મુખ્ય સામગ્રી પર જાઓ

૧૨ ગુણવાન શ્વાન

 પૂર્વે સુદામાપુરીમાં મહાધન નામક એક શાહુકાર વસતો હતો. તે અત્યંત ધનાઢ્ય હોવા છતાં એકવાર તેની કેટલીક નૌકાઓ સમુદ્રમાં ડૂબી જવાથી અને તેમાં લાખો રૂપિયાની માલની હાનિ થવાથી તે નિર્ધન થઈ ગયો. નિર્ધનતાથી અત્યંત શોકાતુર થઈને તે પોતાનો એક ગુણવાન શ્વાન હતો તેને લઈ બીજા એક ગામમાં પોતાને યમુનાદાસ નામનો મિત્ર હતો તેની પાસે ગયો. તે શાહૂકારે પોતાના મિત્રને આવેલો જેઈ તેનો સારો આદરસત્કાર કરીને પૂછ્યું કે;–“આ વેળાએ અચાનક આપનું આગમન શા કારણથી થયું છે વારૂ ?"​મહાધને તેને પોતાની દુર્દશાનો ઇત્થંભૂતં વૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે-“મારી પાસે આ મહા ગુણવાન અને ઉપકારક શ્વાન વિના બીજી કોઈ પણ વસ્તુ નથી, એટલા માટે એ શ્વાનને આ૫ની પાસે રાખો અને મને એક હજાર રૂપિયા ઉછીના આપો. એ રકમ એક વર્ષમાં આપને વ્યાજ સુદ્ધાં ભરી આપીને હું મારા શ્વાનને લઈ જઈશ. જો એટલા અવધિમાં રોગ અથવા એવા જ કોઈ આકસ્મિક કારણથી એનું મરણ થઈ જાય, તે તેની જવાબદારી તમારા માથા ૫ર નથી.” આ વાર્ત્તા યમુનાદાસે માન્ય કરી અને તેથી તે પ્રમાણેનો દસ્તાવેજ લખી આપી રૂપિયા લઈને નિર્ધન થએલો મહાધન પોતાને ગામ પાછો ચાલ્યો ગયો.

શ્વાનને રાખનાર વ્યાપારી યમુનાદાસ કેટલાક દિવસ પછી પોતાને ત્યાંનો માલ નૈાકામાં ભરી બીજા દેશમાં તે વેચવા જવાની તૈયારી કરવા લાગ્યો. જતી વેળાએ તે શ્વાનને ઘરમાં રાખી પોતાના દાશ અને દાસીને પાસે બોલાવીને તેણે કહ્યું કે;–“ઘરને છોડી બહાર ભટકવા જશો નહિ અને આ શ્વાનની સારી સંભાળ રાખજો.” ત્યાર પછી તે શ્વાનના ખાનપાનની વ્યવસ્થા કરી આપીને તે પરદેશમાં ચાલ્યો ગયો.

