મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

એપ્રિલ, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉપરા

લેખક: લક્ષ્મણ માને લક્ષ્મણ માનેની આત્મકથા એક આદમીની કથા છે. ‘ઉપરા’ એટલે પરાયા. લક્ષ્મણ માને એ શિક્ષણને કારણે પ્રાપ્ત કરેલી આત્મસંજ્ઞા ને કારણે પોતાના સમાજથી વેગળા પડી ગયા. તેમાં વળી શાળા-કોલેજમાં ભણીને મધ્યમવગીઁય વિચારસરણીને સ્વીકારવાથી અને ખાસ તો મરાઠા કન્યા જોડે લગ્ન કરવાથી એમની જાતિએ અને એમના મા-બાપે પણ એમનો બહિષ્કાર કયોઁ આથી તેઓ ન રહ્યા પોતાની જાતિના કે ન સમાજના એવા વેગળા પડી ગયેલા માનવીની આ આત્મકથા છે. દરેક જગ્યાએ લક્ષ્મણ માનેને પરાયા પણાંનો જ અનુભવ થયો છે અને એનું બયાન ‘ઉપરા’ શિષઁકથી રચાયેલી આ આત્મકથા માં આપ્યું છે.              ‘ઉપરા’ એક અનોખી આત્મકથા છે. પણ આત્મકથાની પરંપરામાં એનું સ્થાન ક્યાં ? શું ઉપરા આત્મકથાને આપણે દલિત સાહિત્યની ખળભળાટ મચાવનારી કૃતિ ગણાવી શકીશું ? છેલ્લા વિસેક વષઁ દરમિયાન સમાજના નીચલા થરમાંથી આવતા નવશિક્ષિત યુવાનોએ વિદ્રોહાત્મક સાહિત્યનું સજઁન કયુઁ છે. એમની થયેલી ઉપેક્ષાનું, એમના સંતાપ અને વેદનાનું નિખાલસપણે આલેખન કરનાર સાહિત્યને સગવડ ખાતર દલિત સાહિત્ય કહીને ઓળખવામાં આવ્યું છે. ‘ઉપરા’ વિશે લક્ષ્મણ ...

ટોલ્સટૉયની ત્રેવીસ વાર્તાઓ

વિશ્વસાહિત્યના કેટલાક સજઁકો ચિરંતન નામના ધરાવે છે. આવા સજઁકોમાં લીઓ ટોલ્સટોયનું નામ મોખરાના વાતાઁકાર તરીકે આવે છે. ધમઁ ચિંતન અને આદશઁવાદી વિચારણાથી સભર એવું એમનું સાહિત્ય આ સજઁકને માત્ર સજઁક જ નહિ પણ એક મહાન ચિંતક અને વિચારક તરીકે પણ સ્થાપિત કરે છે. એમણે જે સાહિત્યની રચના કરી છે. એમાં વિવેચકોને એમની વાતાઁઓ વધારે સ્પશીઁ ગઇ છે. આ વાતાઁઓને કારણે જ જગત ભરના મહાન સજઁકોમાં તેઓ આદરભયુઁ સ્થાન પામ્યા છે.           ટોલ્સટૉયની વાતાઁઓમાં માનવજીવનને ઉન્નતગામી અને આદશઁગામી બનાવતી તેમજ માનવતાનું ગાન કરતી વાતાઁઓ જોવા મળે છે. જીવન કેવી રીતે જીવવું ? એનો અસરકારક બોધ આ વાતાઁઓમાંથી પ્રાપ્ત થાય છે. આ વાતાઁઓની પ્રવિત્રતા આપણા હ્રદયને સ્પશીઁ જાય એવી છે.           ‘ટોલ્સટૉયની ત્રેવીસ વાતાઁઓ’- પુસ્તકમાં સંગ્રહિત થયેલી વાતાઁઓમાં મોટાભાગની વાતાઁઓ લોકભોગ્ય અને સદાચારનો બોધ આપનારી છે. એમાં સામાન્ય માણસનું જીવન અને એ જીવનમાં બનતા પ્રસંગો આલેખાયા છે અને એ દ્રારા સામાજિક દ્રષ્ટિએ જીવન જીવવાની એક નવી વિચારસરણી પણ આ વાતાઁ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

