર. શાસ્ત્રી

1986ના જુલાઈમાં પહેલી વાર યુરોપના પ્રવાસે જવાનો યોગ સાંપડ્યો હતો. એક મલ્ટીનૅશનલ કંપનીમાં કામ કરતો હોવાથી પ્રશિક્ષણ નિમિત્તે છ અઠવાડિયાં અઠવાડિયાં માટે જર્મની અને અન્ય દેશોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. મને વીરપુરના જલારામબાપા પર શ્રદ્ધા અને ભાવનગરમાં અમારાં કુળદેવી રૂવાપરી માતાજી પર આસ્થા. પરદેશ જવાના ચાર દિવસ અગાઉ આ બંને સ્થળે દર્શન કરવાની અદમ્ય ઈચ્છા અને ભાવના. તેથી પરદેશપ્રવાસની ઘણી તૈયારીઓ કરવાની હોવા છતાં વડોદરા-વીરપુર-ભાવનગર-વડોદરા બસ દ્વારા 24 કલાકમાં જ યાત્રાની યોજના બનાવી.

એક રાત્રે વડોદરાથી 10 વાગે વીરપુર-જૂનાગઢવાળી બસમાં બેસી ગયો. રાજકોટ થઈને બસ વીરપુર સવારે 7 વાગે પહોંચી. બેઠાં બેઠાં કરેલી રાત્રિની મુસાફરીનો થાક ઉતારવા તથા પ્રાતઃકાલનાં સ્નાનાદિ કામ પતાવવા જલારામબાપાના મંદિર સામે જ એક ગેસ્ટ હાઉસમાં રૂમ માટે પૂછતાછ કરી. માલિક-મૅનેજરે એક દિવસનો ચાર્જ રૂ. 80 કહ્યો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. વાતવાતમાં મૅનેજરને જણાવ્યું કે મારે દર્શન કરીને તરત જ ભાવનગર તરફ બસમાં નીકળી જવું છે. તેણે જણાવ્યું કે વીરપુર-ભાવનગરની બસ 10 વાગે ઊપડે છે. બે-ત્રણ કલાક રહેવા માટે રૂ. 80 શા માટે ખર્ચો છો ? બાજુમાં બીજું ગેસ્ટ હાઉસ છે. ત્યાં રૂ. 15માં તમે સ્નાનાદિ કામ પતાવી થોડો આરામ કરીને બે કલાકમાં નીકળી શકો છો. આમ એણે પોતાનો ધંધો ગુમાવીને મારા પૈસા બચાવ્યા.

બાજુના ગેસ્ટહાઉસમાં રૂ. 15 આપી રહેવા ગયો. ગરમ પાણીથી નાહીને થોડો આરામ કર્યો. ચા-પાણી અને સવારના પેપર માટે ગેસ્ટ-હાઉસના વેઈટર છોકરાને બોલાવ્યો. સરસ આદુવાળી ચા પીધા પછી છોકરાને પેપર માટે રૂ. 2 આપ્યા. તેણે કહ્યું, ‘તમારે માત્ર 15-20 મિનિટ માટે પેપર વાંચવું છે તે માટે રૂ. 2 શા માટે ખર્ચો છો ?’ તેણે મને ગેસ્ટહાઉસનું પેપર વાંચવા માટે આપ્યું અને મારા પૈસા બચાવ્યા.

વીરપુરથી દર્શન કરીને દશ વાગ્યાની બસમાં ભાવનગર જવા નીકળ્યો. બે વાગ્યે પહોંચી ત્યાં રૂવાપરી માતાજીનાં દર્શન કર્યાં અને થોડો નાસ્તો-પાણી કર્યાં. ચાર વાગ્યે એસ.ટી. સ્ટેન્ડ પર પહોંચ્યો. તે વખતે બપોરે સાડા ચારથી પાંચ વચ્ચે ભાવનગર-વડોદરા અને ભાવનગર-અમદાવાદની લકઝરી બસો જતી હતી. ટેકનિકલ કારણોસર ભાવનગર-વડોદરાની બસ કૅન્સલ કરવામાં આવી હતી. મારે વડોદરા જલદી પહોંચવું હતું. તેથી અમદાવાદવાળી લકઝરી બસમાં બેઠો. અમદાવાદથી કોઈ બસ-ટ્રેનમાં વડોદરા પહોંચી જઈશ એવું મનમાં હતું. કંડકટર ટિકિટ આપવા આવ્યો ત્યારે મેં તેને મારી વાત જણાવી અને અમદાવાદ સુધીની ટિકિટ માટે પૈસા આપ્યા. કંડકટરે મને ભાવનગરથી ધંધૂકાની ટિકિટ લેવા કહ્યું અને ધંધૂકામાં મઢી-વડોદરા બસનું કનેકશન મળી જશે તો મારા પૈસા અને સમય બચશે તેમ જણાવ્યું. ધંધૂકામાં બસ ઊભી રહી ત્યારે કંડકટરે મારી સાથે આવીને મઢી-વડોદરાની બસ ચાલી નથી ગઈ તેની ખાતરી કરી પછી તેણે પોતાની અમદાવાદની બસ ચલાવી.

આ ત્રણે બનાવો સવારના સાત થી સાંજના સાત વાગ્યા સુધીમાં, બાર કલાકમાં બન્યા. ત્રણ અદના માનવીઓ – ગેસ્ટ હાઉસ મૅનેજર, વેઈટર બૉય અને બસ કંડકટર – આ પાત્રોએ જે પરોપકાર અને માનવતાની ભાવના દેખાડી તે આજ સુધી મારા માનસપટ પર અવિસ્મરણીય રહી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...