મુખ્ય સામગ્રી પર જાઓ

૯ વિવરસ્થ વનિતા

 પૂર્વે અવંતી નામક નગરીમાં મત્સ્યેન્દ્ર નામનો એક શાહુકાર રહેતો હતો. તેનો ગોપીનાથ નામનો સેવક વયમાં તરુણ અને સ્વરૂપે અતિશય સુંદર હતો. તેનો મત્સ્યેન્દ્રના વ્યાપારમાં ભાગ હોઈને તે લોકોની હુંડી પત્રીઓ સ્વીકારતો હતો. તેની પાસે બહુ સંપત્તિ થવાથી તેના મનમાં પરણવાનો વિચાર સ્ફુરી આવ્યો, પરંતુ પ્રમદાઓ પાપિની અને વ્યભિચારિણી હોય છે, એવો તેનો નિશ્ચય થએલો હોવાથી પ્રથમ યોગ્ય પરીક્ષા કરી જો કોઈ સારી સ્ત્રી મળે તો જ તેની સાથે લગ્ન કરવું અથવા તો સ્ત્રીને એવા સ્થાનમાં રાખવી કે જ્યાં તેને પર પુરુષનું દર્શન જ ન થઈ શકે. આવા વિચારથી તે ગૃહસ્થે એક પર્વતના વિવરમાં ગૃહ ચણાવીને તેમાં અન્નોદક આદિની વ્યવસ્થા કરી રાખી. ત્યાર પછી કાશીમાં જઈને માત્ર એક વર્ષના વયની એક કન્યા સાથે લગ્ન કરી તેને તે વિવરસ્થ ગૃહમાં લઈ આવ્યો અને ત્યાં તેના રક્ષણ માટે બે દાસીઓ અને દૂધ પાવા માટે ધાવ મળીને ત્રણ સ્ત્રીઓને રાખી. કેટલાંક વર્ષ પછી તે કન્યા તારુણ્યમાં આવ્યા પછી ગોપીનાથ ત્યાં નિત્ય જઈને તે સ્ત્રીના યૌવનનો ઉપભોગ લેતો હતો. એકવાર તે વ્યાપારના કાર્ય માટે કોઈ દૂરના દેશમાં ગયો હતો, અને એક દિવસ તેની પત્ની મુક્ત વાયુનો સ્વાદ લેવા માટે વિવરમાંથી બહાર આવી હતી. એટલામાં એક સરદાર પુત્ર શિકાર કરતો તે સ્થળે આવી લાગ્યો અને તેના સૌન્દર્ય તથા તારુણ્યને જોઈને તેનામાં લુબ્ધ થઈ ગયો. તે વનિતા તે તરુણને પોતાના વિવરમાંના મંદિરમાં લઈ આવી. ત્યાં તેની સાથે ભોગ વિલાસ કરી તે પર્વતમાં પાછળના ભાગમાં બીજો માર્ગ કરી ત્યાંથી તેણે તેને વિદાય કરી દીધો. ત્યાર​પછી તે સરદારપુત્ર નિત્ય તે માર્ગેથી આવીને તેની સાથે રંગ ભોગ કરતો હતો અને તેથી વખત જતાં તેમને પરસ્પર અત્યંત ગાઢ પ્રેમ બંધાઈ ગયો.

એક દિવસે તે સરદાર પુત્ર સાથે તે સ્ત્રીએ એવી સલાહ કરી કે;–“મારા ધણીને જીવથી મારી નાખીએ અને પછી આપણે નિર્ભયતાથી મદનના ઉદ્યાનમાં વિહાર કરીએ. જો આમ નહિ કરીએ અને આપણા આ ગુપ્ત વ્યભિચારની વાત જો મારા ધણીના જાણવામાં આવશે, તો તે આપણ બન્નેને અવશ્ય મારી નાખશે.” તેની આ ઇચ્છા જાણીને સરદાર પુત્રે કહ્યું કે, “ના હવે આવા વિચાર માત્રને પણ મનમાં લાવીશ નહિ. જે પતિએ આજ અનેક પ્રકારે તારૂં પાલન પોષણ કર્યું છે, તેને તું મારી નાખવા ઇચ્છે છે, એ તારી કૃતિ યોગ્ય નથી. આ નિંદ્ય કર્મ સર્વથા ત્યાજ્ય છે.” એવી રીતે તેણે બહુબહુ બોધ આપ્યો, પણ તેને ધ્યાનમાં ન લઈને એક દિવસ પોતાના પતિને નિદ્રાધીન અવસ્થામાં અને અસાવધ જોઈ પોતાના જારને પકડીને તે ત્યાં લઈ આવી અને મ્યાનમાંથી તલવાર કાઢી તેના હાથમાં આપીને કહેવા લાગી કે;“ લે તલવાર અને કરી નાખ ઠાર !'- અચાનક મનમાં ઇશ્વરનો ભય થવાથી મૂર્ચ્છાગત થઈ સરદારપુત્ર ધરણીપર ઢળી પડ્યો, કેટલીકવાર પછી સાવધ થઈને તે બોલ્યો; કે “સુંદરી ! અા પાપાચાર મારાથી થવાનો નથી !”

