મુખ્ય સામગ્રી પર જાઓ

શિક્ષિત સસલું

લેખક:  કર્દમ ર. મોદી
એક સસલો હતો. તેનું મગજ જરા તેજ હતું. આથી નાનપણથી શિક્ષણ મેળવવાની ઝંખના વધારે પડતી હતી. આથી એને સારી શાળામાં દાખલ કરવામાં આવ્યો અને એ ખૂબ મહેનત કરતો અને ખૂબ સારા પરિણામો લાવતો. આથી ભણવામાં હંમેશાં એ મોખરે રહેતો. ભણવામાં મોખરે રહેવું એ ઘણી સારી વાત ગણાય પરંતુ સસલાની તકલીફ એ હતી કે સારું ભણવાને લીધે એ અભિમાની બની ગયો. અને જ્યાં ને ત્યાં એવું જ બતાવ્યા કરે કે પોતે જ બુદ્ધિશાળી છે અને બીજા બધા મૂર્ખ અથવા અજ્ઞાની છે. જેણે શિક્ષણ નથી લીધું તેનું જીવન એળે ગયું છે વગેરે વગેરે.

જ્યારે એ ભણીને ઘેર પાછો આવતો હતો ત્યારે પોતે બધાનાથી વિશેષ છે એવો ભાવ એના મનમાં રમ્યા કરતો હતો. એવામાં સામે એક મગર મળ્યો. સસલાને થયું કે ચાલ મગર સાથે થોડી વાતો કરીને માઈન્ડ ફ્રેશ કરું. એટલે એ મગર સાથે વાતે વળગ્યો. એણે મગરને પહેલાં જ પૂછ્યું કે, ‘તું શું ભણ્યો છે ?’ મગર કહે, ‘ભાઈ એ મારું કામ નહીં. આપણે તો બસ જીવન ગુજારીએ છીએ. ભૂખ લાગે ત્યારે નદીમાં પડવાનું, શિકાર શોધવાનો અને પેટ ભરાઈ જાય એટલે નદીના કાંઠે ઝાડ નીચે પડ્યા રહેવાનું. સસલો કહે, ‘અરે યાર, આ તે કંઈ જીવન છે. જે ન ભણ્યા એની જિંદગી પાણીમાં ગઈ અને તારી જિંદગી તો આમેય પાણીમાં જ પસાર થાય છે. તમને ખબર નથી પડતી કે તમે ભણ્યા વગર કેટલું ગુમાવો છો ! ભણો તો ખબર પડે કે આ દુનિયા કેટલી મોટી છે ? તમારામાં અને કૂવામાંના દેડકામાં કશો ફરક નથી. વળી, અભણ અને આંધળો બંને સરખા. કંઈક ભણો તો બુદ્ધિનો વિકાસ થશે.’ એમ કહીને સસલાએ શિક્ષણના મહત્વ પર લાંબુ લચાક ભાષણ આપી દીધું. મગર બિચારો સસલાના શિક્ષણ પરના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિચાર સાંભળીને સૂઈ ગયો.

સસલાને થયું કે, ‘આ ઘનચક્કરને મેં ક્યાં શિક્ષણની વાતો કરી. આ જાડી ચામડીવાળાને આ વાતોની જરૂર જ ક્યાં છે ?’ એમ વિચારીને સસલો આગળ ગયો તો આગળ નદી પાર કરવાની આવી. હવે સસલાને તરતા આવડે નહિ એટલે શું કરે ? એટલે તરત જ એને મગરની યાદ આવી ગઈ. એ દોડતો દોડતો મગર પાસે આવ્યો. મગરને જગાડ્યો અને મગરની પીઠ પર બેસીને નદી પાર કરી. સસલાને થયું કે આ અભણ લોકો તો આ કામ માટે જ જન્મ્યા છે.

કાંઠાની પેલે પાર જઈ રસ્તામાં સસલાને વાંદરો મળ્યો. એટલે સસલાએ વાંદરાને પૂછ્યું કે, ‘તું ભણેલો છે ?’ વાંદરો કહે કે ‘ના.’ એટલે સસલાએ વાંદરાને પણ ઊભો રાખીને શિક્ષણ વિષે લાંબુલચાક ભાષણ આપી દીધું. એવામાં વરસાદ પડવા લાગ્યો. રાત કાઢવાનો પ્રશ્ન ઊભો થયો. સસલો ગભરાઈ ગયો. વાંદરો કહે, ‘હું વ્યવસ્થા કરી આપું છું.’ અને વાંદરાએ ઝાડ પર ચઢીને થોડી ડાળીઓ અને પાંદડા તોડીને નાની એવી સુંદર જગ્યા બનાવી દીધી કે જેની અંદર સસલાની રાત સારી રીતે પસાર થાય. જાણે કે એક નાની ઝૂંપડી. સસલાએ ચૂપચાપ રાત પસાર કરી અને સવારે શાંતિથી નીકળી ગયો. તેને થયું કે વાંદરાએ ઝૂંપડી ન બનાવી આપી હોત તો મારું આવી જ બનત.

પછી તેને કાબરો મળી. સસલાએ જાણી લીધું કે કાબરો પણ ભણી નથી. એટલે એણે વળી શિક્ષણના મહત્વની કેસેટ વગાડવા માંડી. વાત કરતાં કરતાં બપોર પડી. સસલાભાઈને ખૂબ ભૂખ લાગી. આજુબાજુ ક્યાંય ઘાસ નહોતું. એટલે કાબરો ઉડીને નદી કાંઠે જઈને લીલુછમ ઘાસ સસલા ભાઈ માટે લઈ આવી કે સસલાભાઈ આટલું ભણેલા છે તો આપણે એમની સેવા કરવી જોઈએ. વળી સસલું આગળ ગયું તો વાઘ મળ્યો. સસલાએ વાઘને પણ શિક્ષણની વાતો કરી અને આગળ વધ્યું. એવામાં સામેથી બે શિકારી કૂતરા સસલા તરફ ધસી આવતા હતા. સસલાને લાગ્યું કે, ‘હવે મર્યા.’ જીવ બચાવવા તે દોડ્યો સીધો વાઘ પાસે. વાઘે સસલાને શિકારી કૂતરાના પંજામાંથી છોડાવ્યું અને સસલું આગળ વધ્યું.

હવે સસલાને ખબર પડી કે પોતે બુદ્ધિ અને દિમાગના જોર પર ભણી તો કાઢ્યું પરંતુ પોતાની પાસે માત્ર પુસ્તકીયું જ્ઞાન જ છે, વ્યવહારુ જ્ઞાન તો છે જ નહિ. જીવન જીવવા માટે વ્યવહારુ જ્ઞાન જરૂરી છે. મગરની પાણીમાં તરવાની આવડત, વાંદરાની ઝૂંપડી બનાવવાની આવડત, કાબરની ઉડવાની આવડત અને વાઘની રક્ષણ કરવાની આવડત આગળ પોતાનું પુસ્તકીયું જ્ઞાન સસલાને થોડું ઉતરતું લાગવા માંડ્યું. એને થયું કે મગજની સાથે સાથે આપણા શરીરના અન્ય અંગો પણ કામ કરવા જોઈએ. ત્યારથી સસલાએ કમ સે કમ નહીં ભણેલા પ્રાણીઓને ઉતારી પાડવાનું અને મશ્કરી કરવાનું છોડી દીધું. એને થયું કે આ દુનિયા બધાથી ચાલે છે, માત્ર ભણેલાથી નહીં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...