મુખ્ય સામગ્રી પર જાઓ

ડુંગળીની આત્મકથા

લેખક: રુપેન પટેલ
હું એક ડુંગળી છું. મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ડિંડોરી ગામમાં થયો હતો. મારા જન્મ માટે ખેડૂતે ખૂબ જ મહેનત કરી હતી. મારા જન્મ સમયે ખેડૂત અને તેનો પરિવાર ઘણો ખુશ હતો. તેમની લાગણીઓ અને ખુશી જોઈને હું પણ રાજી થઈ ગઈ હતી. મને જમીનમાંથી બહાર કાઢી સાફ-સફાઈ કરી બીજી ડુંગળીના ઢગલામાં સામેલ કરવામાં આવી. ઢગલામાં બીજી ડુંગળીઓ સાથે મારી દોસ્તી થઈ. અમે બધી ડુંગળીઓ જમીનમાંથી બહાર આવીને આ નવી દુનિયાને જોઈ રોમાંચિત થઈ ગઈ હતી.
હવે અમને કાંટા પર તોલી બારદાનમાં ભરવામાં આવી. કાંટા પર વજન કરતી વખતે એક મજૂર બીજા મજૂર સાથે વાતો કરતો હતો કે ‘અત્યારે મોંઘામાં મોંઘી ડુંગળી છે.’ આ વાત સાંભળી મને મારી જાત પર અભિમાન થયું. સામેની તરફ ખુલ્લા મેદાનમાં મૂળા અને કોબીજનો ઢગલો પડ્યો હતો પણ તેની તરફ કોઈનુંય ધ્યાન ન હતું . બધાની નજર માત્ર અમારી તરફ હતી. એક ભાઈ એમ કહેતા હતા કે, ‘અત્યારે તો ડુંગળીને ખુલ્લા ખેતરમાં ના મુકાય. તેને તો બંધ ગોડાઉન માં જ રખાય. આવી મોંઘી અને કિંમતી ડુંગળી કોઈ ચોરી જાય તો ?’ ‘ચોરી’નો શબ્દ સાંભળી મારા મનમાં ડર ઘર કરી ગયો અને મોંઘા હોવાનું અભિમાન ઘટી ગયું .
ડુંગળીની આત્મકથા:
‘બીજા દિવસે બજારમાં લઇ જઈશું’ એવી પરસ્પર થતી વાતો સાંભળીને કુતૂહલ થયું. બજાર એટલે ખેતર અને ગામથી દૂર કોઈ નવી દુનિયામાં જવા મળશે એમ વિચારી આનંદ થયો. વહેલી સવારે ટ્રકમાં બધા બારદાન ભરી અમને બજારમાં લઈ જવામાં આવી. બજારમાં બીજી ઘણી શાકભાજીઓ જોઈ નવું જાણવા મળ્યું. છતાં બજારમાં પણ ડુંગળીની જ બોલબાલા હતી ! મોટા અવાજે બુમો પાડીને ડુંગળીના સોદા થતા હતા પરંતુ અમારા ખેડૂતને અમારો ભાવ સસ્તો લાગતાં અમારી હરાજી ના થઈ શકી અને અમારે વીલાં મોઢે ગામ પાછું જવું પડ્યું. ખેડૂતે ગામ પરત ફરતાં ટ્રક ચાલક સાથે વાત કરી કે ‘કાલે સવારે ફરીથી આપણે ડુંગળી શહેરમાં ઊંચી કિંમતે વેચીશું.’ બીજા દિવસે શહેરમાં ઊંચા ભાવે વેચાણ થાય એની અમારે રાહ જોવી રહી. એ પછી બીજા દિવસની સવાર પડતાં જ ખેડૂત અમને લઈ શહેરમાં વેચવા નીકળ્યો. શહેરમાં ચાર રસ્તા પર ખેડૂતે બુમ પાડી કે ‘લઈ લો મોંઘી ડુંગળી સસ્તામાં…., રસ્તાનો માલ સસ્તામાં….’ દશ જ મિનિટમાં લોકોની ભીડ જામી ગઈ ! અમને પણ આટલી બધી ભીડ જોવાનો પહેલવહેલ અનુભવ થયો. હવે અમારો ભાવ બોલાયો ૬૦ રૂ. કિલો. ભાવ સાંભળતા જ અડધા લોકો તિરસ્કારની નજર કરી દૂર હટ્યાં અને બબડતાં બબડતાં પાછા વળી ગયા. આ તિરસ્કારની નજર જોઈ મોંઘા હોવાનું અભિમાન ઓગળવા લાગ્યું . જે લોકો ખરીદી કરતાં હતાં એ પણ એમ બોલતા હતા કે ‘આ તો સ્વાદની મજબૂરી છે, બાકી આવી મોંઘી ડુંગળી કોણ ખરીદે ? આવી ડુંગળી ખરીદવા કરતાં તેનો ત્યાગ જ કરવો જોઈએ.’ આવા કડવાવેણ સાંભળી મન હચમચી ગયું. ગરીબો તો દૂરથી જ જોઈને બોલતાં હતાં કે ‘પહેલાં ડુંગળી સમારતા આંખોમાં પાણી આવતાં હતાં પણ હવે તો ભાવ સાંભળીને દૂરથી જ આંસુ આવે છે.’ ગરીબો કહે કે ડુંગળી તો આપણી કસ્તુરી હતી અને તે પણ મોંઘી થઇ ગઈ. હવે તો તે અમીરોની થાળીઓ માં જ શોભે. ગરીબોના આંસુ જોઈ અમારું પણ મન ભરાઈ આવ્યું અને મનમાં ચિંતા થઈ કે અમારું શું થશે ?