જારને ભયભીત થયેલો જોઈ તે નાગિનીએ તલવાવારને પોતાના હાથમાં લઈ એક જ વારથી પતિના શરીરના બે કટકા કરી નાખ્યા. તેની આવી ક્રૂરતાને પ્રત્યક્ષ નિહાળી તે સરદારપુત્ર કહેવા લાગ્યો કે, “આ પુરુષે અત્યાર સુધીમાં તારૂં લેશમાત્ર પણ અહિત કર્યું નથી. તારા માટે એ પોતાના કુટુંબ અને સર્વ મિત્રોને ત્યાગી અરણ્યમાં આવીને રહ્યો, અનેક કષ્ટો સહન કર્યા અને તારા લાડકોડ પૂર્યા; પણ છેવટે તેં જ પોતાને હાથે એ બિચારાના પ્રાણ લીધા. આની આવી અવસ્થા થઇ, અને મેં તો તારૂં કશું પણ કલ્યાણ કર્યું ​નથી, તો પછી મારી તારા હાથે કોણ જાણે ભવિષ્યમાં કેવી અવસ્થા થાય, એની અત્યારે કલ્પના પણ કરી શકાતી નથી. આપણા તને આજથી છેલ્લા રામ રામ છે !” એમ બોલી અત્યંત ભયભીત થઈને તે સરદાર- પુત્ર ત્યાંથી પોતાને ઘેર જવા માટે પલાયન કરી ગયો. મરણ પતિનું થવાથી અને જાર છોડીને ચાલ્યો જવાથી તે સ્ત્રી ચિંતા અને પશ્ચાત્તાપથી ઝૂરવા લાગી અને બુદ્ધિમાં એક પ્રકારનો ભ્રમ થતાં ઉન્માદિની થઈને કેટલોક બકવાદ પણ કરવા લાગી. અરણ્યમાં પતિના મરણ પછીથી અન્ન અને જળ આદિનો ત્રાસ થતાં તે કોઈ ગામમાં જવા માટે ત્યાંથી નીકળી એટલામાં રસ્તામાં એક હડકાયું શિયાળવું તેને કરડ્યું અને તેથી વધારે ગાંડી થઈને તે નાગી જ જંગલમાં ભટકવા લાગી. તે આવી અવસ્થામાં જંગલમાં ભટકતી હતી એવામાં એક દિવસે અવંતી નગરીનો રાજકુમાર ત્યાં મૃગયા માટે આવી લાગ્યો અને તે તેની સુંદરતાથી મુગ્ધ થઈ તેને પોતાના મહાલયમાં લઈ આવ્યો. ત્યાં હડકવા લાગુ પડવાથી તે સ્ત્રીએ ઘણાકોને બટકાં ભર્યા અને તેથી કેટલાંક માણસો મરી ગયાં, છેવટે રાજકુમારે તેને મારાઓના હાથમાં સેાંપી ગામ બહાર મોકલીને તેનો શિરરછેદ કરાવી નાખ્યો.

અનંગભદ્રા ! જોયું - કોઈ મનુષ્ય એ દુષ્ટ સ્ત્રી પાસેથી પાપનો બદલો ન લઈ શક્યો, તો છેવટે ઈશ્વરે પોતે જ ચમત્કારિક રીતે તેનો નાશ કરી નાખ્યો. એવી રીતે જ્યાં સુધી પાપનો ઘડો ભરાય છે, ત્યાં સુધી પાપીઓ મોજમઝા કર્યા કરે છે અને જ્યારે તે ઘડો કાંઠા સુધી ભરાઈ જાય છે, એટલે પરમાત્મા તત્કાળ તેને ફોડી નાખે છે.

અા વાર્તા સંભળાવીને રક્તસેન તે વેશ્યાને કહેવા લાગ્યો કે;– “હે રમણી ! જો તું માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરી મને મારી નાખીશ, તો રાજા એ ખૂનનો બદલો તારી પાસેથી લેશે. અને ત્યાંથી ધાર કે, તું છૂટીશ, તો પણ પરમેશ્વરના હાથમાંથી તો તારો છૂટકો થવાનો નથી જ. એટલા માટે મારો ઘાત કરવો, એ કૃત્ય તારા માટે કલ્યાણકારક નથી. આ મનુષ્યાવતાર જેવો સુખપૂર્ણ ​અવતાર બીજો કોઈ પણ નથી, એટલા માટે તને જે વસ્તુ જોઈએ છે તે લે અને મને જીવતો રહેવા દે !” તેનાં આ વાક્યો સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;-“તમને મારી નાખવાની મારી ખાસ ઇચ્છા નથી; પણ જો તમને જીવતા રાખીશ, તો તમે મારી ખરાબી કરી નાખશો, એમાં તો સંશય છે જ નહિ અને એટલા માટે તમારા પ્રાણ મારે અવશ્ય લેવા જ જોઈએ.” એના ઉત્તરમાં રાજકુમારે જણાવ્યું કે;–“પ્રમદે ! આ કુકલ્પનાને હૃદયમાં સ્થાન આપતી જ નહિ, કારણ કે, સ્ત્રીહત્યા મહા પાપ છે એટલે હું તને મારવાનો નથી; છતાં તને મારા વચનમાં વિશ્વાસ ન આવતો હોય, તો મારી પાસેથી વચન લે; કારણ કે, ક્ષત્રિયો પ્રાણ જતાં ૫ણ વચનનો ભંગ નથી કરતા, એ તો તું સારી રીતે જાણેજ છે. અાટઅાટલી પ્રાર્થના કરવા છતાં, જો તું મને મારી નાખીશ, તો શેઠ ધર્મકાન્તની પત્નીને જેવો અસહ્ય પશ્ચાત્તાપ થયો હતો, તેવો જ પશ્ચાત્તાપ તને પણ થશે અને તે વેળાએ પોતાનું જીવન પણ તને અકારૂં થઈ પડશે.” એમ કહીને રક્તસેને ધર્મકાન્ત શેઠની પત્ની વારુણીની કથાનો નીચે પ્રમાણે વિસ્તાર કર્યો;–

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...