મુખ્ય સામગ્રી પર જાઓ

૫ એનું પ્હેલ્લું પુષ્પ

 વનની તે મહારાણી હતી.

⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી.

⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડે પાંદડે એના રૂપનું કિરણ જઇને બેસતું ને શોભાના અક્ષરો લખતું.

⁠વન જાણે એને જોઇને આનન્દતાં.

⁠ઉડણપંખિણી શી એ ઉડતી હતી.

⁠વનમાં એણે એક વૃક્ષ જોયો, ને વૃક્ષની ડાળેથી વેલીને ઝૂલતી દીઠી. સાડીની કોર જેવી લીલી પલ્લવકોર ઢળેલી હતી.

⁠ગગનની ડાંખળીએ ડાંખળીએ તારકફૂલડાં લટકે છે એવાં એ વેલની ડાંખળીએ ડાંખળીએથી ફૂલડાં લટકતાં.

⁠એ વેલને ભાગ્યદશે સૌભાગ્યચન્દ્રક હતો; એને કંઠ-પ્રાન્તે એકાવળ હાર હતો; એને બાહુદંડે ગજરા હતા; એને પાયપલ્લવે ફૂલનાં ઝાંઝર હતાં.

⁠વનની એ ચન્દ્રવેલ હતી.

⁠ચન્દ્રવેલને નિરખતી ઘડીક એ થંભી ગઇ. વનદેવીનાં કો દર્શન કરે એમ દર્શન કરતી એ ઉભી.

⁠પછી એને થયું કે પોતેય એવી શોભે તો ?

⁠પોતાની અંગુલિની કળીઓ એને ઓછી કુમળી લાગી, હૈયાનાં ઝૂમખાં એને ઝંખતાં લાગ્યાં, કંથની આરસકાન્તિ એને નિસ્તેજ લાગી.

⁠એના મનને કંઈક ઉણપ ભાસી.

⁠વનની ચન્દ્રવેલ સન્મુખ ઉભતાં મહારાણી ઝંખવાઇ. ચન્દ્રવેલ સમી શોભાસજ્જ થવાના એને કોડ જાગ્યા.

​⁠એણે હાથ લંબાવ્યો ને એક ફૂલ ચૂંટયું.

⁠ચૂંટતાં તો એ ફૂલ એણે ચૂંટ્યું, પણ ક્ષણેક પછી એને થયું કે એ ખોટું કર્યું. ચન્દ્રવેલ ભણી જોયું તો ચન્દ્રવેલ ઠપકો આપતી એણે દીઠી.

⁠જગત ભણી મુખ કરીને એ ઉભી.

⁠મનમાં એ મૂંઝાઈ. ઘડીક તો સૂજ્યું નહિ કે કિયા અંગની ડાળખીએ એ ફૂલને લટકાવવું.

⁠પછી એને થયું કે કાળા વાળમાં ગોરૂ ફૂલ ઠીક શોભશે.

⁠ફૂલડાંખળીની બે કુંપળો એણે બે લટોમાં પરોવી. મહારાણીના લલાટદેશના મધ્યપ્રાન્તે સૌભાગ્યના પુષ્પ સમું એ પુષ્પ લટકી રહ્યું.

⁠એને અંગે અંગે આનન્દના ફૂવારા ફૂટ્યા. પોતાનું પ્રફુલ્લેલું રૂપ પોતે દીઠું તો નહિ, ત્હો યે મહારાણીની રોમધારાઓ નિર્ઝરી રહી.

⁠મહારાણીને આજ આનન્દનું પરવ હતું.

⁠વનની રાણી પછી વનમાં સંચરી.

⁠પછી એણે કળાયેલ મોરને નાચતો દીઠો. નૃત્ય તો નહિ, પણ એના યે પગમાં એક જાતનું ઝૂલન જાગ્યું.

⁠પછી એણે કોયલને બોલતી સાંભળી. એનો યે કંઠ ઉઘડી ગયો ને એણે સ્હામો ટહુકાર કીધો. એ ટહુકારે વન ગાજ્યાં, ને કોયલ શરમાઈ ગઈ.

⁠સુન્દરીનો ટહુકો જગતમાં ઢોળાયો ત્ય્હારથી કોયલ કુંજોમાં સન્તાતી ઉડે છે.

⁠તે તિથિએ સુન્દરતાનાં શાસ્ત્ર પૃથ્વીમાં ઉતર્યાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...