મુખ્ય સામગ્રી પર જાઓ

સંકલ્પનો જાદુ

લેખક: બર્ડ ડુબિન (અનુ. સોનલ પરીખ)

ગામડાની એ નાનકડી શાળાને હૂંફાળી રાખવા માટે જૂનોપુરાણો ગોળાકાર સગડી જેવો, કોલસાનો ચૂલો હતો. એક છોકરાને રોજ વહેલા આવી તેમાં કોલસા પૂરી, ચૂલો પેટાવવાની જવાબદારી સોંપાઈ હતી. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ આવે ત્યારે શાળા હૂંફાળી થઈ જતી. એક સવારે તેઓ આવ્યા ત્યારે શાળાનું મકાન ભડકે બળતું હતું. તેમણે અર્ધા બેભાન છોકરાને તેમાંથી ખેંચી કાઢ્યો. તે ખૂબ દાઝી ગયો હતો. અડધું શરીર ખરાબ રીતે બળી ગયું હતું. મરણતોલ હાલતમાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો.

બેહોશી અને જાગૃતિની જતી આવતી પળોમાં છોકરાએ ડૉક્ટરના શબ્દો સાંભળ્યા. તેમણે તેની માને કહ્યું, ‘આ છોકરો બચશે નહીં અને તે સારું છે, કારણ કે આગે તેના શરીરને ખૂબ નુકશાન કર્યું છે.’ છોકરો બહાદુર હતો. મરવા માગતો નહોતો. તેણે એ અવસ્થામાંય નિશ્ચય કર્યો કે પોતે જીવશે અને તે બધાના આશ્ચર્ય વચ્ચે જીવી ગયો. કટોકટીની ઘડી વીતી ગયા પછી તેણે ફરી ડૉક્ટરની વાત સાંભળી, ‘છોકરો જીવી તો ગયો છે, પણ તેનું માંસ ખૂબ બળી ગયું છે. તેના પગ વાંકા રહી જશે ને તેનો ઉપયોગ તે કરી શકશે નહીં.’ ફરી તેણે નિર્ણય કર્યો કે પોતે અપંગ નહીં બને. ચાલશે, પણ તે અશક્ય હતું. કમર નીચેનો હિસ્સો તે હલાવી પણ શકતો નહોતો. પાતળા પગ નિર્જીવ બનીને લટકી પડ્યા હતા. છેવટે તેને હૉસ્પિટલમાંથી છુટ્ટી મળી. રોજ તેની મા તેના નિર્જીવ પગ પર મસાજ કરી આપતી, પણ ત્યાં કોઈ સંવેદન થતું નહીં. કોઈ નિયંત્રણ પણ રહેતું નહીં, પણ ચાલવાનો તેનો સંકલ્પ એવો ને એવો દઢ હતો.

જ્યારે તે સૂતેલો ન હોય ત્યારે તેને વ્હીલચેરમાં જકડીને રહેવું પડતું. એક દિવસે તેની મા તેને ઘરના બગીચામાં લઈ ગઈ જેથી તેને ખુલ્લી હવા મળે. તે દિવસે તેણે જોર કરી પોતાને વ્હીલચેરમાંથી જમીન પર ફેંકી દીધો અને ઘાસમાં ઘસડાવા માંડ્યું. નિર્જીવ નબળા પગ પાછળ ઘસડાતા રહ્યા. બગીચાની વાડ સુધી તે ઘસડાયો અને મહામુશ્કેલીથી ઊંચો થયો. તેની પ્રતિજ્ઞા હતી કે ચાલતા થવું – રોજ તે આ પ્રમાણે કરતો અને વાડાને ફરતું ચક્કર મારવાની કોશિશ કરતો. તેના પગમાં જો ચેતન આવી જાય તો પછી કશું જ અશક્ય નહોતું.

છેવટે રોજનું માલિશ, લોખંડી સંકલ્પ અને અથાક મહેનતના પરિણામે તે એક દિવસ પોતાના પગ પર ઊભો રહી શક્યો. તે પછી અટકતાં અટકતાં પકડી પકડીને પગલાં ભર્યાં ને પછી કોઈના ટેકા વગર ચાલ્યો અને છેવટે દોડ્યો પણ. સ્કૂલમાં ચાલતા ગયા પછી તે દોડીને જવા લાગ્યો. પછી તો દોડવાનો એવો આનંદ આવ્યો કે તે દોડવા ખાતર દોડતો. પછીથી તેણે કૉલેજમાં એક ટ્રેક ટીમ પણ બનાવી. જે છોકરો જીવતો બચી જાય તેવુંય કોઈ ધારતું નહોતું, જે કદી ચાલી પણ શકવાનો

નહોતો, તે યુવાન વયે વિશ્વનો સૌથી ઝડપી દોડવીર બન્યો. તેનું નામ ડૉ. ગ્લેન કનિંગહામ.

(‘મોતીની માળા’ પુસ્તકમાંથી સાભાર.)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...