મુખ્ય સામગ્રી પર જાઓ

૧૬ સૂર્યજિત ભારતી તપસ્વી

 ઉત્તર દેશમાં સમુદ્રના તીરે એક પર્વત છે, ત્યાં પૂર્વે સૂર્યજિત ભારતી નામનો એક અતીતે મહાપ્રચંડ તપશ્ચર્યા કરી હતી. એ તપશ્ચર્યાના પ્રભાવથી તેને ઈશ્વરી તેજની પ્રાપ્તિ થતાં તે મહાસિદ્ધ પુરુષ થઇ ગયો હતો અને તે એટલે સુધી કે તેનું પ્રત્યેક વચન સિદ્ધ થતું હતું. તેની આવી ખ્યાતિ સાંભળીને જે રોગી વિશ્વમાંના કોઈ પણ વૈદ્યથી સારો ન થાય, તેવા રોગીને છેવટે એ અતીતનાં દ્વારમાં લાવીને રાખવામાં આવતો હતો અને તેને ત્યાં રાખી તેના સંબંધીજનો ત્યાંથી ચાલ્યા જતા હતા. પ્રાતઃકાળમાં તે સાધુ પુરૂષ પોતાનાં સંધ્યા આદિ કર્મની સમાપ્તિ કરીને તે રોગી પાસે જતો હતો અને પોતાના કમંડલમાંથી પાણી લઈને તેના મુખમાં નાખતો હતો. એથી તે રોગી રોગમુક્ત થઈ સાધુનાં ચરણોમાં નમસ્કાર કરીને પોતાને ઘેર ચાલ્યા જતો. તેની આ કીર્તિનો સર્વત્ર વિસ્તાર થઈ ગયો.

એક વાર એવો બનાવ બન્યો કે, શિવપુરીના રાજા મદનપાલની કુમારિકા કન્યાને તારૂણ્યમાં આવતાં ભયંકર પાંડુરોગની બાધા થઈ ગઈ અને તે રોગના નિવારણ માટે રાજાએ અત્યંત દ્રવ્યને ભોગ આપ્યો ને અનેક ઉપચારો કરાવ્યા, પણ તેથી કશો પણ લાભ થયો નહિ. એટલે અંતે નિરુપાય થઈને કેટલાંક માણસોને સાથે આપી રાજાએ પોતાની તે કન્યાને એ અતીત પાસે મોકલી દીધી. સેવકે મધ્યરાત્રિના સમયમાં તે રોગિષ્ઠ રાજકુમારીને અતીતની પર્ણકુટીના દ્વારમાં મૂકીને પોતે ત્યાંના નિયમ પ્રમાણે ત્યાંથી દૂર ખસી ગયા. પ્રાતઃકાળ થતાંજ અતીત જાગૃત થયા અને કરમાં કમંડલ લઈ સમુદ્રસ્નાન માટે જવાને નીકળ્યા, એવામાં મૃદુ શય્યામાં સૂતેલી તે રાજકુમારિકાના શરીર સાથે તેનો પગ અથડાયો, એટલે 'કોણ છે ?' એમ પૂછીને તેણે તેના શરીર પર હાથ ફેરવ્યો, તે રાજકુમારીના કોમળ સ્તન અને સુકુમાર શરીરને સ્પર્શ કરતાં જ અતીતના શરીરમાં કામનો વિકાર ઉદ્દભવ્યો, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં અને આસપાસ કોઈ પણ ન હોવાથી તે તેના પર બળાત્કાર કરવા લાગ્યો. ​રાજકુમારીએ અત્યંત દીનતાથી અતીતની અત્યંત પ્રાર્થના કરી કે;-“હું કુમારિકા હોવાથી મને આદ્યાપિ પુરૂષનો સંપર્ક માત્ર પણ થયો નથી અને તેમાં વળી અત્યારે હું ભયંકર રોગને વશ થઈને મરવા પડી છું, એટલા માટે અત્યારે બળાત્કાર ન કરતાં પ્રથમ મને નીરોગી કરો એટલે પછી હું તમને જ વરીશ !” એ સાંભળીને અતીતે કહ્યું કે-“તું અત્યારે મારા કામની શાંતિ કર એટલે હું તને આ ક્ષણે જ રોગમુકત કરી નાંખું છું.” એમ કહીને અતીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો.

એ પછી તેણે સ્નાનાદિ કરીને તે કન્યા માટે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી, પરંતુ તેના રોગનું નિવારણ ન થયું તે ન જ થયું. અંતે અતીત નિરૂપાય થઈને સંધ્યાકાળે વળી બીજા મનુષ્યો આવશે, તો મારી પ્રતિષ્ઠા નાશ થશે, એવા ભયથી તે રાજકન્યાને ત્યાંથી ઉપાડી જીવતી ને જીવતી જ વાલુકામાં દાટી આવ્યો.

તે રાજકુમારીના સેવકો કેટલાક અંતર પર બેસીને તેના આવવાની વાટ જોયા કરતા હતા, પણ રાજકુમારી તો ત્યાં હતી જ નહિ ત્યાર પછી આસપાસ સર્વત્ર તેમણે તેને શોધી, છતાં પત્તો ન જ મળ્યો એટલે અતીતને પૂછ્યું કે;–“રાજકુમારી ક્યાં છે ?” અતીતે કહ્યું કે-“હું કાંઈ પણ જાણતો નથી.” એ પછી સેવકોએ અતીતની ૫ર્ણકુટી અને ગુહામાં શોધ ચલાવી તો ત્યાંથી તેની શય્યા મળી આવી, પણ રાજકન્યા પોતે મળી નહિ. છેવટે બહુ જ સક્ષમ શોધ કરતાં તે વાલુકામાં દાટેલી મળી આવી. તેને બહાર કાઢતા તેનું સમસ્ત શરીર રુધિરથી ખરડાયેલું દેખાયું અને તે મરવાની અણીપર આવી પહોંચી હતી. તેને જ્યારે તેની આ દશા થવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતા પર થએલા અત્યાચારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર પછી તરત જ પોતાના પ્રાણને ત્યાગી દીધા. સેવકો તેને ત્યાં જ દાટીને પોતાના રાજા પાસે ગયા અને ઈથંભૂત વૃત્તાંત તેને હહ્યો. આ વાર્તા સાંભળી રાજાને મહા ક્રોધ થતાં તેણે પોતાના ​સેવકોને આજ્ઞા આપી દીધી કે –“અત્યારે અને આ ક્ષણે જ જઈને તે દુષ્ટ અતીતનો શિરચ્છેદ કરી નાખો અને તેનું માંસ કાગડા કૂતરાને ખવડાવી દ્યો !” સેવકોએ રાજાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...