મુખ્ય સામગ્રી પર જાઓ

પીઝાની બીજી બાજુ

ખાસ વાંચજો મિત્રો...આ પોસ્ટ વાંચ્યા બાદ કદાચ તમારી વિચાર પેટર્ન બદલાઈ જાય, અચૂક વાંચો અને શેર કરો !

"પત્ની બોલી: આજ ધોવા માટે વધારે કપડા ના નાખતા"
- કેમ?
"એણે કહ્યું, આપણી કામ વાળી બાઈ ૨ દિવસ નથી આવવાની"
- કેમ?
"ગણપતિ વિસર્જન માટે એની દીકરી, જમાઈ અને દીકરી ની બાળકી ને મળવા માટે જવાની છે, મને કેતી હતી"...
- સારું વધારે કપડા નઈ કાઢું બસ!
"અને હા ગણપતિ માટે ૫૦૦ રુપીયા આપું એને, તહેવાર નું બોનસ?"
- કેમ, હજુ દિવાળી આવે છે ને, ત્યારે આપીશું.
"અરે ગરીબ છે બિચારી, છોકરી ના ઘરે જઈ રહી છે. આપીશું તો એને પણ સારું લાગશે.. અને આ મોઘવારી ના સમય માં ટૂંકા પગાર માંથી તહેવાર કેવી રીતે મનાવશે બિચારી?"
- તું પણ છે ને, જરૂર કરતા વધારે ભાવુક છે.
"અરે નઈ ચિંતા ના કરો, હું આજનો પિઝ્ઝા ખાવાનો કાર્યક્રમ રદ્દ કરી દઉં છું. વગર ફોગટના ૫૦૦ રૂપિયા ઉડી જશે વાસી પાઉં ના આઠ ટુકડા ની પાછળ"...
- વાહ વાહ શું વાત છે! અમારા મોઢાં માંથી પિઝ્ઝા છીનવીને બાઈ ની થાળી માં??

(૩ દિવસ પછી પોતું કરતી કામવાળી ને પતિએ પૂછ્યું.)
- કેમ, કેવી રઈ છુટ્ટી?
"ખુબ સારી સાહેબ, દીદીએ ૫૦૦ રૂપિયા આપ્યા હતા ને તહેવાર નું બોનસ"..
- અચ્છા, મતલબ શું કર્યું એ ૫૦૦ રૂપિયાનું?
"જમાઈ માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ, બેબી માટે ૪૦ રૂપિયા ની ઢીંગલી, દીકરી માટે ૫૦ રૂપિયા ના પેડા, બીજા ૫૦ રૂપિયા ના પેડા મંદિર માં પ્રસાદ ચઢાવી, ૬૦ રૂપિયા ભાડા ના થયા, ૨૫ રૂપિયા ની બંગળીઓ દીકરી માટે, અને જમાઈ માટે ૫૦ રૂપિયા નો બેલ્ટ લીધો સારા માનો, વધેલા ૭૫ રૂપિયા બેબી ને આપી દીધા નોટ પેન્સિલ ખરીદવા માટે"... (કચરા-પોતું કરતા કરતા પૂરો હિસાબ એણે જાણે કંઠસ્થ હતો)..

- ૫૦૦ રૂપિયા માં આટલું બધું? એ આશ્ચર્ય સાથે માનો-મન વિચાર કરવા લાગ્યો...

એની આંખો સામે આંઠ ટુકડા કરેલો મોટી સાઈઝ નો પિઝ્ઝા ઘુમવા લાગ્યો. એક એક ટુકડો એના મગજ પર જાણે હથોડા મારતો હતો. પોતાના ૧ પિઝ્ઝા ના ખર્ચની તુલના પેલી કામવાળી બાઇ ના તહેવાર ના ખર્ચ થી કરવા લાગ્યો... પહેલો ટુકડો બેબીની ઢીંગલી, બીજો ટુકડો પેડાનો, ત્રીજો ટુકડો મંદિરનો પ્રસાદ, ચોથો ભાડાનો, પાંચમો જમાઈના શર્ટનો , છટ્ઠો બંગળીનો, સાતમો જમાઈના બેલ્ટનો, અને આંઠમો બાળકીની નોટ-પેન્સિલનો...

આજ સુધી એણે હંમેશા પિઝ્ઝા ની એકજ બાજુ જોઈ હતી. કદી ફેરવી ને નહોતું જોયું કે પીઝ્ઝો પાછળ થી કેવો લાગે છે. પણ આજે કામવાળી બાઈયે એને પિઝ્ઝા ની બીજી બાજુ બતાવી દીધી હતી. પિઝ્ઝા ના આંઠ ટુકડા એને જીવન નો અર્થ સમજાવી ગયા.

"જીવવા માટે ખર્ચ" કે "ખર્ચવા માટે જીવન" નો નવિન અર્થ એક ઝટકામાં એને સમજાઈ ગયો...

(fb.com/DongrejiMaharaj માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...