મુખ્ય સામગ્રી પર જાઓ

ઈમેલ - જિંદગીનુ નિરાકરણ

ઍક બેરોજગાર વ્યક્તિઍ માઇક્રોસોફ્ટમા "ઑફીસ બોય" (જે નાનુ મોટુ કામ કરે તે) માટે અરજી કરી.

ત્યાના મેનેજેર તેનુ ઇંટરવ્યૂ લીધુ અને તપાસણી માટે તેની પાસે પોતા મરાવી ને જોયા. ત્યાર બાદ મેનેજેરે કહ્યુ : "તમને નોકરી મળી ગઈ છે, તમે તમારુ ઈ- મેઈલ આઇડી આપો,અમે તમને ઍક ફોર્મ આપશુ તે ભરી તમે અમને ઈ- મેઈલ કરજો, અને પછી તમે નોકરી શરૂ કરી શકશો"

તે વ્યક્તિ ઍ કહ્યુ : "ના તો મારી પાસે કંપ્યૂટર છે ના ઈ-મેઈલ આઇડી".

આ સાંભળીને મેનેજર બોલ્યો : "મને માફ કરજો હૂ તમને આ નોકરી ના આપી શકુ, જો તમારી પાસે ઈ-મેલ આઇડી નથી તો તમારુ અસ્તિત્વ જ નથી અને જેનુ અસ્તિત્વ જે ના હોય તેને આ નોકરી ના આપી શકાય."

તે ત્યા થી નિરાશ થઈ ચાલવા લાગ્યો, તેને સમજાતુ નહતુ કે તે શુ કરે?

તેની પાસે તેના ખિચામા માત્ર ૧૦ ડોલર હતા. તેને નક્કી કર્યુ કે તે સૂપર માર્કેટ જશે અને ત્યાથી તે ટામેટાનુ ઍક નાનુ બૉક્સ ખરીદશે.

તેને તે ટામેટાને ઘરે ઘરે જઈ વહેચ્યા, બે જ કલાકમા તેને તેની મૂડી બમણી કરી નાખી, આવી રીતે તેને ત્રણ વાર ઘરે ઘરે જાઇ ને ટામેટા વહૅચ્યા અને ઘરે આવ્યો ત્યારે તેની પાસે $૬૦ હતા.

આ જોઈ તેને સમજાયુ કે તે તેનુ અસ્તિતવા ટકાવી શકે છે, હવે તે રોજ વહેલા જઈને અને મોડે સુધી કામ કરતો.

આવી જ રીતે તે રોજ તેની મૂડી ને બમણી અને ત્રિગુનિ કરવા લાગ્યો.

બહુ ઓછા સમયમા તેની પાસે ઍક લારી, પછી ટ્રક, ત્યારબાદ તેને ઘરે ઘરે સામાનની ડિલીવરી પહોચડતા વાહનો વસાવ્યા. અને ૫ વર્ષ પછી તે યૂ ઍસ નો મૉટો ફૂડ રીટેલર બની ગયો. હવે તે પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો. તેને નક્કી કયુ કે તે ઍક લાઇફ ઈન્સુરેનસ લેશે.તેને ઍક ઈન્સુરેનસ ના ઑફીસર ને બોલાવી ને પોતાના ભવિષ્ય માટે નો પ્લાન નક્કી કર્યો.

જ્યારે આ પ્લાન નક્કી થઈ ગયો ત્યારે ઑફીસર ઍ તેમનુ ઈ-મેલ આઇડી પુછયુ. તેને જવાબ આપ્યો : "મારી પાસે ઈ-મેઈલ આઇડી નથી"

ઑફીસરઍ કહ્યુ:" તમારી પાસે ઈ-મેલ આઇડી નથી અને છતા તમે આટલા મોટા બીસનેસના મલિક છો! તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારી પાસે ઈ-મેલ આઇડી હોત તો તમે શુ હોત?"

તે વ્યક્તિઍ થોડી વાર વિચારીને જવાબ આપ્યો : "હા હૂ માઇક્રોસૉફ્ટ મા ઍક ઑફીસ બોયની પદવી પર હોત."

બોધપાઠ:

-ઈ-મેલ/વોટ્સ અપ/ફેસબુક તે તમારી જિંદગીનુ નિરાકરણ નથી.

- જો તમારી પાસે ઈ-મેલ/ વોટ્સ અપ/ ફેસબુક નહી હોય તો પણ સખત પરિશ્રમ વડે તમે ધારેલા ધ્યેયને પામી શકશો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...