વધુ ભીડને કારણે પોલીસ આવતાં અમારું વેચાણ અટકાવી દીધું અને લોકોને ભગાડી મૂક્યા. હવે તો ખેડૂત પણ થાકી ગયો હતો તેથી કંટાળીને પાછા ગામ પાછો ફર્યો. ખેડૂત મૂંઝવણમાં હતો. એને થતું કે આ ડુંગળીઓનું શું કરું ? મોડી રાત્રે પુરવઠા ખાતાનો દરોડો પડ્યો અને વધુ જથ્થાના સંગ્રહ માટે ખેડૂતને દંડ કર્યો તથા ચેતવણી પણ આપી કે કાલે સવારે નીચી કિમંતે પણ ડુંગળી બજારમાં વેચી મારવી. ખેડૂત હવે ક્રોધિત થઈ ગયો અને રાત્રે જ અમને શોપિંગ મૉલના મનેજરને વ્યાજબી ભાવે વેચી આવ્યો. હવે અમારું નવું ઠેકાણું એરકંડીશન શોપિંગ મૉલ હતું. મૉલમાં ડુંગળી માટે બધી શાકભાજી કરતાં અલગ અને અલાયદું કાઉન્ટર હતું. લોકો અમારો ભાવ જોઈ મૂળો ખરીદીને અમારો તિરસ્કાર કરતાં નીકળી જતાં. જોતજોતામાં મૂળો વેચાઈ ગયો અને અમારી તો બોણી પણ થઇ ન હતી ! મેનેજરે બપોર પડતાં જ અમારી કિમંત ઘટાડી દીધી. હવે કદાચ અમારું વેચાણ થશે તેવી આશા બંધાઈ. એટલામાં એક શેઠાણી મૉલમાં આવતાં અમારી નજર તેમના પર પડી પણ તેમની એક નજર અમારી પર ના પડતાં અમને ઘણો અફસોસ થયો. એવામાં જ એક ફાઈવસ્ટાર હોટલના મેનજરની નજર પડતાં તેને અમારી કિમંત વ્યાજબી લાગી. તેઓ અમને ખરીદીને હોટલમાં લઈ ગયા.
ડુંગળીની આત્મકથા:
ફાઈવસ્ટાર હોટલમાં જતાં અમે બધી ડુંગળીઓ થોડી ખુશ હતી અને એવામાં અમને ખબર પડી કે ટોચના ઉદ્યોગપતિની પાર્ટી માટે અમારી ખરીદી થઈ છે – તેથી અમારું ઓગળેલું અભિમાન ફરી વધ્યું. હવે રસોઈયાએ એક એક પડ દૂર કરી સમારવાની તૈયારી કરી ત્યાં જ અંત નજીક જોતાં અમે બધી ડુંગળીઓ રોવા માંડી. કપાતાં કપાતાં ખેતરથી હોટલ સુધીની સફર યાદ આવી ગઈ અને ફરી ડુંગળીનો જન્મ ના મળે તેવો અંતિમ વિચાર આવ્યો. આખરે લોકોને રડાવતાં અમે ડુંગળીઓએ રડતાં રડતાં મોંઘવારીની દુનિયામાંથી વિદાય લીધી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...