મુખ્ય સામગ્રી પર જાઓ

સોનેટ એક કાવ્ય પ્રકાર

લેખક: આજ્ઞાત 
સોનેટ એ મૂળ ઇટાલીયન કાવ્ય પ્રકાર છે. 13 મી સદીના જેકોપો લેન્ટીની નામના ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફ્રેડરીક – બીજાના દરબારમાં રજુ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રીય થયું હોય તો ચૌદમી સદીના ફ્રાંસેસ્કો પેટ્રાર્કાની રચનાઓથી થયું છે.
        
આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચનાનો પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીની શરુઆતમાં કર્યો હતો એમ મનાય છે. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. પણ શેકસ્પીયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે.
          
ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ. શ્રી. બળવન્તરાય ઠાકોર હતા. 

 સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છન્દ કોઇ પણ હોઇ શકે છે. પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે બે જાતના સોનેટ પ્રચલિત છે.

પેટ્રાર્કશાયી સોનેટ –  મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી
આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8  પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે. બીજા ચરણમાં આ વિચારમાંથી નીપજતો સાર અથવા તેનાથી વિરુધ્ધનો વિચાર રજુ કરવામાં આવે છે.  
શેક્સ્પિયરશાયી સોનેટ – શેક્સ્પીયરે શરૂ કરેલી શૈલી
આમાં કુલ ચાર ચરણ હોય છે. 4-4-4 અને 2 . પહેલી ત્રણ ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે, તેને લગતા ઉદાહરણો આપવામાં આપવામાં આવે છે , વિગેરે . છેલ્લી બે પંક્તિમાં આમાંથી નીપજતો સાર વાચકને મળે છે.

સૉનેટના ઉદ્ભવકાળે તેનો પ્રધાન વિષય માત્ર પ્રેમ હતો. સૉનેટમાળામાંનાં પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર હોય છે. છતાં તેનું અનુસંધાન બીજા સૉનેટમાં જળવાતું હોય છે. ઇ.સ. ૧૮૮૮માં ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ સૉનેટ રચાયું. અને ત્યાર પછી સૉનેટ વિકાસની યાત્રા આગળ વધતી જ રહી છે. તેના આદ્યસ્થાપક શ્રી બ. ક. ઠાકોર એક બૌધ્ધિક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમની પ્રેમવિષયક સૉનેટ રચનાઓ ચિંતન પ્રધાન સૉનેટના ઉત્તમ નમૂના છે. પ્રાસ પ્રત્યે શ્રી ઠાકોરનું વલણ સ્વતંત્ર છે. પ્રાસની બાબતમાં તેઓ કોઈ નિશ્ર્ચિત યોજનાને વળગી રહ્યા નથી. શ્રી બ. ક. ઠાકોરથી શરૂ થયેલી આ સૉનેટયાત્રા આધુનિક યુગના રાજેન્દ્ર શાહ, ઉશનસ્, ચીનુ મોદી, ભગવતીકુમાર શર્મા વગેરે સૉનેટસર્જકો સુધી વિસ્તરી છે. સુખદુઃખ જેવાં માનવીય સંવેદનો, પ્રકૃતિની વિવિધલીલા, તેનાં તત્વો, પ્રણયનાં વિવિધ ભાવરૂપો જેવા વિષયો એમાં નિરૂપાયા છે. વિવિધ છંદપ્રયોગો પણ થયા છે. ગુજરાતીમાં આ કાવ્યપ્રકારને મુક્તવિહારનું વાતાવરણ મળ્યું છે. ફક્ત ચૌદ પંક્તિમાં ભવ્ય વસ્તુ અહીં કલારૂપ પામે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...