બદલાતી ક્ષિતિજ

લેખક: જયંત ગાડીત આધુનિક કહેવાતા સાહિત્યકારોએ જયારે નિદાન કયુઁ હતુ કે ગુજરાતી નવલકથા નો નાભિશ્વાસ ચાલે છે તે સમયે એક મરમી અને પ્રતિબધ્ધ કરમી સજઁકે જીવાતા જીવનના પ્રશ્નો લઇ કલાત્મક નવલકથાઓ લખવા માંડી હતી. એ નવલકથાકાર એટલે જયંત ગાડીત. આ સજઁકે સાંપ્રત સમસ્યાઓને કલાત્મક ઢબે વાચા આપી છે. આધુનિકતાનો સૂરજ આપણે ત્યાં જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે જયંત ગાડીતે જીવાતા જીવન સાથે નાતો જાળવી રાખી કલાત્મક નવલકથા ‘આવૃત’ આપી હતી.  ‘આવૃત’ માં એમણે ઉચ્ચ શિક્ષણમાં પેસી ગયેલા દૂષણો છતા કયાઁ. ત્યારબાદ ‘બદલાતી ક્ષિતિજ’ માં એમણે પછાત વગઁના પ્રશ્નો વાઘરી જાતિની સ્થિતિ અને દૂષિત રાજકારણ નું કલાત્મક નિરૂપણ કરી આપણને વિચારતા કરી મુકયા.                   ‘બદલાતી ક્ષિતિજ’ માં લેખકે સામાજિક રાજકીય સંદભઁને સમાંતરે અલગ-અલગ પ્રજાસમુહના પ્રતિનિધિ એવા બે પાત્રોના આંતરબાહ્ય સંઘષઁને આલેખ્યો છે. અહીં ચતુઁવિધ દ્રષ્ટિકોણથી કૃતિની ગુણવત્તા સિધ્ધ કરી છે. પહેલા પ્રકરણમાં કૃતિની કેન્દ્રવતીઁ ઘટનાને ચુસ્તપણે રજૂ કરી બીજા, ત્રીજા અને ચોથા ...

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...

ગુજરાતી ટૂંકી વાર્તા : એક નજર

લેખક: પ્રફુલ્લ રાવલ ‘કથાસરિત્સગાર’ અને ‘હિતોપદેશ’ એ આપણા કથાસાહિત્યના પ્રાચીન ગ્રંથો છે. એ કથાનો ઉદ્દેશ ઉપદેશ આપવો એ રહ્યો હતો. આમેય કથા-વાર્તા કહેવી અને સાંભળવી એ માનવજાતિનો આદિમ શોખ રહ્યો છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેને કહેવાની રીત બદલાતી ગઈ. વળી વિષયોમાં પણ પરિવર્તન આવતું ગયું. અઢારમી સદીમાં વિશ્ર્વમાં અનેક ફેરફારો થયાં ને ઓગણસમી સદીમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં પશ્ર્ચિમની ઘણી અસરો ભારતીય લોકોએ ઝીલી તેમાં સાહિત્ય ઉપર પણ પશ્ર્ચિમના સાહિત્યનો પ્રભાવ પડ્યો અને નવાં નવાં સાહિત્ય-સ્વરૂપો ને પ્રકારો આવવામાં માંડ્યા. ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ સ્પષ્ટત: પશ્ર્ચિમમાંથી ગુજરાતીમાં આવ્યું. ધૂમકેતુએ કલાત્મક રૂપે ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું, પરંતુ એ પહેલાં મલયાનિલે ‘ગોવાલણી’ વાર્તા રચી હતી. વળી એની પહેલાં પણ અનેક ટૂંકી વાર્તાઓ લખાયેલી હોવાનું જણાયું છે. એ સંખ્યા પણ લગભગ 500 જેટલી થવા જાય છે. રમણભાઈ નીલકંઠની ‘ચિઠ્ઠી’ની નિજકર આ ધારામાં થાય છે. છતાં ટૂંકી વાર્તાનું પશ્ર્ચિમમાંથી આવેલું સ્વરૂપ ખેડાયું ધૂમકેતુ દ્વારા જ. એમની ટૂંકી વાર્તાઓમાં ઊર્મિનું પ્રાધાન્ય છે તો સ્વરૂપ્ની એમની સ...