મુખ્ય સામગ્રી પર જાઓ

૧૬ કાંઠા ગોર્ય

 [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રણો પૂજન કરે છે. વાર્તાશૈલીમાં નવી ભાત પાડતી આ વાક્યરચના છે.]


સાસુ–વહુ હતાં. દેરાણી-જેઠાણી હતાં.


પુરુષોત્તમ માસ આવ્યો છે. ગંગા–જમના નદી કહાવે છે. આખું ગામ ના’ઈને કાંઠા ગોર્ય પૂજે છે.


સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી.


‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’


‘ના રે બાઈ!

મારે ઘેરે કામ છે.

મારે ઘેર કાજ છે.

ઈ તો રાંડ કૂડીનું કામ.

નવરી નિશાણીનું કામ

બાળી ભોળીનું કામ.

મારે ધણી દરબારમાંથી આવે

દીકરો નિશાળેથી આવે

દીકરી સાસરેથી આવે

વહુ પીરથી આવે

ગા’ ગોંદરેથી આવે

ભેંસ સીમમાંથી આવે!


મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું : કપાળમાં ટીકો ને કાખમાં કીકો : મારે વાડ્યે વછેરા ને પરોળે પાડા : હું તો નવરી નથી, બાઈ, તું જા.’


દેરાણી સાહેલીઓને લઈ, ગાતી ગાતી ના’વા ગઈ છે.


એને તો ઝૂલતાં પારણાં બંધાઈ ગયાં છે. ઘૂમતું વલોણું ફરી રહ્યું છે. લાલ ટીલી થઈ રહી છે. હાથમાં ગગો રમી રહ્યો છે.


ભાભીજી તો છબછબ ના’યાં, ધબધબ ધોયાં.


‘કાં ભાભીજી, હાલ્યાં જાવ?

ગોર્યની પૂજા કરતાં જાવ.’


‘હું તો બાઈ, નવરી નથી.’ એમ કહી, ગોર્યમાને પાટુ દઈને કેડ ભાંગે : એમ રોજરોજ પાટુ મારે.


જ્યાં ઘેરે આવે ત્યાં તો,


ભાયડો દરબારમાં રિયો છે,

દીકરો દુકાને રિયો છે,

વહુ પી’ર રહી છે,

દીકરી સાસરે રહી છે,

ગા ગોંદરે રહી છે,

ભેંસ સીમમાં રહી છે,

ઘૂમતું વલોણું મટી ગ્યું,

ઝૂલતું પારણું મટી ગ્યું,

લાલ ટીલી મટી ગઈ,

કાખમાં ગગો મટી ગ્યો,

વાડ્યે વછેરા મટી ગ્યા,

પરોળે પાડા મટી ગ્યા,

ગોર્ય માના શરાપ લાગ્યા.


‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’


‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય

અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય,

નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય.

ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.

ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’


એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.


સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,

ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.

‘માતાજી; મારો અપરાધ માફ કરો.

છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.

મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’


ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો —


ધણી દરબારમાંથી આવ્યો છે,

દીકરો નિશાળેથી આવ્યો છે,

દીકરી સાસરેથી આવી છે,

વહુ પી’રથી આવી છે.

ગા ગોંદરેથી આવી છે.

ભેંસ સીમાડેથી આવી છે.

ઘૂમતું વલોણું થઈ રિયું છે,

ઝૂલતું પારણું થઈ રિયું છે,

લાલ ટીલી થઈ રહી છે.

કાખમાં ગગો થઈ રયો છે.

વાડે વછેરા થઈ રયા છે,

પરોળે પાઠા થઈ રયા છે,

હે માતાજી! સત તમારાં,

ને વ્રત અમારાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...