મુખ્ય સામગ્રી પર જાઓ

૮ વીરપસલી (વાત પહેલી)

કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી હતાં. દીકરી તો સાસરે ગઈ છે ને દીકરો માની આગળ છે.

શ્રાવણ માસ આવ્યો છે. અંજવાળિયો આતવાર આવ્યો છે. વીરપસલી આવી છે.

ડોશી તો દીકરાને કહે છે કે “ભાઈ ભાઈ! તું બેનની વીરપસલી લઈને જા.”

ભાઈ તો વીરપસલી લઈને બેનને ઘેર જાય છે, રસ્તે મોટો એરુ મળ્યો છે.

એરુ કહે, “હું તને કરડું ને કરડું.”

“ના ભાઈ, આજ તું મને કરડીશ મા. મારી બેનને આજ વીરપસલી છે, તે બેન બિચારી વાટ જોઈને બેસી રહેશે. કાલ પાછો આવું ત્યારે કરડજે.”

એરુ કહે, “કાલ તું પાછો આ રસ્તે નીકળે જ શેનો? બીજે જ રસ્તે નીકળ તો?”

“નીકળ્યા વગર રહું જ નહિ. ને તને મારો વિશ્વાસ ન પડે તો લે હું આ ખડનો પૂળો વાઢી લઉં, એમાં તું બેસી જા. કાલ પડે એટલે તું મને કરડી ખાજે.”

ભાઈએ તો ખડનો પૂળો વાઢ્યો છે. એરુને પૂળામાં બેસાડી દીધો છે. બેસાડીને પૂળો તો ખંભે નાખી લીધો છે. બેનને ઘેર જતાં તો બહુ મોડું થયું છે. બેન તો બિચારી વાટ જોઈ જોઈને થાકી ગઈ છે. થાકીને બેન તો રેંટિયો કાંતવા બેસી ગઈ છે.

કાંતતાં કાંતતાં વિચાર કરે છે : અરે રે, ભાઈ કેમ ન આવ્યો! હજીય ભાઈ કેમ ન આવ્યો!

ત્યાં તો ભાઈએ બારણું ઉઘાડ્યું છે.

ભાઈને દીઠો ત્યાં તો કાંતતાં બેનનો ત્રાગડો તૂટી જાય છે.

બેનને તો ફાળ પડી કે મારો ભાઈ આવ્યો ને ત્રાગડો કેમ તૂટી ગયો! ત્રાગડો સાંધીને ઊઠું તો ભાઈની આવરદા સંધાય.

ભાઈને તો ખોટું લાગ્યું છે. અરેરે, હું આવ્યો છું; કાલ તો મરી જવાનો છું, તો ય મારી બેન તો હજી ઊઠતી યે નથી.

બેન તો ત્રાગડો સાંધીને ઊઠી છે. ઊઠીને ભાઈનાં ઓવારણાં લીધાં છે. વીરપસલીનો દોરો ઊજવ્યો છે. ભાઈને જમાડવા લાપસી કરે છે.

ખારણિયામાં સોપારી નાખી, સાંબેલાના ચાર આંટા ફેરવી, સોપારી ભાંગતી બેન બોલે છે, કે

શિરછત નવખંડ ધરતીમાં
મારા ભાઈનું જે ભૂંડું વાંછે
એના સા…ત કટકા થઈ જજો!

આટલું બોલ્યા ભેળો તો, છાપરે ભાઈએ ખડનો પૂળો મેલ્યો’તો તેમાં એરુના સાત કટકા થઈ ગયા છે.

રાત પડી છે ભાઈ કહે કે “બેન, હું કાલે જઈશ ને જઈશ.”

બેન કહે, “ના ભાઈ, નહિ જ જવા દઉં.”

પણ ભાઈને તો થયું છે કે બેનને આંગણે જો એરુ કરડે ને હું મરી જાઉં તો બેન બિચારી રોઈ રોઈને મરે. એનાથી મારું મૉત શે’ જોવાય! માટે હું તો માર્ગે જ જઈને મરું.

બેન તો ઘણી ઘણી તાણ કરે છે. પણ ભાઈ કેમે ય કરી માનતો જ નથી.

રસ્તે મારા ભાઈને ભાતું જોશે! એમ સમજીને બેને તો ઘઉંના લોટના ખાખરા કર્યા. કરીને ખારણીએ ખાંડવા બેઠી. ચૂરમુ ખાંડી, ઘી ગોળ ભેળવી, જ્યાં લાડવા વાળવા બેસે છે, ત્યાં સાતે ય સાપના કટકા એ’કેક લાડવામાં એ’કેક ગરી જાય છે.

સવાર પડ્યું છે. સાતેય લાડવા બેને ભાઈને ભાતામાં બંધાવ્યા છે. ભાઈ કહે, ‘આ લે, એક લાડવો પાછો. ભાંકો ને ભાંકી ઊઠે ત્યારે ભાંગીને બેયને ફાડિયું ફાડિયું દેજે.’

ભાઈ તો હાલી નીકળ્યો છે. વાંસેથી ભાંકો–ભાંકી તો ઊઠ્યાં છે. રાડો પાડવા માંડ્યાં છે કે મામો ક્યાં ગયા? મામો ક્યાં ગયા?

મા કહે, “મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો; મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.”

લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે.

હાય હાય! મારો ભાઈ લાડવા ખાશે તો શું થાશે?

એણે તો છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે —

“મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!”

ભાઈ તો વાટે ચાલ્યો જાય છે. એના મનમાં તો થાય છે કે ક્યાંઈક તળાવડી દેખું તો ટીમણ કરવા બેસું. પણ એનાથી બહુ આગળ ચલાતું નથી. બેને તાગડો સાંધીને ભાઈની આવરદા સાધી’તી ખરી ને, તે ભાઈને તો રસ્તામાં ચારેય દશ્યે તાગડા તાગડા દેખાય છે, મારગ સૂઝતો નથી. ભાઈ આગળ હાલી શકતો નથી. બેનને અને ભાઈને તો છેટું ભાંગતું જાય છે. બેન તો ધા દેતી દોડી આવે છે.

એમ કરતાં એક નાની તળાવડી આવી છે. ભાઈ તો ભાતું ખાવા બેસે છે. બેસીને પોટલી છોડવા જાય છે, ત્યાં તો “ભાઈ! છોડીશ મા! છોડીશ મા!”

એમ ચીસેચીસ નાખતી બેન જઈ પહોંચી છે. જઈને લાડવા ભાંગ્યાં છે. ત્યાં તો છયે લાડવામાંથી એરુના છ કટકા નીકળ્યા છે.

બેને પૂછ્યું કે “હેં ભાઈ, આ કૌતક શું?” ભાઈએ તો એરુની વાત કરી છે. બેનને તો વાત સમજાણી છે કે વીરપસલી માને પ્રતાપે એરુના સાત કટકા થઈ ગયા છે. બેને તો ખાડો ગાળ્યો છે, લાડવા ભોંયમાં ભંડાર્યા છે. ભાઈને પાછો ઘેર તેડી જાય છે. જમાડે છે ને જુઠાડે છે.

વીરપસલી મા એને ત્રુઠમાન થયાં એવાં સહુને થાજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...