લાંબા વખત સુધી પતિ પાછો આવ્યો નહિ એટલે મદનવિકાર અસહ્ય થવાથી તેની સ્ત્રીએ એક સુંદર અને હૃષ્ટપુષ્ટ પુરુષસાથે પ્રેમસંબંધ કર્યો અને તેને નિત્ય પોતાના આવાસમાં બોલાવી તેની સાથે તે યથેચ્છ કામક્રીડા કરવા લાગી. આ ચરિત્ર પેલા શ્વાનના જોવામાં આવતાં તે સ્ત્રીનો જાર જ્યારે પણ ઘરમાં આવતો હતો ત્યારે તે બહુ જ મોટા સ્વરથી ભસ્યા કરતો હતો. પણ ઘરમાંની દાસી કે શેઠાણી પોતે તેને ધમકાવતી એટલે લાચારીએ તે ભસતો બંધ થતો હતો. આવો પ્રકાર નિત્ય ચાલવાથી એકવાર તે શ્વાનને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે, તે એકદમ તે સ્ત્રીના જારના શરીર પર ધસી ગયો અને ઉછળીને તેના ગળામાં એવી તો દાઢ બેસાડી દીધી કે તેના પરિણામે તે કામી પુરુષ તત્કાળ મરણને શરણ થઈ ગયો. ​તેની આવી ધીટતાને જોઈને શેઠાણીએ કૂતરાને બહાર હાંકી કાઢ્યો અને પોતાના નોકરોને હુકમ આપી દીધો કે;–“જો આ શ્વાન પાછો ઘરમાં આવે, તો એને જીવતો જવા દેશો નહિ, પણ મારી જ નાખજો !” એ પછી તે શ્વાન આખો દિવસ ગામમાં ભટકી ઉદરપોષણ કરી રાતે આવીને યમુનાદાસના ઘરની ચોકી કર્યા કરતો હતો. એવી રીતે કેટલાક દિવસ વીતી જવા પછી યમુનાદાસ પરદેશથી પાછો ઘેર આવ્યો. તે ઘેર પહોંચે તે પહેલાં જ શ્વાન માર્ગમાં જ તેને મળ્યો અને તેના પગમાં લેટી પૂંછડું હીલવીને તે શેઠના પગ ચાટવા લાગ્યો તેમજ ચત્તો પડીને પોતાનું પાતાળમાં પેઠેલું પેટ પણ તેને બતાવવા લાગ્યો. તે શેઠની સાથે તે દિવસે ઘરમાં પાછો આવ્યો. શ્વાનને જોઈને શેઠાણી શેઠને કહેવા લાગી કે;-“તમારા જવા પછી દિવસની વેળાએ આ કૂતરાને આજે જ મેં પહેલીવાર જોયો છે. રોજ રાત્રિના સમયે આ કૂતરો ગામનાં બીજાં કૂતરાંને ભેગાં કરી ઘરમાંની વસ્તુઓનો નાશ કરી નાખતો હતો, બીજાનાં ઘરોમાં ઘુસી જતો હતો અને લોકોનો કકળાટ રોજ મારે સાંભળવો પડતો હતો. આ કૂતરાએ મને એવો અને એટલો બધો કંટાળો આપ્યો છે કે, જો તમને મારો ખપ હોય તો આને અત્યારે ને અત્યારે જ જીવથી મારી નાખો, કારણ કે, એનો જૂનો ધણી આવીને હવે એને છોડવી જાય, એવો સંભવ જણાતો નથી.” શેઠાણીએ તો પતિને આવી રીતે ભમાવ્યો, પણ શ્વાને જ્યાં શેઠાણીએ પોતાના જારના શબને દાટ્યું હતું તે સ્થાન પ્રતિ વારંવાર દોડાદોડ કરવા માંડી અને શેઠને વારંવાર તે તરફ ખેંચવા લાગ્યો. તેની આ ચેષ્ટાને જોઈ માણસોને બોલાવી તે જગ્યા યમુનાદાસે ખેદાવતાં તેમાંથી એક પુરુષની લાશ નીકળી આવી. શક પડવાથી તેણે પોતાની સ્ત્રી તથા ઘરનાં બીજા માણસોને બાંધીને ચાબુકનો માર માર્યો એટલે એક દાસીએ શેઠને બનેલી બધી બીના જણાવી દીધી અને શેઠાણીએ પણ પોતાના અપરાધનો મુક્ત કંઠે સ્વીકાર કરી લીધો. યમુનાદાસના ક્રોધ સીમાને ઉલ્લંઘી જતાં તેણે પોતાની સ્ત્રીને ખીલાવાળા પીપમાં નાખીને એક પર્વત પરથી નીચેની ઊંડી ખીણમાં ગબડાવી દીધી અને ​શ્વાને પૂર્ણ વિશ્વાસપાત્રતાનો પરિચય કરાવેલ હોવાથી તેના ગળામાં મુક્તિની પત્રિકા બાંધીને કહ્યું કે;–“તું હવે આનંદથી પાછો તારા જૂના ધણી પાસે જા; મેં આપેલા રૂપિયા વ્યાજ સુદ્ધાં મને મળી ચૂક્યા છે !”

કૂતરો અહીંથી નીકળ્યો અને મહાધન કર્જ ભરવાની મુદ્દત ભરાઈ ગએલી હોવાથી વ્યાજ સહિત રૂપિયા લઈને પોતાના ગુણવાન, શ્વાનને છોડવી લાવવા માટે પોતાને ઘેરથી નીકળ્યો હતો એટલે માર્ગમાં જ શેઠ અને શ્વાનને મેળાપ થઈ ગયો. શ્વાનને જોતાં જ મહાધનને ક્રોધ આવતાં તે કહેવા લાગ્યો કે;–“કૃતઘ્ન પ્રાણી ! અદ્યાપિ યમુનાદાસના રૂપિયા અપાયા નથી અને તે પહેલાં તેં પલાયન કરીને મારી પ્રતિષ્ઠાની હાનિ કરી નાખી. અર્થાત્ તારા આ અપરાધ માટે તને એવી જ મહા ભયંકર શિક્ષા આપવી જોઈએ.” એમ કહી તેના પાછળના બે પગ ઝાલી તેનું માથું તેણે એક પાષાણશિલાપર પછાડ્યું અને તે સાથે કપાળમોક્ષ થતાં શ્વાનના પ્રાણ પ્રયાણ કરી ગયા. ત્યાર પછી તેણે તેના ગળામાંની પત્રિકા છોડીને વાંચી જોઈ એટલે બધો વૃત્તાંત જાણવામાં આવતાં તે મહા શોકના સમુદ્રમાં ડૂબી ગયો અને પોતાના માથામાં માટી નાખવા લાગ્યો.

એ પ્રમાણે, હે વારવનિતે ! તું પણ પાછળથી મહા પશ્ચાત્તાપમાં પડી જઈશ, એટલા માટે મને મુક્ત કર અને જીવવા દે.” આ વાર્ત્તા સાંભળી તે વેશ્યા કહેવા લાગી કે;-“હે રાજકુમાર ! હું વેશ્યા હોવાથી મને પશ્ચાત્તાપ થાય, એ વાર્ત્તા સંભવતી જ નથી.” એ પછી હજી નગરનાં દ્વાર ઊઘડવામાં થોડો વિલંબ હોવાથી રાજકુમાર રક્તસેને પુનઃ એક નવીન વાર્તાનો આ પ્રમાણે પ્રારંભ કર્યો;–

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...