મુખ્ય સામગ્રી પર જાઓ

સોનેટ એક કાવ્ય પ્રકાર

લેખક: આજ્ઞાત 
સોનેટ એ મૂળ ઇટાલીયન કાવ્ય પ્રકાર છે. 13 મી સદીના જેકોપો લેન્ટીની નામના ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફ્રેડરીક – બીજાના દરબારમાં રજુ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રીય થયું હોય તો ચૌદમી સદીના ફ્રાંસેસ્કો પેટ્રાર્કાની રચનાઓથી થયું છે.
        
આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચનાનો પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીની શરુઆતમાં કર્યો હતો એમ મનાય છે. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. પણ શેકસ્પીયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે.
          
ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ. શ્રી. બળવન્તરાય ઠાકોર હતા. 

 સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છન્દ કોઇ પણ હોઇ શકે છે. પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે બે જાતના સોનેટ પ્રચલિત છે.

પેટ્રાર્કશાયી સોનેટ –  મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી
આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8  પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે. બીજા ચરણમાં આ વિચારમાંથી નીપજતો સાર અથવા તેનાથી વિરુધ્ધનો વિચાર રજુ કરવામાં આવે છે.  
શેક્સ્પિયરશાયી સોનેટ – શેક્સ્પીયરે શરૂ કરેલી શૈલી
આમાં કુલ ચાર ચરણ હોય છે. 4-4-4 અને 2 . પહેલી ત્રણ ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે, તેને લગતા ઉદાહરણો આપવામાં આપવામાં આવે છે , વિગેરે . છેલ્લી બે પંક્તિમાં આમાંથી નીપજતો સાર વાચકને મળે છે.

સૉનેટના ઉદ્ભવકાળે તેનો પ્રધાન વિષય માત્ર પ્રેમ હતો. સૉનેટમાળામાંનાં પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર હોય છે. છતાં તેનું અનુસંધાન બીજા સૉનેટમાં જળવાતું હોય છે. ઇ.સ. ૧૮૮૮માં ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ સૉનેટ રચાયું. અને ત્યાર પછી સૉનેટ વિકાસની યાત્રા આગળ વધતી જ રહી છે. તેના આદ્યસ્થાપક શ્રી બ. ક. ઠાકોર એક બૌધ્ધિક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેમની પ્રેમવિષયક સૉનેટ રચનાઓ ચિંતન પ્રધાન સૉનેટના ઉત્તમ નમૂના છે. પ્રાસ પ્રત્યે શ્રી ઠાકોરનું વલણ સ્વતંત્ર છે. પ્રાસની બાબતમાં તેઓ કોઈ નિશ્ર્ચિત યોજનાને વળગી રહ્યા નથી. શ્રી બ. ક. ઠાકોરથી શરૂ થયેલી આ સૉનેટયાત્રા આધુનિક યુગના રાજેન્દ્ર શાહ, ઉશનસ્, ચીનુ મોદી, ભગવતીકુમાર શર્મા વગેરે સૉનેટસર્જકો સુધી વિસ્તરી છે. સુખદુઃખ જેવાં માનવીય સંવેદનો, પ્રકૃતિની વિવિધલીલા, તેનાં તત્વો, પ્રણયનાં વિવિધ ભાવરૂપો જેવા વિષયો એમાં નિરૂપાયા છે. વિવિધ છંદપ્રયોગો પણ થયા છે. ગુજરાતીમાં આ કાવ્યપ્રકારને મુક્તવિહારનું વાતાવરણ મળ્યું છે. ફક્ત ચૌદ પંક્તિમાં ભવ્ય વસ્તુ અહીં કલારૂપ પામે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...