મુખ્ય સામગ્રી પર જાઓ

૧૦ વ્યભિચારિણી વારુણી

 પૂર્વે રત્નાવતી નગરીમાં ધર્મકાન્ત નામનો એક ધનાઢ્ય વ્યાપારી વસતો હતો. તેની વારુણી નામની સ્ત્રી અત્યંત વ્યભિચારિણી હોવાથી તેને સંતતિ થતી ન હતી. તેના પતિએ અગણિત દ્રવ્ય ખર્ચીને તીર્થયાત્રા આદિ કરી, પણ તેનું કાંઈ પણ ફળ ન મળવાથી અંતે નિરાશ થઈને બેસી રહ્યો. ત્યારપછી એક દિવસ વારુણી પોતાના પતિને કહેવા લાગી કે –“અહીંથી બાર ગાઉ ઉપરના પર્વત પર જગદંબા દેવીનું મંદિર છે, તેની માનતા માનવાથી અને તેને નૈવેદ્ય ચઢાવવાથી સંતતિ અવશ્ય થાય છે, એવો ઘણાકોને અનુભવ મળ્યો છે. એટલા માટે મારો એવો વિચાર છે કે, આપણે પણ ત્યાં જઈએ અને દેવીને નૈવેદ્ય ચઢાવી સંતાનસુખ મેળવીએ.” પોતાના પતિને​એવી ભુલથાપ આપી ઘરમાંનાં મૂલ્યવાન રત્નો, અને સુવર્ણાલંકાર ઇત્યાદિ પોતાના જારના હાથમાં સોંપી માર્ગમાં ક્યાંય પણ લાગ જોઈને પતિને પરલોકમાં પહોંચાડી દેવાનો તેણે સંકેત કર્યો અને પાતાના તે દુષ્ટ હેતુને પાર પાડવા માટે તે પતિને આડી વાટોમાંથી લઈ ચાલી. અડધો માર્ગ કપાયો ત્યાં સૂર્યનો અસ્ત થયો અને તેવામાં વળી તે સ્ત્રીએ એવો ઢોંગ કર્યો કે;-“મારા પગમાં જબરો કાંટો પેસી ગયો છે એટલે મારાથી એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી !” પતિ તેને ખભે બેસાડીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. એવા માં લગભગ દોઢ પ્રહર જેટલી રાત થવા આવી. તે વેળાએ તે સ્ત્રીએ કહ્યું કે;–“મને બહુ જ તરસ લાગી છે, મારા પ્રાણ નીકળી જાય છે, માટે ગમે ત્યાંથી પાણી લાવો અને મને પીવડાવો !” માર્ગથી જરાક દૂર એક કૂવો હતો ત્યાં ધર્મકાન્ત પોતાની પત્ની સહિત ગયો અને દોરી લોટો સાથે હોવાથી કૂવામાંથી પાણી કાઢીને પ્રથમ તેણે તે સ્ત્રીને પીવા માટે આપ્યું. ત્યાર પછી તે સ્ત્રી આમતેમની કેટલીક વાતો કરીને વખત વીતાડી પોતાના યારના આવવાની વાટ જોવા લાગી, પરંતુ તે આવ્યો નહિ એટલે જતી વેળાએ પાછું તેણે પાણી માગ્યું. ધર્મકાન્ત પાણી કાઢતો હતો એટલામાં ધીમેથી તેની પાછળ જઈ તે પાતકી પ્રમદાએ પતિના બન્ને પગ પકડીને તેને ઊંધે માથે કૂવામાં નાખી દીધો, અને ઉપરથી મોટા મોટા પત્થર નાખીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી જ્યારે તેનો યાર આવી લાગ્યો એટલે તેને તેણે પોતાની વીરતાનો ઇત્થંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો. વારુણી અને તેનો જાર ત્યાર પછી ત્યાંથી બીજા કોઈ દેશમાં ચાલ્યા જવા માટે નીકળ્યાં. તેઓ ચાલ્યાં જતાં હતાં એવામાં કર્મધર્મ સંયોગે અચાનક વારુણીના કેટલાક આપ્તજનો બીજે ગામથી વળ્યા હતા તે માર્ગમાં મળી ગયા અને તેમણે તેને પૂછ્યું કે;–“તમે આ પારકા પુરુષ સાથે ક્યાં જાઓ છો ?” તત્કાળ કાંઈ ઉત્તર ન સૂઝવાથી તે પાપિની ગભરાઈ ગઈ અને ​તેથી શક પડતાં તેને તથા તેના જારને બાંધીને તેમણે ખૂબ મેથીપાક જમાડ્યો. ચૈાદમા રત્નના પ્રતાપે તે બન્નેએ પોતાના પાપકર્મનો સ્વીકાર કરવાથી તે આપ્તજનોએ તે બન્નેને ત્યાંનાં ત્યાંજ ઠાર કરી નાખ્યાં. અર્થાત્ હે વારાંગને ! જો તું અત્યારે મને મારી નાખીશ, તો તારી પણ અવશ્ય એવી જ દશા થવાની; કારણ કે, પ્રાત:કાળ થતાં ફોજદાર ચારે તરફ ઘોડેસવારોને દોડાવીને તને અને તારા બાપને પકડી મંગાવશે અને બન્નેને યમલોકના માર્ગમાં પઠાવી દેશે. એટલા માટે દયામયી થઈને મને જીવનદાન આપ-એમાં જ તારૂં કલ્યાણ સમાયલું છે.

એ પ્રમાણેનું રક્તસેનનું ભાષણ સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;–“આજ સુધીમાં મેં તારા જેવા શતાવધિ પુરુષોને પરલોકમાં પહોંચાડી દીધા છે, ત્યાં તારા એકલાની શી કથા વારૂ ?" એ ઉત્તર સાંભળીને રાજકુમાર પુનઃ આર્જવતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે;-“હજી રાત ઘણી બાકી છે, એટલે હું તને એક બીજી કથા સંભળાવું છું તે સાંભળી લઈને જો દયા આવે, તો મને જીવતો રાખજે; નહિ તો પછી મરણ તો આજે મારા ભાગ્યમાં લખાયલું છે જ.” મદનમોહિની ઊઠી હતી તે પાછી નગ્ન અસિને હસ્તમાં રાખી બાજઠ પર બેસીને કહેવા લાગી છે;–“વારૂ-સંભળાવ તે કથા શીધ્રતાથી; વિશેષ વિલંબ ન કરીશ !” અનુમતિ મળતાં રાજકુમારે નીચેની કથાનો આરંભ કર્યો;–

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...