મુખ્ય સામગ્રી પર જાઓ

૧૬ સૂર્યજિત ભારતી તપસ્વી

 ઉત્તર દેશમાં સમુદ્રના તીરે એક પર્વત છે, ત્યાં પૂર્વે સૂર્યજિત ભારતી નામનો એક અતીતે મહાપ્રચંડ તપશ્ચર્યા કરી હતી. એ તપશ્ચર્યાના પ્રભાવથી તેને ઈશ્વરી તેજની પ્રાપ્તિ થતાં તે મહાસિદ્ધ પુરુષ થઇ ગયો હતો અને તે એટલે સુધી કે તેનું પ્રત્યેક વચન સિદ્ધ થતું હતું. તેની આવી ખ્યાતિ સાંભળીને જે રોગી વિશ્વમાંના કોઈ પણ વૈદ્યથી સારો ન થાય, તેવા રોગીને છેવટે એ અતીતનાં દ્વારમાં લાવીને રાખવામાં આવતો હતો અને તેને ત્યાં રાખી તેના સંબંધીજનો ત્યાંથી ચાલ્યા જતા હતા. પ્રાતઃકાળમાં તે સાધુ પુરૂષ પોતાનાં સંધ્યા આદિ કર્મની સમાપ્તિ કરીને તે રોગી પાસે જતો હતો અને પોતાના કમંડલમાંથી પાણી લઈને તેના મુખમાં નાખતો હતો. એથી તે રોગી રોગમુક્ત થઈ સાધુનાં ચરણોમાં નમસ્કાર કરીને પોતાને ઘેર ચાલ્યા જતો. તેની આ કીર્તિનો સર્વત્ર વિસ્તાર થઈ ગયો.

એક વાર એવો બનાવ બન્યો કે, શિવપુરીના રાજા મદનપાલની કુમારિકા કન્યાને તારૂણ્યમાં આવતાં ભયંકર પાંડુરોગની બાધા થઈ ગઈ અને તે રોગના નિવારણ માટે રાજાએ અત્યંત દ્રવ્યને ભોગ આપ્યો ને અનેક ઉપચારો કરાવ્યા, પણ તેથી કશો પણ લાભ થયો નહિ. એટલે અંતે નિરુપાય થઈને કેટલાંક માણસોને સાથે આપી રાજાએ પોતાની તે કન્યાને એ અતીત પાસે મોકલી દીધી. સેવકે મધ્યરાત્રિના સમયમાં તે રોગિષ્ઠ રાજકુમારીને અતીતની પર્ણકુટીના દ્વારમાં મૂકીને પોતે ત્યાંના નિયમ પ્રમાણે ત્યાંથી દૂર ખસી ગયા. પ્રાતઃકાળ થતાંજ અતીત જાગૃત થયા અને કરમાં કમંડલ લઈ સમુદ્રસ્નાન માટે જવાને નીકળ્યા, એવામાં મૃદુ શય્યામાં સૂતેલી તે રાજકુમારિકાના શરીર સાથે તેનો પગ અથડાયો, એટલે 'કોણ છે ?' એમ પૂછીને તેણે તેના શરીર પર હાથ ફેરવ્યો, તે રાજકુમારીના કોમળ સ્તન અને સુકુમાર શરીરને સ્પર્શ કરતાં જ અતીતના શરીરમાં કામનો વિકાર ઉદ્દભવ્યો, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં અને આસપાસ કોઈ પણ ન હોવાથી તે તેના પર બળાત્કાર કરવા લાગ્યો. ​રાજકુમારીએ અત્યંત દીનતાથી અતીતની અત્યંત પ્રાર્થના કરી કે;-“હું કુમારિકા હોવાથી મને આદ્યાપિ પુરૂષનો સંપર્ક માત્ર પણ થયો નથી અને તેમાં વળી અત્યારે હું ભયંકર રોગને વશ થઈને મરવા પડી છું, એટલા માટે અત્યારે બળાત્કાર ન કરતાં પ્રથમ મને નીરોગી કરો એટલે પછી હું તમને જ વરીશ !” એ સાંભળીને અતીતે કહ્યું કે-“તું અત્યારે મારા કામની શાંતિ કર એટલે હું તને આ ક્ષણે જ રોગમુકત કરી નાંખું છું.” એમ કહીને અતીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો.

એ પછી તેણે સ્નાનાદિ કરીને તે કન્યા માટે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી, પરંતુ તેના રોગનું નિવારણ ન થયું તે ન જ થયું. અંતે અતીત નિરૂપાય થઈને સંધ્યાકાળે વળી બીજા મનુષ્યો આવશે, તો મારી પ્રતિષ્ઠા નાશ થશે, એવા ભયથી તે રાજકન્યાને ત્યાંથી ઉપાડી જીવતી ને જીવતી જ વાલુકામાં દાટી આવ્યો.

તે રાજકુમારીના સેવકો કેટલાક અંતર પર બેસીને તેના આવવાની વાટ જોયા કરતા હતા, પણ રાજકુમારી તો ત્યાં હતી જ નહિ ત્યાર પછી આસપાસ સર્વત્ર તેમણે તેને શોધી, છતાં પત્તો ન જ મળ્યો એટલે અતીતને પૂછ્યું કે;–“રાજકુમારી ક્યાં છે ?” અતીતે કહ્યું કે-“હું કાંઈ પણ જાણતો નથી.” એ પછી સેવકોએ અતીતની ૫ર્ણકુટી અને ગુહામાં શોધ ચલાવી તો ત્યાંથી તેની શય્યા મળી આવી, પણ રાજકન્યા પોતે મળી નહિ. છેવટે બહુ જ સક્ષમ શોધ કરતાં તે વાલુકામાં દાટેલી મળી આવી. તેને બહાર કાઢતા તેનું સમસ્ત શરીર રુધિરથી ખરડાયેલું દેખાયું અને તે મરવાની અણીપર આવી પહોંચી હતી. તેને જ્યારે તેની આ દશા થવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતા પર થએલા અત્યાચારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર પછી તરત જ પોતાના પ્રાણને ત્યાગી દીધા. સેવકો તેને ત્યાં જ દાટીને પોતાના રાજા પાસે ગયા અને ઈથંભૂત વૃત્તાંત તેને હહ્યો. આ વાર્તા સાંભળી રાજાને મહા ક્રોધ થતાં તેણે પોતાના ​સેવકોને આજ્ઞા આપી દીધી કે –“અત્યારે અને આ ક્ષણે જ જઈને તે દુષ્ટ અતીતનો શિરચ્છેદ કરી નાખો અને તેનું માંસ કાગડા કૂતરાને ખવડાવી દ્યો !” સેવકોએ રાજાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...